SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ કc ૬૭ દેશનાચિંતામણિ ] સમકિત વમતાં જે જે મરણ પામે છે તે સાસ્વાદની કહેવાય છે. તેવા છો જ્યાં ઉત્પન્ન થાય ત્યાં સ્વયેગ્ય સર્વ પર્યાપ્તિએ અવશ્ય પૂરી કરે છે. અધૂરી પર્યાપ્તિમાં મરણ પામતા નથી. કારણ કે લબ્ધિ અપર્યાપ્ત છ બહુ સંકિલષ્ટ (પડતા) પરિણા મવાળા હોય છે. ૬૬ કયા સમક્તિ જીવને કેટલી વાર પ્રાપ્ત થાય છે, તે જણાવે છે – પરિણામ બહ સંકિલષ્ટ તેના ઉપજનાર ન તેહવા, એકવાર પમાય ફાયિક શેષ બેઉ ના તેહવા અગીયારમા ગુણઠાણથી આયુક્ષયે કાલક્ષયે, કષાયાદિક કારણે નિશ્ચય પતન અવધારિએ. સ્પષ્ટાર્થ—લબ્ધિ અપર્યાપ્તા જીવે અતિસંકિલષ્ટ પરિણામવાળા હોય છે, પરંતુ સાસ્વાદન સમકિતવાળા છે તેવા અતિસંકિલષ્ટ પરિણામવાળા દેતા નથી. માટે સાસ્વાદની છ લબ્ધિ અપર્યાપ્તપણે ઉત્પન્ન થતા નથી. (૧૯) પ્રશ્ન-કયું કયું સમક્તિ જીવને કેટલી વાર પ્રાપ્ત થાય? ઉત્તર–ત્રણ પ્રકારના સમક્તિ છે–૧ ઉપશમ ૨ ક્ષાપથમિક ૩ ક્ષાયિક. આ ત્રણ પ્રકારના સમતિમાંથી ક્ષાયિક સમકિત જીવને એક જ વાર થાય છે. આ સમકિત અને તાનુબંધી કષાયની ચેકડી, સમકિત મેહની, મિશ્રમેહની અને મિથ્યાત્વ મેહની એ સાત પ્રકૃ તિના ક્ષયથી ઉત્પન્ન થાય છે. આ સમકિત આવ્યા પછી જતું નથી, માટે તેને સાદિ અનંત કાલ કહ્યો છે. આ સમકિત થયા પહેલાં આયુષ્ય બાંધ્યું હોય તે તે જીવ ત્રણ કે ચાર ભવમાં અને આ સમકિત થયા પહેલાં આયુષ્ય ન બાંધ્યું હોય તે તેજ ભવમાં મેક્ષે જાય છે. બાકીના બે સમકિત આવીને જતાં પણ રહે છે, કારણ કે તે બંનેમાં મિથ્યાત્વમેહનીયની સત્તા રહેલી છે અને જ્યારે તેને ઉદય થાય છે ત્યારે જીવ સમકિતમાંથી મિથ્યાત્વમાં આવે છે. તેમાં ઉપશમ સમકિતને કાલ તે અન્તર્મુહૂર્તને જ હોય છે. અને ક્ષમશને ઉત્કૃષ્ટથી અસંખ્યા (સાધિક ૬૬ સાગરોપમ.) કાલ જાણ. (૨૦) પ્રશ્ન—ઉપશમણિમાં વર્તતે જીવ શા કારણથી પડે છે? ઉત્તર–અગિયારમા ઉપશાંતમૂહ નામના ગુણસ્થાનકથી જીવ અવશ્ય પડે છે. આ અગિયારમા ગુણસ્થાનકે ઉપશમ શ્રેણે કરનારે જીવ આવે છે. તે જીવ અહીંથી આગળ જઈ શક્તો નથી. પરંતુ ત્યાંથી તે અવશ્ય પડે છે. અહીં બે રીતે પતન થાય છે. આયુક્ષ અને કાલક્ષયે. તેમાં આયુક્ષયે એટલે આ ગુણસ્થાનકમાં આયુષ્ય પૂરું થાય છે તે જીવ મરીને વૈમાનિક દેવ થાય છે. અને ત્યાં અગિયારમા ગુણસ્થાનકથી સીધે થે ગુણસ્થાનકે આવે છે. બીજું કાલક્ષયે પતન થાય છે અને તે થવામાં કષાયાદિકને ઉદય કારણરૂપ છે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005486
Book TitleDeshna Chintamani Part 06
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy