SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ છે. છેલ્લા ૪ (૨૩૫-૨૩૮) લેકેમાં ગ્રંથ સમાપ્તિ કાળ, ગ્રંથરચના સ્થળ, ભૂલની ક્ષમા, વગેરે બીના જણાવી ગ્રંથ (દ્દો ભાગ) પૂર્ણ કર્યો છે. આ રીતે આ છો ભાગ પૂરો થયા પછી મેં બનાવેલા “શ્રી સ્તંભનપાર્શ્વબ્રહકલ્પ” નામના પ્રાકૃત ગ્રંથને અનુવાદ દાખલ કર્યો છે. તે ૧૬૩મા પાનાથી ૧૯૦મા પાન સુધીના ૨૭ પાનામાં પૂર્ણ થાય છે. તેમાં ૧ આ શ્રી સ્તંભન પાર્શ્વનાથની પ્રતિમા કેણે ભરાવી? ૨ કયા કયા છએ કેટલા કાલ સુધી આ પ્રતિમાની પૂર્ણ ઉલ્લાસથી પૂજા કરીને કેવા કેવા લાભ મેળવ્યા? ૩ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ ભગવંતે ક્ષાયિક સમ્યગ્દષ્ટિ શ્રી કૃષ્ણ વાસુદેવને કહ્યું કે—મારા નિર્વાણ કાલથી ૮૩૭૫૦ વર્ષો વીત્યા બાદ શ્રી પાર્શ્વનાથ નામના ૨૩ મા તીર્થંકર થશે. અહીં જણાવેલા ૮૩૭૫૦ વર્ષે કઈ રીતે ઘટી શકે? ૪ નાગાર્જુન યેગી દેણ હતો? પપાદલિપ્તસૂરિજી કોણ હતા ? હું તેમનું જીવન. ૭ આચાર્ય શ્રી અભયદેવસૂરિ અને સ્તંભન પાર્શ્વનાથ-શ્રી અભયદેવસૂરિ મહારાજે પ્રકટ પ્રભાવી-પુરુષાદા નીય શ્રી પાર્શ્વનાથ પ્રભુના નિલમ મણિમય બિંબને કોના આદેશથી ક્યા સ્થલમાંથી કઈ રીતે પ્રકટ કર્યું ? ૮ તે શ્રી અભયદેવસૂરિ મહારાજે શ્રી સંઘની આગળ જણાવેલ આ પ્રતિમાને ઈતિહાસ. ૯ આ બિંબના હવણજલથી સૂરિજી કઢ રોગ નાશ પામ્યો. ૧૦ જયતિહઅણુ ઑત્રની ઉત્પત્તિ કઈ રીતે કેવા પ્રસંગે થઈ. ૧૧ વિ. સં. ૧૩૬૮ માં ખંભાતમાં આ પ્રતિમાજી લાવ્યા, તે પછીના સમયથી માંડીને વિ. સં. ૧૯૮૪ ફાગણ સુદ ત્રીજે નવીન મંદિરમાં મારા પર પકારી શ્રી ગુરૂમહારાજના હાથે શ્રી સંઘે પ્રતિષ્ઠા કરાવી ત્યાં સુધીની બીના. વચલા કાલમાં થયેલી પ્રતિમાનું અપહરણ, કરેલા પ્રયત્નના પરિણામે પ્રતિમાને પત્તે કઈ રીતે લાગે? આ બધા પ્રશ્નોના સ્પષ્ટ ખુલાસા આ શ્રી સ્તંભન પાર્શ્વબ્રહલ્ક૫માં જણાવ્યા છે. તે ઉપરાંત પ્રાસંગિક અનેક વૃત્તાંતે પણ વર્ણવ્યા છે તે પછી શ્રી સ્તંભપ્રદીપ દાખલ કર્યો છે. તેમાં પાંચ ઢાળ છે. ૧ પહેલી ઢાળમાં પ્રભુનું બિંબ ઇંદ્રવિમાને કેટલે કાલ રહ્યું વગેરે બીના જણાવી છે. ૨ બીજી ઢાળમાં સાગરદત્ત શેઠને કઈ રીતે પ્રતિમા મળ્યા, તેના પ્રતાપે નાગાર્જુન એગીએ સુવર્ણસિદ્ધિ મેળવી વગેરે બીના જણાવી છે. ૩-૪ ત્રીજી ચેથી ઢાળમાં પ્રભુ શ્રી સ્તંભન પાર્શ્વ નાથના બિંબને પ્રકટ કરવાની બાબતમાં બે મતનું નિરૂપણ કર્યું છે. ૫ પાંચમી ઢાળમાં પ્રભુ શ્રી પાર્શ્વનાથને પરિચય થયા પછી ભક્તજનના હર્ષોલ્ગાર (હર્ષમાં આવીને કરેલ સ્તુતિવચને) વર્ણવ્યા છે. મેં વિ. સં. ૧૯૭૯ શ્રાવણ સુદ અગીયારસે શ્રી સ્તંભતીર્થમાં આ શ્રી સ્તંભપ્રદીપની રચના કરી વગેરે બીના આ પાંચ ઢાળના મોટા સ્તવનમાં વર્ણવી છે. પછી મેં પ્રાકૃતમાં રચેલા અનુક્રમે (૧) મહાચમત્કારી પ્રભુશ્રી માણિજ્યદેવ, (૨) શ્રી અધ્યાનગરી, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005486
Book TitleDeshna Chintamani Part 06
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy