SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ કરી તૃપ્ત કર્યા. તે અવસરે સ્વજનવર્ગનાચવા માંડયા, તેથી ભાઈસાહેબ પણ ચિત્રઘટને પોતાના માથે સ્થાપન કરી નાચવા લાગ્યો અને નાચતાનાચતા હર્ષથી તાલીયો પાડતા ઘડો નીચે પડી જવાથી ફુટી ગયો. તેજ વખતે ગંધર્વનગ૨ના પેઠે સર્વ અલોપ થઇ ગયું. ઘડાના ભાંગવાથી પુન્ય પણ નષ્ટ થઇ ગયું. પાછા હતા એવા બંદા દરિદ્રી થઈ ગયા. તેથી લજ્જાથી ગામમાં રહી શકાયું નહિ. બાદ પરદેશ ગયો. ત્યાં ફરતા કુશાગ્ર દેશે મલ્લિનાથ મહારાજને દેખ્યા ત્યાં તેમની દેશના સાંભળી દીક્ષા લીધી. ચારેિત્ર પાલતા દ્વાદશાંગી ભણ્યો, કર્મક્ષીણ કરી, કેવળજ્ઞાન ઉપાર્જન કરી મોક્ષે ગયો. આ કથાનો સારાંશ એ છે કે માણસ ગમે તેવો દુ:ખી અગર સુખી હોય, પરંતુ સુખ દુઃખનું મૂળ કારણ પોતાના પૂર્વે ઉપાર્જન કરેલાં કર્મો જ છે. જ્યાં સુધી તે શુભાશુભ કર્મો ક્ષીણ ન થાય ત્યાં સુધી આત્માને અવ્યાબાધ મુક્તિના સુખો મળે નહિ. દેવ મનુષ્યોના સુખો પરિણામે વિનાશી છે, માટે જ તેને દૂર કરી અવિનાશ મુક્તિના સુખો મેળવવા ઉદ્યમ કરે-ત્યારે જ તે મળી શકે છે. દ્રવ્યમુગ્ધ ધારણ મુનિ ક્યા. દ્રવ્યની ભાવનામાં મુગ્ધ બનેલા ઉત્તમ ભાવનાથી યુક્ત થઇ મુક્તિ ગયેલા ધારણ મુનિ દ્રષ્ટાંત : धारणमुणी धणत्थी, सिद्धिसंपई मम प्रयच्छंतु । घोरे विय समसाणे, सिद्धिपत्तो स्तंते 118 11 ભાવાર્થ : હે ગુરૂ મહારાજ ! મને હાલમાં સિદ્ધિ આપો.આવા પ્રકારની ગુરૂ મહારાજ પાસે માગણી કરી ધનના અર્થી એવા ધારણ મુનિ ઘોર સ્મશાનને વિષે રાત્રિમાં સિદ્ધિને પામ્યા. જંબુદ્વિપના ભરતક્ષેત્રને વિષે મધ્ય ખંડે, વરૂણ નામનું નગર હતું, તે નગરનો સ્વામી પુન્યપાળ Jain Education International ૮૯ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy