SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ બુદ્ધિ ભ્રષ્ટ થઇ. કોઈ આવ્યો નહિ. માટે સ્વર્ગનરક નથી અને મિથ્યાત્વી થયો વેશ માત્ર રાખેલ છે ગચ્છ ત્યાગી વ્રત ત્યાગવા જાય છે. શિષ્ય દેવ અવધિથી ભ્રષ્ટ પરિણામ જોવે છે. બોધ કરવા નીચે આવે છે રસ્તામાં દિવ્ય નાટક કરે છે તેને જોતાં ગુરૂ છ માસ સુધી શુધા તૃપા દેવતાના અનુભાવ પામતો નથી ને નાટકને સંહરે છે અટવીમાં છકાય રૂપી કુમારોની વિદુર્વણા કરે છે તે બાળકો અલંકાર વસ્ત્રાદિકવડે કરી પરિપુર્ણ છે પ્રથમ પૃથ્વીમય નામનો બાળક મળે છે તેને દેખી ચિંતવે છે કે આને મારીને તેના અલંકારો લઈને ભોગાદિકને ભોગવું તે બાળકને કહે છે કે અલંકાર આપ તે ના પાડે છે આચાર્ય તેનું ગળું પકડી લેવા માંડયા એટલે તે બાળક કહે છે કે ઇહાં કોઈ મારૂ નથી માટે મારૂ રક્ષણ કરો બહુ કહેવા છતાંપણ પકડેલું ગળું મુકતો નથી એટલે બાલક કહે છે કે એક કથા સાંભળો પછી મનોયોગ્ય લાગે તેમ કરજો . ૧. કોઈક કુંભાર માટી ખોદે છે એક દહાડો માટીએ તેને દાબી નાખો લોકો તેને પુછે છે કે આ શું ? તે કહે છે કે જેનાથી બળીદીધી સ્વજનોનું પોષણ કર્યું તે પૃથ્વી જ મને મારે છે જેનું શરણ કર્યું તેનાથી જ ભય ઉત્પન્ન થયો માટે હું તાહરે શરણે આવેલ છું છતાં તું મને મારે છે તો શરણ થકી ભય થયો હે બાલક તું પંડિત છે એમ કહી તમામ અલંકાર લઈ લીધાને પાત્રામાં ભર્યા ૨. અપકાયકુમાર આવ્યો અલંકાર લેવા માંડયા ભયથી કંપાયમાન થઈ કથા કરે છે કે કોઈક તાલાચર ગાથા પાઠક ગંગા નદી ઉતરતો એક દિવસ ગંગા નદીના પુરથી તણાય છે તે દેખાવે કાંઠે રહેલા લોકો તેને કહે છે કે આમ કેમ થાય છે તેથી બોલે છે કે જેનાથી બીજોની ઉત્પત્તિ થાય છે તથા જેનાથી ખેડૂતો જીવે છે તે પાણીના મધ્યે હું ડુબી મરું છું માટેજેનું શરણલીધું છે તેનાથી જ મને ભય થયો તું પંડિત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy