SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ તેના ગળામાં નાખ્યો. અને પોતે કાગડાની પેઠે નાશી ગયો. કોટવાલ ચોરના પગલે પગલે ત્યાં આવ્યો. સાધુને ગળે હાર દેખવાથી તેને બાંધ્યો પ્રભાતે રાજાને નિવેદન કર્યું. રાજાએ નહિ જાણતા તે સાધુને શુલીએ ચડાવ્યો. તે અવસરે શુલી પુઠના હાડકાને ભેદી બહાર નીકળી. ને તે જ સમયે કેવળ જ્ઞાન થયું. અને મૌનપણું છોડ્યું. અહિં કર્મનો જ વિપાક છે, એમ બોલ્યા. અત એવ “એ” ઇતિ મન્નાક્ષર બીજને વિષે ભણે છે. પોતાનો પૂર્વ ભવ દેખ્યો. તેથી ગોકુળને વિષે પોતે પૂર્વભવે ગોપાળ હતો. એકદા વર્ષાકાળ આવ્યા ત્યારબાદ ગોવાળીઓ ઝાડ નીચે ગયો. ત્યાં જૂ પોતાના મસ્તકથી શરીર ઉપર પડી તેને બોરડીના કાંટા ઉપર ચડાવી બોલ્યો કે – અમારા દેહનું સર્વસ્વ રૂધિર પિનારી છે, તેથી શુળી ઉપર ચડવું પડયું .પછી બે ઘડીમાં અંતકૃત કેવળી થઈ મોક્ષે ગયા. કર્મનો વિપાક ઉત્કટ છે, એમ જાણી કર્મ કરતા પહેલાં વિચાર કરવાવાળા જીવો દુઃખદ અવસ્થાને પામતા નથી. આ ઉપરથી સમજવું કે-જિનતત્ત્વને વિષે કુશળ પણું હોય તો જ મુક્તિ આપનાર થાય છે. CT શ્રી મલ્લિનાથજી શિષ્ય દેટાંત O ઠાણાંગ સૂત્રને વિષે ચાર પ્રકારની પ્રવજયા કહેલી છે : - (૧) ઇહલોક પ્રતિબદ્ધા, (૨) પરલોક પ્રતિબદ્ધા, (૩) વિધાપિ પ્રતિબદ્ધા, (૪) અપ્રતિબદ્ધા, તેમાં ઈહલોકમાં પોતાનો નિર્વાહ કરવાની શક્તિ નહિ હોવાથી દીક્ષા લે તે ઇહલોક પ્રતિબદ્ધા. ૧ પરલોકમાં રાજય ઋદ્ધિ રમણીય કામભોગાદિકની પ્રાપ્તિ માટે દીક્ષા લે તે પરલોક પ્રતિબદ્ધા. ૨. ઈહલોક તથા પરલોકને માટે દીક્ષા લે તે દ્વિધાપિ પ્રતિબદ્ધા. ૩. કેવળ કર્મ ક્ષય કરવાને દીક્ષા લે તે અપ્રતિબદ્ધા કહેલ છે. તે દીક્ષા ૪ પ્રકારની છે - ૧ અવપાત, ૨ આખ્યાત, ૩, સંગર ૪. ८४ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy