SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ( શ્રીવિજયપરસૂરિકૃતઆ કાલક્ષયે પતન પામનાર જીવ અનુક્રમે પડે છે એટલે ૧૧ મે ગુણસ્થાનકેથી ૧૦ મે ગુણથાનકે આવે છે, દશમે ગુણસ્થાનકેથી નવમે ગુણસ્થાનકે આવે છે. એ પ્રમાણે પડતે જીવ વચમાં અટકે નહિ તે છેવટે મિથ્યાત્વી પણ થાય છે. એટલે પહેલા મિથ્યાષ્ટિગુણસ્થાનકે પણ આપે છે. ૬૭ વીતરાગ દશાને પામેલા જીવ પણ પડે છે તે બીજાની શી ગણતરી ? તે સમજાવે છે – વીતરાગ દશા વરેલા જીવ પણ અરિત્રાસથી, જ્યારે પડે તો પરજને નીચા પડતા નિયમથી; ચેતનારા કષાયાદિક શત્રથી જ બચી શકે, ધર્મસાધન સાવચેતી જેહથી સ્થિરતા ટકે. સ્પષ્ટા --આ અગિયારમું ગુણસ્થાનક જેનું ઉપશાંત મોહ વીતરાગ છઘસ્થ ગુણસ્થાનક એવું નામ છે, ત્યાં વીતરાગ દશા રહેલી છે. જેમને રાગ દ્વેષને ઉદય નથી તે વીતરાગ કહેવાય છે. આવી વીતરાગ દશા પામેલા છે પણ અરિત્રાસથી એટલે રાગ દ્વેષ રૂપી અત્યંતર શત્રુઓથી પરાભવ પામીને પડે છે તે પછી બીજા સામાન્ય જને તે નિશ્ચ નીચા પડે તેમાં આશ્ચર્ય શું ? માટે જેઓ ચેતીને ચાલનારા છે તેઓ જ રાગ દ્વેષ રૂપ કષાય તેમજ પ્રમાદ વગેરે શત્રુઓથી બચી શકે છે. આ રાગ દ્વેષ રૂપી કષાને જીતવા બહુ મુશ્કેલ છે. પરંતુ તે રાગ દ્વેષ રૂપી શત્રુઓને જેઓએ સંપૂર્ણ ક્ષય કર્યો છે અથવા જડમૂળમાંથી જ ખપાવી નાખ્યા છે તેઓને આ શત્રુઓ કઈ પણ રીતે પાડી શકતા નથી. તેવા ક્ષીણમેહ વીતરાગી છે તે અવશ્ય તેજ ભવમાં મેક્ષે જાય છે, માટે આ રાગદ્વેષ રૂપી શત્રુઓથી પરાભવ પામવો ન પડે તે માટે ધર્મની સાધના સાવચેતી પૂર્વક કરવી જોઈએ, જેથી આત્મામાં સ્થિરતા ગુણ ટકી રહે અને મેહના ઉદયથી પતન થાય નહિ. (૨૧) ૬૮ સાસ્વાદનીનું સ્વરૂપ તથા કયા ગુણસ્થાનકમાં મરણ થાય અને ક્યા ગુણસ્થાનકમાં ન થાય તે જણાવે છે – સાસ્વાદની મિથ્યાત્વ ઉદયે જરૂર મિથ્યાત્વી બને, તૃતીય પંચમ આદિ એકાદશ તજી ગુણસ્થાનને જીવ પરભવ જાય વિગ્રહ ગતિ અને સિદ્ધત્વમાં, - ચતુર્થ પંચમ તૃતીય સમયે કેવલિ સમુદઘાતમાં. ૬૯ સ્પષ્ટ –પ્રશ્ન–સાસ્વાદન સમકિતી મિથ્યાત્વે જ શાથી જાય છે? ઉત્તર-સાસ્વાદન ગુણસ્થાનકે વર્તનારે જીવ મિથ્યાત્વને ઉદય થવાથી અવશ્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005486
Book TitleDeshna Chintamani Part 06
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy