SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ] ૧૧૯ - સ્પષ્ટાર્થી--પ્રથમના બે કર્મ એટલે જ્ઞાનાવરણીય કર્મ અને દર્શનાવરણીય કર્મ તથા ત્રીજું વેદનીય કર્મ અને ચોથું અંતરાય કર્મ એમ કુલ ચાર કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કડાકડી સાગરોપમ પ્રમાણ જાણવી. તથા મેહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તેર કડકડી સાગરોપમ પ્રમાણ જાણવી. હવે પ્રથમ ગણવેલા ચાર કર્મોની ત્રીસ કેડાછેડી સાગરોપમ સ્થિતિ છે. તેથી ચારે કર્મને ત્રીસ શતક અથવા ત્રણ હજાર વર્ષને ઉત્કૃષ્ટ અબાધાકાલ જાણુ. મેહનીયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કેડાછેડી સાગરોપમ પ્રમાણ છે, તેથી સિત્તેર શતક અથવા સાત હજાર વર્ષ પ્રમાણે ઉત્કૃષ્ટ અબાધા કાલ જાણ. નામ કર્મ અને ગોત્ર કમ એ બે કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કેડીકેડી સાગરમપ પ્રમાણ છે, તેથી તે બે કર્મોને ઉત્કૃષ્ટ અબાધા કાલ વીશ શતક અથવા બે હજાર વર્ષ પ્રમાણ જાણ. આયુષ્ય કમની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમ પ્રમાણ છે, પરંતુ આયુષ્ય કને અબાધા કાલ ચાલુ ક્રમે એટલે ઉત્કૃષ્ટ સ્થિતિને અનુસરે નક્કી કરાતો નથી, પણ તે આયુષ્ય કર્મને અબાધા કાલ જાણવા માટે બહુ જ જરૂરી ચાર ભાંગાની બીના આ પ્રમાણે જાણવી – ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અને ઉત્કૃષ્ટ અબધા કાલ, ૨ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અને જઘન્ય અબાધા કાલ, ૩ જઘન્ય સ્થિતિબંધ અને ઉત્કૃષ્ટ અબાધા કાલ, ૪ જઘન્ય સ્થિતિબંધ અને જઘન્ય અબાધા કાલ. આ ચાર ભાંગાની સમજુતી ટૂંકામાં આ પ્રમાણે જાણવી –ચાલુ ભવના આયુષ્યના (ત્રીજો ભાગ વગેરે) નિયત કાલે આગામી પરભવનું આયુષ્ય બંધાય તે વખતે, વર્તમાન ભવનું આયુષ્ય જેટલું બાકી હોય તે જ (વર્તમાન ભવના આયુષ્યના છેલા વિભાગ રૂ૫) આયુષ્ય કમને અબાધા કાલ જાણ. આ છેલા વિભાગના વર્ષાદિકના પ્રમાણની હીનાધિકતાદિ કારણેથી પૂર્વોકત ચાર ભાગા સંભવે છે. તેમાં કઈ જીવ આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે છતાં અબાધા કાલ જઘન્ય પણ હોય છે, અહીં આયુષ્ય કર્મના બંધમાં જઘન્ય ઉત્કૃષ્ટ અબાધા કાલ થવામાં ધ્યાનમાં રાખવા લાયક મુદ્દો એ છે કે તે જીવ પરભવનું આયુષ્ય ક્યારે બાંધે છે.” તેના આધારે જઘન્યાદિ અબાધા કાલને ચોક્કસ નિર્ણય થઈ શકે છે. ' હવે પ્રથમ ભાગ–ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ અને ઉત્કૃષ્ટ અબાધા કાલ તે–આ પ્રમાણે ઘટા -કોઈ મનુષ્યનું પૂર્વ કોડ વર્ષનું આયુષ્ય છે તે જીવ જે સૌથી વહેલામાં વહેલું આયુષ્ય બાંધે તે બે તૃતીયાંશ પૂર્વડ વર્ષે (પૂર્વડ વર્ષોના કરેલા ત્રણ ભાગમાંના બે ભાગ) ચાલ્યા જાય ત્યારે અથવા એક તૃતીયાંશ પૂર્વકૅડ વર્ષો બાકી હોય ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે તેથી તે છેલ્લે બાકી રહેલ એક તૃતીયાંશ પૂર્વોડ વર્ષ પ્રમાણ જેટલું ઉત્કૃષ્ટ અબાધા કાલ જાણ. હવે તે જીવે જે તે વખતે (પૂર્વોક્ત કાલે) તેત્રીસ સાગરોપમ પ્રમાણે ઉત્કૃષ્ટ આયુષ્ય બાંધ્યું હોય તે તેથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005486
Book TitleDeshna Chintamani Part 06
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy