SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ મદીયાત્મ દ્વારક, પરમપકારી, પરમગુરૂ, સુગહીતનામય, છે સ્વશ્રી ગુરૂ મહારાજના હસ્તકમલમાં સમર્પણ પૂજ્યપાદ પ્રાતઃ સ્મરણીય શ્રીગુરૂ મહારાજ! આપશ્રીજી મધુમતી (મહુવા) નગરીના રહીશ પિતાશ્રી દેવ ગુરૂ ધર્માનુરાગી શેઠ લક્ષમીચંદ અને માતુશ્રી દીવાલીબાઈના કુલદીપક પુત્ર હતા. અને વિ. સં. ૧૯૨ત્ની કાત્તિક સુદ એકમના જન્મ દિનથી માંડીને લગભગ સો વર્ષની નાની ઉંમરે સંસારને કડ ઝેર જે માનીને અગણ્ય સદગુણનિધાન પરમગુરૂ શ્રીવૃદ્ધિવિજયજી (શ્રીવૃદ્ધિચંદ્રજી) મહારાજજીની પાસે ભાવનગરમાં વિ. સં. ૧૮૪૫ ના જેઠ સુદ સાતમે સિંહની પેઠે શૂર વીર બનીને પરમ કલ્યાણકારી અને હૃદયની ખરી બાદશાહીથી ભરેલી પ્રવજ્યા (દીક્ષા)ને પૂરેપૂરા ઉલ્લાસથી ગ્રહણ કરીને સિંહની પેઠે શૂરવીર બનીને સાધી હતી. અને આપશ્રીજી એ અગાધ બુદ્ધિબલથી જલદી સ્વર સિદ્ધાંતને ઊંડો અભ્યાસ કર્યો હતે, તથા ન્યાય વ્યા. કરણાદિ વિવિધ વિષયના પુષ્કલ વિશાલ ગ્રંથની રચના કરીને સુંદર સાહિત્ય સેવા કરવા ઉપરાંત અપૂર્વ દેશના શક્તિના પ્રભાવે અભક્ષ્યરસિક, ઉન્માર્ગગામી અગણ્ય મહારાજાદિ ભવ્ય અને સદ્ધર્મના રસ્તે દેરીને હદપાર ઉપકાર કર્યો હતો. તેમજ આપશ્રીના અગણ્ય સદ્દગુણેને જોઈને મોટા ગુરૂભાઈ, ગીતાર્થ શિરોમણિ, શ્રમણૂકુલાવતં સક, પરમપૂજ્ય પંન્યા. સજી મહારાજ શ્રીગંભીરવિજયજી ગણિવરે તમામ સિદ્ધાંતની કહાદિક ક્રિયા વગેરે યથાર્થ વિધાન કરાવીને મહાપ્રાચીન શ્રી વલભીપુર (વળા) માં આપશ્રીજીને વિ. સં. ૧૯૬૦ ના કારતક વદી સાતમે ગણિપદથી અને માગશર સુદ ત્રીજે પન્યાસપદથી વિભૂષિત કર્યા હતા. અને શ્રીભાવનગરમાં વિ.સં. ૧૯૬૪ ના જેઠ સુદ પાંચમે તપાગચ્છાધિપતિ ભટ્ટારક આચાર્ય પદથી અલંકૃત કર્યા હતા. તેમજ આપશ્રીજી રત્નની ખાણ જેવા શ્રીસંઘની અને તીર્થાદિની સેવા પૂરેપૂરા ઉલ્લાસથી કરતા હતા. તેમજ આપશ્રીજીના અમેઘ ઉપદેશથી દેવગુરૂ ધર્માનુરાગી સંઘવી શેઠ માણેકલાલ મનસુખભાઈ ભગુભાઈ વગેરે ઘણએ ભવ્ય છએ છરી પાલતાં વિશાલ સંઘ સમુદાય સહિત તીર્થાધિરાજ શ્રી શત્રુંજયાદિ મહાતીર્થની યાત્રા અંજનશલાકા વિગેરે ઉત્તમ ધાર્મિક ક્ષેત્રોમાં લક્ષમીને સદુપયોગ કર્યો હતું. તેમજ આપશ્રીજીએ મારા જેવા ઘણુએ ભવ્ય જીવોની ઉપર શ્રી જિનેન્દ્રી દીક્ષા દેશવિરતિ વગેરે મેક્ષના સાધને દઈને કદી પણ ન ભૂલી શકાય તેવા અનહદ ઉપકારો કર્યા હતા. આવા કેત્તર ગુણેથી આકર્ષાઈ અને આપશ્રીએ મારી ઉપર કરેલા અનન્ત ઉપકારને યાદ કરીને આપશ્રીના પસાયથી બનાવેલ આ શ્રી દેશના ચિંતામણિ નામના સાર્વજનિક સરલ મહાગ્રંથને છઠ્ઠો ભાગ પરમ કૃપાલું આપશ્રીજીના કરકમલમાં સમપીને મારા આત્માને ધન્ય કૃતાર્થ માનું છું, અને નિરંતર એજ ચાહું છું કે આપશ્રીના પસાયથી (૧) પ્રાકૃત સંસ્કૃત ગુજરાતી વિગેરે ભાષામાં આવા સાર્વજનિક સરલ ગ્રંથની રચના કરીને શ્રી સંઘાદિ પવિત્ર ક્ષેત્રોની ભક્તિ કરવાને શુભ અવસર (૨) આપશ્રી જી જેવા ગુરૂદેવ (૩) શ્રી જૈનેન્દ્ર શાસનની સેવા (૪) નિમલ નિર ભિલાષ સંયમ જીવન (૫) પરોપકાર વિગેરે સંપૂર્ણ આત્મરમણતાના સાધને મને ભવે. ભવ મળે. એ નિવેદક આપશ્રીજીના ચરણકિંકર નિર્ગુણ વિયાણ પદ્યની વંદના છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005486
Book TitleDeshna Chintamani Part 06
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy