SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ( શ્રીવિજયપધસૂરિકૃતઋષભદેવ પ્રભુથી માંડીને મહાવીર સ્વામી સુધીના દરેક તીર્થકરેએ બાર માસના નપથી માંડીને છ મહિનાના ત૫ સુધીની તપસ્યા કરી છે, અને તેને અદ્દભુત લાભ જાણીને તે તારક દેવાધિદેએ ભવ્ય જીના હિતને માટે તપ કરવાનું જણાવ્યું છે, કારણ કે તપથી દ્રવ્ય લક્ષમી તથા ભાવ લક્ષ્મી એમ બંને પ્રકારની લક્ષ્મી મળે છે. ભવની પરંપરાને નાશ થાય છે, અનેક પ્રકારના રોગે મૂળમાંથી નાશ પામે છે, ઈષ્ટ પદાર્થો પણ મળે છે. દેવતાઓ પણ તપના પ્રભાવથી આકર્ષાય છે, મદદ કરે છે, વંદન પૂજન કરે છે. તપસ્યા કરવાથી કામ વિકારોનું તોફાન શાંત થઈ જાય છે. આ વાતને લક્ષ્યમાં રાખીને મોક્ષની ઈચ્છાવાળા ભવ્ય જીવેએ જરૂર તપનું સેવન કરવું જોઈએ અને એમ કરવાથી જ અસાર દેહમાંથી સાર ગ્રહણ કર્યો કહેવાય. દેહને સ્વભાવ સુકાવાને છે જ. તપથી સૂકાય એમાં એકાંત લાભ જ છે, તેમ ન કરીએ તે રોગથી સૂકાય, એમાં જરા પણ લાભ નથી. તપથી ભાવી રોગ પણ જરૂર અટકી જાય છે. " શ્રી ઋષભદેવ પ્રભુના શાસનમાં ઉત્કૃષ્ટ એક વર્ષ સુધીને તપ તથા શ્રી વર્ધમાન સ્વામીના શાસનમાં ઉત્કૃષ્ટ છ માસ સુધી અને વચલા બાવીશ તીર્થકર દેના શાસનમાં ઉત્કૃષ્ટ ૮ માસ સુધી (અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ચાર પ્રકારના આહારને ત્યાગ કરવા રૂ૫) તપ થતો હતો. આવી શુભ ભાવનાથી આત્માર્થી ભવ્ય એ પિતાની શક્તિના પ્રમાણમાં જરૂર તપસ્યા કરવી જ જોઈએ. પરમ તારક તીર્થકર દેએ ભવ્ય જીના હિતને માટે છ પ્રકારને બાહા તપ અને આ પ્રકારને અત્યંતર તપ કહ્યો છે. તેમાં ૧ અનશન, ૨ ઉદરિકા, ૩ વૃત્તિઓ ક્ષે૫, ૪ રસત્યાગ, ૫ કાયકલેશ અને ૬ કાયસંલીનતા એ નામથી છ પ્રકારને બાહ્ય તપ જાણ. ૧ પ્રાયશ્ચિત, ૨ વિનય, ૩ વિયાય ૪ સ્વાધ્યાય, ૫ ધ્યાન અને ૬ કયોત્સર્ગ એ પ્રમાણે છ પ્રકારને અભ્યત્તર તપ જાણવે. તેમાં આ પ્રકારને બાહ્ય તપ તે વિનયાદિ અભ્યન્તર તપની પુષ્ટિને માટે ભગવંતે કહે છે. માટે બાહ્ય તપનું સેવન કરતાં પણ વિનયાદિક અભ્યન્તર તપગુણની પુષ્ટિ થાય તે તરફ ધ્યાન રાખવાની ખાસ જરૂર છે. તપસ્યા કરનારનાં દષ્ટાંત. તપ વડે સુવર્ણ પુરુષાદિકઈષ્ટ પદાર્થોનો લાભ થાય છે. અહી નાગાર્જુનનું દિષ્ટાંત જાણવું, તપ વડે ચિલાતીપુત્રાદિકના દષ્ટાંતે ભવ સંતતિને પણ ક્ષય થાય છે. તપને પ્રભાવ ખરેખર અચિત્ય છે. જુઓ આયંબિલ તપથી શ્રી સિદ્ધચક્રનું (નવપદનું) આરાધન કરવાના પ્રભાવે શ્રીપાલ મહારાજાને કેદ્ર રોગ નાશ પામે અને શરીર સેના જેવું બની ગયું, તેમજ પિતાનું ગએલું રાજ્ય ફરીથી મળ્યું તથા બીજી પણ અનેક પ્રકારની ઋદ્ધિએ પામ્યા. તેમની સાથે રહેનારા સાતસે કેઢિીયાઓને રેગ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005486
Book TitleDeshna Chintamani Part 06
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy