SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ વિગ. ૧. જે સદ્દગુરુની સેવા માટે દીક્ષા લે છે તે અવપાત પ્રવજ્યા કહેવાય છે, ૨. જે કહેવાથી દીક્ષા લે તે આખ્યાત પ્રવજયા કહેવાય છે, આર્ય રક્ષિતના ભાઈ ફલ્યુરક્ષિતની પેઠે, ૩ જે સંકેત કરીને દીક્ષા લે તે સંગર પ્રવજયા કહેવાય છે, ૪ પક્ષીયો પોતાના પરિવારાદિકનો વિયોગ થવાથી જેમ બીજા દેશમાં જઈ રહે છે તેમ જ દારિદ્રપણાથી પરાભવ પામી દીક્ષા લે છે તે વિહગ પ્રવજયા કહેવાય છે. જેમ દારિદ્રયથી હણાઈ ગયેલા ચિત્રકુંભ ધારક બ્રાહ્મણપુત્ર મલ્લિનાથજીનો શિષ્ય થયો તેવી રીતે તે કહે છે. શાલ્મલી ગામે ગોધન આરામે, ગોધન પોષક-કમઠ નામનો કૃષિબલ રહેતો હતો. તેને દરિદ્રની મઢીસમાન, કમઠી નામની સ્ત્રી હતી. તે એકદા સગર્ભા થઈ ગર્ભસ્થ જીવના અભાગ્યથી તુરત કમઠ મરણ પામ્યો. જન્મ સમયે કમઠી પણ મરણ પામી કુટુંબીલોકોએ બકરીનું દૂધ પાઈ (જાતમાતૃક) ઉછેર્યો. આઠ વર્ષનો થયો. આજીવિકા માટે લોકોની ગાયો, વાછરડા ભેંસો વિગેરે ચારે છે. વગડામાં કોઇક પ્રસ્તાવે નાહાર વાછરડાને ફાડી ખાવા માંડયો, તેથી તેના સ્વામી (ધણી) લોકોએ મારા મારી કાઢી મૂકયો. પગલે-પગલે માર ખાતો ડાંગરના ક્ષેત્ર વાલાએ રક્ષણ કરવા રાખ્યો. તેના ક્ષેત્રને વિષે હળથી ખેડે છે, શાલી વાવે છે. એક દાણો પણ ન થયો. જયાં જાય છે, ત્યાં અભાગ્યાના ઉદયથી અવળું જ થાય છે. જે માટે કહ્યું છે કે – खल्वाटो दीवसेश्वरस्य किरणैः संतापितो मस्तके, वांच्छन् देशमनातपं विधिवशात् बिल्वस्य मूलं गतः । तत्राप्यस्य महाफलेन पतताभग्नं सशब्दं शिर, प्रायो गच्छति यत्र भाग्यारहितस्तत्रैव यांत्यापदः ॥१॥ ભાવાર્થ : જેને માથે ટાલ પડી ગઈ છે. તેવો કોઈ નિર્ભાગી M૮૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy