SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ અક્ષય તૃતીયા अनादरो विलंबश्च, वैमुख्यं विप्रियं वचः। पश्चात्तापश्च पंचामी, सदानं दृपयंत्यमी ॥१॥ બાનન્યાશક્તિ રામાન્ન, વ૬માને બિયે વવા किंचानुमोदना पात्र-दानभूषणपंचकम् ॥ २ ॥ ત્રણે કાલના તીર્થંકરની માફક શ્રી ઋષભદેવ પણ કરપાત્રલબ્ધિવંત લેકેદાર પુરૂષ હતા. તેથી પ્રભુએ ૧૦૮ ઘડા પ્રમાણુ રસ વહેર્યો છતાં લબ્ધિના પ્રભાવે એક બિંદુ પણ નીચે ન પડ્યું. દાન-મહિમા પણ જુઓ ! લેનાર–-પ્રભુના હાથ નીચે, અને દેનાર-~ભવ્યના હાથ ઉપર આવે. દાન એ ગ્રાહક, દાયક અને અનુમોદક (એ ત્રણે)ને તારનાર હવાથી ચાર પ્રકારના ધર્મ માં દાનને પ્રથમ કહેલ છે. રત્નપાત્ર સમા પ્રભુને દાન દેતાં શ્રેયાંસકુમારના હર્ષને પાર ન રહ્યો. આ પ્રસંગે દેવે પણ ભકિતને પ્રસંગ સાચવવા રૂપ વિવેકને ભૂલતા નથી. તેઓ પંચ દિવ્ય પ્રગટ કરે છે. તે આ પ્રમાણે–૧ અહેદાન! અહાદાન! એવી ઉદ્દઘાપણું કરે છે. ૨ દુંદુભિ વગાડે છે. ૩ તીર્થકર પ્રભુના પ્રથમ પારણે સાડાબાર કરોડ અને તે પછીના પારણાઓમાં સાડાબાર લાખ સેનિયા રત્નની વૃષ્ટિ થાય છે, એ નિયમ પ્રમાણે તિર્યજાભગ દવેએ ૧ર કરોડ સોનિયા રત્નની વૃષ્ટિ કરી. દેવેએ દેવતાઈ વાજિંત્રો વગાડ્યાં. ૫ દેવે એકઠા થયા અને વસ્ત્ર, સુગંધી જલ, પુષ્પાદિની વૃષ્ટિ કરી. શ્રેયાંસનું ઘર સુવર્ણાદિથી ભરાઈ ગયું, અને ત્રણે ભુવનમાં ધાન્યાદિની નિષ્પત્તિ થઈ પ્રભુને હાથ રસથી ભરાયે અને ત્રણે ભુવનમાં શ્રેયાંસને યશ ફેલાયે. શ્રેયાંસકુમાર નિરૂપમ સુખના ભાજન બન્યા. કહ્યું પણ છે કે – भवणं धणेण भुवणं, जसेण भयवं रसेण पडिहत्थे । अप्पा निरुवमसुक्ख, सुपत्तदाणं महग्धवियं ॥१॥ સુવર્ણપાત્ર સમાન મુનિવરને દાન દેતાં અનેક રીતે લાભ થાય છે – તે પછી રત્નપાત્ર સમાન તીર્થકરને દાન દેનાર ભવ્ય જીવ વિશેષ લાભ પામે, એમાં નવાઈ શી? દાયકના છ મહિનાના રોગો દૂર થાય, અને તે ભવમાં અથવા જરૂર ત્રીજે ભવે તે દાયક ભવ્ય મુક્તિ પામે જ. શ્રેયાંસકુમારે આ પ્રકારનું મહાપ્રભાવશાલી સુપાત્ર દાન દીધું, જેથી તે અક્ષય સુખ પામ્યા. આ મુદ્દાથી એને સામાન્ય ત્રીજ ન કહેતાં અક્ષય ત્રીજ કહેવામાં આવે છે. પ્રભુ એ આ દિવસે ઈક્ષરસનું પારણું કર્યું તેથી તે ઈશુતૃતીયા પણ કહેવાય છે. ૧. શાસ્ત્રમાં-રત્નપાત્ર સમાન તીર્થકર અને સાભિલાષ હેવાથી મુનિવરેને સુવર્ણપાત્ર સમાન– તથા શ્રાવકને રૂપાત્ર સમાન કહ્યા છે. ૨૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005486
Book TitleDeshna Chintamani Part 06
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy