________________
ચંપાપુરી મહિમા ]
૨૧ ચંદનબાળાનું પ્રભુ શ્રી મહાવીરને દાન
રાજા દધિવાહનની પુત્રી ચંદનબાલાને જન્મ પણ આ પ્રસ્તુત નગરીમાં થયે હતે. જે ચંદનબાલાએ કોસાંબી નગરીમાં પ્રભુ શ્રી મહાવીર દેવને, પાંચ મહિના અને પચીસ દિવસ સુધીની ઘોર તપશ્ચર્યાના અંતે, સૂપડાના ખૂણામાં રહેલા અડદના બાકલા હેરાવી, પ્રભુને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને અનુસરતે અભિગ્રહ પૂર્યો હતે. ચંદનબાલાને સંયમની પ્રાપ્તિ અને કેવલજ્ઞાનને લાભ, એ બેમાં બીજા કારણોમાં મૂલ કારણ આ દાન જ છે. પ્રભુ શ્રી મહાવીરદેવનું ચાતુર્માસ :
પ્રભુ શ્રી મહાવીરદેવે દીક્ષાના દિવસથી માંડીને ૭૨ વર્ષની ઉંમરમાં ૪૨ માસાં જુદા જુદા સ્થળે કર્યા, તેમાં આ શ્રી ચંપાપુરીનું પણ નામ આવે છે. જુઓ–૧ અસ્થિક કામમાં, ૩ પૃષચંપા સહિત ચંપાપુરીમાં, ૧૨ વૈશાલી નગરી અને વાણિજ્ય ગ્રામમાં, ૧૪ નાલંદા અને રાજગૃહ નગરમાં, ૬ મિથિલા નગરીમાં ૨ ભદ્રિકા નગરીમાં, ૧ આલંભિક નગરીમાં ૧ પ્રણીતભૂમિમાં, ૧ શ્રાવસ્તિ નગરીમાં અને ૧ મધ્યમ અપાપા નગરીમાં. રાજા કેણિકને ચંપાપુરી સાથે સંબંધ
રાજા કણિકનું બીજું નામ અશચંદ્ર હતું. પિતા શ્રેણિકના મરણ નિમિત્તે ઘણે દિલગીર થવાથી તેણે રાજગૃહીની રાજધાની ફેરવી પાછળથી (પિતાના મરણ બાદ) આ
શ્રી ચંપાનગરીને રાજધાની બનાવી હતી. સંભવ છે કે-અહીં સુંદર ચંપક વૃક્ષો વધારે પ્રમાણમાં હોવાથી આ નગરી ચંપાનગરીના નામથી પ્રસિદ્ધિ પામી હોય. સૂત્રોમાં પણ અનેક સ્થળે શ્રીસુધર્માસ્વામીની વાચનાના પ્રસંગમાં, રાજા કેણિકનું અને ચંપાનગરીનું વર્ણન આવે છે. દાનેશ્વરી રાજા કર્ણની નગરી :
પાંડુ રાજાના વંશમાં થયેલ, મહાદાનેશ્વરી શ્રી કરાજા પણ પૂર્વે આ નગરીમાં રાજ્ય કરતા હતા. તેમણે તૈયાર કરાવેલી શંગાર ચતુરિકા (શૃંગારચોરી) વગેરે ઉત્તમ પદાર્થો (સ્થાને) હાલ પણ નગરીની શોભામાં વધારો કરી રહ્યાં છે. શારામાં જેમ યુદ્ધવીર તરીકે રામ, દયાવીર તરીકે શ્રી શાંતિનાથ ભગવાન અને તપાવીર તરીકે શ્રી ઋષભદેવ આદિનાં નામે પ્રસિદ્ધ છે, તેમ દાનવીરમાં કર્ણ રાજાનું નામ પહેલે નંબરે આવે છે. સુદર્શન શેઠના શીલનું માહાસ્ય :
આ નગરીના રાજા દધિવાહનને અભયા નામની રાણી હતી. તે નિમલ સમ્યગ્દષ્ટિ શેઠ સુદર્શનનું ભવ્ય રૂપ જોઈ મહિત થઈ અને શેઠને ચલાયમાન કરવાને ઘણે પ્રયત્ન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org