SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ નેશનાચિંતામણિ ] ૧૦૭ આવે છે. ઉપશમ સમકિતમાંથી સાસ્વાદન સમકિત થવાનું કારણ એ છે કે ઉપશમ સમતિના કાલમાં પ્રથમ કષાય એટલે અનંતાનુબંધી કષાયને જે ઉદય થાય છે તે જ કારણ છે. આનું રહસ્ય એ છે કે–મિથ્યાત્વને ઉદય થવામાં તે વખતે છ આવતી કાલ બાકી હેય છે અને જ્યારે તે છ આવલિકાને કાલ પૂરે થાય છે ત્યારે તેને મિથ્યાત્વ મોહનીયનો ઉદય થાય છે તેથી તે નિશ્ચયે મિથ્યાત્વી થાય છે. આ પ્રસંગમાંથી બેધ એ મળે છે કે જેઓ મોહને વિશ્વાસ કરતા નથી તેઓ સુખી થાય છે. (૬૯) ૧૨૯ અસ્તિકા આવ ત્રણ ત્રણ દર્શને જીવ કાળને, એ આઠ અપદગલિક અર્થે ગગન ધમધર્મને, અપીગલિક અરૂપિભાવે તેમ જીવને કાળને, અનુદયાદિક હેતુ જાણે ક્ષાયિકાદિક દર્શને. સ્પષ્ટાર્થ –પ્રશ્ન–અપગલિક પદાર્થો કયા કયા? ઉત્તર–પ્રથમના ત્રણ અસ્તિકા એટલે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, અને આકાશાસ્તિકાય એ ત્રણ તથા ત્રણ દર્શને એટલે ક્ષાયિક સમકિત, ઔપથમિક સમતિ અને સાસ્વાદન સમકિત તથા જીવ અને કાળ એમ આઠ પદાર્થો અપૌગલિક જાણવા. તેમાંથી આકાશાસ્તિકાય, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય, જીવ અને કાલ એ પાંચ દ્રવ્ય અરૂપી હેવાથી અપૌદ્ગલિક જાણવા. પુદ્ગલ દ્રવ્ય રૂપી છે માટે જે રૂપી હોય અથવા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ સહિત હાય તે પૌગલિક જાણવા. તથા ક્ષાયિક સમક્તિ, પથમિક સમકિત અને સાસ્વાદન સમકિત એ ત્રણ સમકિતને વિષે મિથ્યાત્વ મોહન નિયાદિ પ્રકૃતિને ક્ષય તથા ઉદયને અભાવ વિગેરે કારણે ઘટતા રહેવાથી અપદુગલિક કહ્યા છે. આ રીતે કહેવાનું રહસ્ય એ છે કે–અનંતાનુબંધી કષાયાદિ સાતે પ્રકૃતિને સર્વથા ક્ષય કરેલ હેવાથી ક્ષાયિક સમ્યકત્વને અપોઇંગલિક કહ્યું છે. ઔપશમિક તથા સાસ્વાદન સમ્યકત્વને પણ અપોગલિક સમજવું. કારણ કે અહીં ઔપશમિક સમ્યકત્વમાં અનંતાનુબંધિ ચતુષ્ક આદિ સાતે કર્મ પ્રકૃતિને બીલકુલ ઉદય છે જ નહિ, ને સાસ્વાદન સમ્યકત્વમાં મિથ્યાત્વને રસોઇયાદિ નથી, માટે તે બંને સમ્યકત્વને અપોદ્દગલિક કા છે. (૭૦) ૧૩૦ મુનિની મહત્તા ભરત ચક્રવર્તીના દષ્ટાંત પૂર્વક બે ગાથામાં જણાવે છે – પુણ્યશાળી ભરચકી આરિણાભુવને રહા, અનિત્યતાને ભાવતા નિમેહ થઈ કેવલ લહ્યા; શેષ આયુ લાખ પુરવ છે હજુ ઇમ જાણતા, | મુનિવેષધારી એ બન્યા તે ઇંદ્ર આદિક વાંદતા. ૧૩૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005486
Book TitleDeshna Chintamani Part 06
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy