SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ભાવાર્થ : દયાળુપણું, ઉદ્ધતા રહિતપણું, દાક્ષિણ્યતા, પ્રિયભાષિપણું, પરોપકાર કરવાપણું, આ મહાત્મા પુરૂષોના આભૂષણો કહેલા છે, તેથી સિદ્ધપુરૂષ પણ તેના ઉપર દયાથી ચિંતવના કરે છે કે સંપત્તિ પામીને સર્વ પ્રાણીઓનો ઉપકારક કરવો. તે જ મનુષ્યોનું ઉત્તમ કર્તવ્ય છે, અન્યથા કાગડો પણ પોતાના ઉદર પોષણ માટે ચોતરફ ફરતો ફરે છે, અગર પોતાનું કે પોતાના લાગતાવળગતાનું પોષણ તો તિર્યંચો પણ કરે છે, તો ઉપકાર રહિત મનુષ્યોમાં અને તિર્યચોમાં ફેર શું? માટે આ દરિદ્રિને હું સુખી કરી પરોપકારનું પુન્ય હાંસલ કરે એવી ચિંતવના કરી તે સિદ્ધ પુરૂષ બોલ્યો કે – “અરે પુરુષ ! તારી સેવાથી હું તારા ઉપર તુષ્ટમાન થયેલો છું. માટે જલ્દી તું બોલ તને મંત્ર આપું કે આ ચિત્રકુંભ આપું? તેથી દરિદ્રિયે વિચાર કર્યો કે ઘડો માંગુ કે મંત્ર માંગુ ને વિદ્યાનો અક્ષર ભૂલી જાઉ તો જે મંત્ર તે રદ થાય. ને કાંઈ વળે નહિ એવું ચિંતવી ઘડો માગ્યો સિદ્ધપુરૂષે આપ્યો. તે ચિત્ર ઘટને અંગીકાર કરી હૃદયમાં ચિંતવના કરે છે, કે તેવી લક્ષ્મી વડે કરીને શું ? કે જેને પામ્યા છતાં પણશત્રુનું અપકારીપણું થતું નથી, મિત્રનો ઉપકાર થતો નથી, કુટુંબ પોષણ થતું નથી,લોકોનો સત્કાર થતો નથી, માટે તે લઈને મારે ઘરે જવું સારું છે. બાદ તે ઘડો માથે મૂકી ઘરે ગયો લોકો તેનો પ્રથમ તિરસ્કાર કરતા હતા. પણ ચિત્રાકુંભસહિત દેખી આદરમાન દેવા લાગ્યા. તે દરિદ્રીએ પણ તેમના સમક્ષ પ્રતિદીન નવીન-ઘરભોગ સામગ્રી વિગેરે કરવા માંડ્યું, અને તમામ ભોગોપભોગ સામગ્રી કરી સુખે રહેવા લાગ્યો. એવી રીતે થોડા દિવસો મહાધનાઢય થયો. ભાઈઓ નહોતા પણ ભાઈઓ મલી ગયા, કુટુંબ પણ થયું,દ્રવ્યથી તમામ મળી ગયું. એકદા સારા પર્વને વિષે સ્વજનોને ભોજન કરવા નિમંત્ર્યા વિવિધ ખાન-પાનવડે કરી ભોજન કરાવ્યું. વસ્ત્રાલંકાર વડે ન ૮૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy