SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ માણસ સૂર્યના કિરણોથી મસ્તકને વિષે પીડા ઉત્પન્ન થવાથી સંતાપને પામી પરદેશ જવાની ઇચ્છાને કરતો વગડામાં ગયો. ત્યાં પણ તાપથી પીડા પામી, છાયાવાળા પ્રદેશથી શોધખોળ કરતો વિધિના વશવર્તીપણાથી બીલીના ઝાડના નીચે જઈ પહોંચ્યો. ત્યાં પણ અભાગ્યના યોગે બીલાનું મોટું ફળ પડવાથી શબ્દના સાથે તેનું માથું ફુટી ગયું, જે માટે શાસ્ત્રકાર મહારાજાએ કહેલ છેકે ભાગ્યહીન માણસ જ્યાં જાય છે ત્યાં પ્રાયઃ કરીને આપત્તિ જ પામે છે. તેથી લોકોએ તેને ગામ બહાર કાઢયો. તે પૃથ્વીપીઠ ઉપર ફરતો ફરતો. રોહણાચળ પર્વત ઉપર ગયો. ત્યા ઘણી ખાણો ખોદતાં છતાં પણ કોઈ પણ નીકલ્યું નહિ, પરંતુકેવલ કાય કલેશ જ થયો. અને માનસિક દુઃખ થયું, કહ્યું છે કે – यत्र वा तत्र वा यातु, पाताले वा प्रगच्छतु । तथापि पूर्वाजीर्णानि, कर्माणि पुरतः प्रति ॥१॥ જ્યાં ત્યાં ગમે ત્યાં જાઓ, તથા પાતાલમાં પ્રવેશ કરો તો પણ પૂર્વ ઉપાર્જન કરેલો કર્મો જીર્ણ નહિ થવાથી, આત્મપ્રદેશથી નાશ નહિ પાવાથી માણસો જયાં જાય ત્યાં તેના આગળ જ તે કર્મો ચાલે છે. તેથી ત્યાંથી નિવર્તમાન થઈ દીન મુખવાળો અને દુષ્ટ કર્મોદયવાળો પરાભવ પામી વગડાને વિષે પરિભ્રમણ કરે છે. તેને કોઈ ભોજન આપવાને શક્તિમાન છે? એવું જોવાને માટે સૂર્ય પણ અસ્ત થઈ ગયો. હવે ફરતા ફરતા તેણે વગડામાં એક દેદીપ્યમાન દેવગૃહ દેખ્યું. તે મંદિરમાં દેદી પ્યમાન મનોહર ભદ્રિક આકારવાળો એક સિદ્ધ પુરૂષ રહેલો છે. તે એક ચિત્રકુંભની ફુલવડે કરીને પૂજા કરે છે. તેને દેખ્યો. તે અવસરે ફુલોથી પૂજાયેલા ઘડાયે ઘંટના રણકાર-શબ્દને કર્યો, ને સિદ્ધ પુરૂષે માગણી કરવાથી નવીન પ્રાસાદ કરી દીધો. ત્યાં દિવ્ય સ્ત્રીઓ પ્રગટ થઈ, ઉષ્ણ M૮૬ ~ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy