SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ( શ્રીવિજયપત્રસૂરિકૃતહેતું નથી, તેથી ઉપશમ સમકિત અને ક્ષાયિક સમકિત એમ બે સમકિત હોય છે. પૂર્વે નહિ કરેલાં હેવાથી અપૂર્વ એવાં પાંચ વાનાં અહીં જીવ કરે છે. ૧ સ્થિતિઘાત, ૨ રસઘાત, ૩ ગુણણિ, ૪ ગુણસંક્રમ તથા ૫ અપૂર્વ બંધ આ પાંચ વાનાં અહીં જીવ કરે છે, તેથી આ ગુણસ્થાનકનું નામ અપૂર્વકરણ છે. આ ગુણસ્થાનકે વર્તતે જીવ ઉપશમ શ્રેણિ અથવા ક્ષપકશ્રેણિ શરૂ કરે છે. ઉપશમ સમકિતી તથા ક્ષાયિક સમકિતી ઉપશમશ્રેણિ શરૂ કરે છે અને ક્ષપકશ્રેણિ ક્ષાયિક સમક્તિી જ શરૂ કરે છે. આ ગુણસ્થાનકને જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્તને કાલ જાણ. ૯. અનિવૃત્તિ બાદાર સંપરાય ગુણસ્થાનક –આ ગુણસ્થાનકમાં વર્તનારા જીના પરિણામમાં નિવૃત્તિ એટલે ફેરફાર નહિ હોવાથી આનું નામ અનિવૃત્તિ કરણ કહેલું છે. આ ગુણસ્થાનકમાં પ્રથમ સમયે જે છે આવી ગયા, વર્તે છે, તેમજ ભવિધ્યમાં આવશે તે બધા જીવેને તે સમયે એક સરખે જ પરિણામ હોય છે. બીજે સમયે પ્રથમ સમય કરતાં અનંતગુણ વિશુદ્ધ અધ્યવસાય હોય છે, પરંતુ તે બીજે સમયે દરેક જીવને એક જ જાતને અધ્યવસાય હોય છે. આથી આ ગુણસ્થાનકના જેટલા સમય તેટલા જ અધ્યવસાય સ્થાન જાણવા. આ ગુણસ્થાનને કાલ પણ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત પ્રમાણ જાણ. આ ગુણસ્થાનકમાં બાદર કષાયને ઉદય હોવાથી અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનક કહ્યું છે. ૧૦. સૂફમ સંપરાય ગુણસ્થાનક –અહીં સંપાય શબ્દ ઉપરથી લેભ સમ જવો. સૂક્ષ્મ લેભને ઉદય હેવાથી સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનક કહ્યું છે. અહીં ઉપશમશ્રેણિવાળાને સંજવલન લેભ સિવાય બાકીની ૨૭ પ્રકૃતિએ ઉપશમેલી હોય છે અને ક્ષપક શ્રેણિવાળાને તેજ ૨૭ પ્રકૃતિઓને ક્ષય થયે હેય છે. આ ગુણસ્થાનકને કાલ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્તને જાણું. આ આઠમું નવમું અને દશમું ગુણસ્થાનક ઉપશમ શ્રેણિવાળાને શ્રેણિ ચડતાં તથા ઉપશમ શ્રેણિથી પડતાં એમ બે રીતે આવે છે. તેમાં શ્રેણિએ ચઢતાં પરિણામની વિશુદ્ધિ વધતી જાય છે અને પડતાં પરિણામની વિશુદ્ધિ ઘટતી જાય છે. આ ત્રણે ગુણસ્થાનને જઘન્ય કાલ જે એક એક સમયને કહ્યો છે તે ઉપશમ શ્રેણિમાં જે સમયે આ ગુણઠાણુને પશે અને તે જ સમયે મરણ થાય તે અપેક્ષાએ જાણવું. ક્ષપકશ્રેણિમાં તે મરણ થતું નથી, તેથી ક્ષપકશ્રેણિવાળાને તે એ દરેક ગુણસ્થાનકને કાલ એક એક અંતર્મુહૂર્ત પ્રમાણ જાણે. ૧૧. ઉપશાંત મેહ વીતરાગ ધસ્થ ગુણસ્થાનક -આ ગુણસ્થાનકે ઉપશમ શ્રેણિ કરનાર જીવ દશમાં ગુણસ્થાનકથી આવે છે. દશમે ગુણઠાણે સૂમ લેભને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005486
Book TitleDeshna Chintamani Part 06
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy