SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ દેશના ચિંતામણિ 1 સ્પષ્ટાથ–પ્રશ્ન :–સાચું સુખ કયું કહેવાય? ઉત્તર –જે સુખમાં જરા પણ દુઃખને અંશ હેત નથી, તેજ સાચું સુખ જાણવું. એટલું જ નહિ પણ જે સુખ કાયમ ટકી રહે અથવા જે સુખ મળ્યા પછી કદાપિ તે સુખને અંત આવતું નથી (નાશ થતો નથી, પરંતુ જે સદાકાળ ટકી રહે છે તેજ સાચું સુખ છે. બીજા સાંસારિક સુખે મોડાં વહેલાં નાશ પામે છે. જે સાચું સુખ છે તે તે કદાપિ નાશ પામતું નથી, પરંતુ હંમેશને માટે કાયમ રહે છે. વળી આવા શાશ્વત સુખથી બીજું કઈ પણ ચઢીયાતું સુખ આ સંસારમાં મળી શકતું નથી. વળી જે સુખ મળ્યા પછી બીજા સુખ માટે કદાપિ ઈચ્છા થતી નથી તેવા પ્રકારનું સુખ સિદ્ધના જી પામ્યા છે. તે જ સાચું સુખ જાણવું. આવા પ્રકારના સાચા સુખને મેળવવા માટે પ્રયત્ન કરે તે જ સાચો પુરૂષાર્થ છે. (૬૧) ૧૧૫ સ્વસ્થતાનું સ્વરૂપ જણાવે છે – અનાદિના સંગનું ફલ બુમુક્ષાદિ નિવૃત્તિ એ, તાસ ફલ છે સ્વસ્થતા તે તે સદા છે સિદ્ધને; સુખ સાધનાનું અંત્ય સ્થિર ને સત્ય ફલ છે સ્વસ્થતા, આત્માદિ અથે સ્વપદ કેરા તીર્થપતિજી ભાષતા. સ્પદાર્થ –માણસને જ્યારે ભૂખ લાગે છે ત્યારે તેને બરાક ખાવાની ઈચ્છા થાય છે અને તેથી તે ખોરાક ખાય છે, જ્યાં સુધી તે ખાતે નથી ત્યાં સુધી તેને સ્વ. સ્થતા અથવા શાંતિ મળતી નથી. પરંતુ ભૂખ મટાડવાને ખાધા પછી તેવા ખેરાકની રૂચિ ફરીથી ભૂખ ન લાગે ત્યાં સુધી તેને રહેતી નથી. ભાવાર્થ એ છે કે અન્નની જરૂરિઆત ભૂખ લાગી હોય ત્યારે છે તે સિવાય તેની જરૂર નથી. તેવી જ રીતે તરસ લાગી હોય ત્યારે પાણીની જરૂર છે પરંતુ પાણી પીને તરસ મટાડયા પછી પાણીની જરૂર રહેતી નથી. માટે જ્યારે ભૂખ કે તરસ લાગે છે ત્યારે તે દૂર કરવાને માટે તેને અનાજ તથા પાણીની જરૂર પડે છે અને ભૂખ તથા તરસ મટાડીને તે સ્વસ્થ થાય છે. પરંતુ જીવમાં આ સ્વસ્થતા કાયમ ટકતી નથી, કારણ કે થોડા જ વખત પછી ફરીથી તેને ભૂખ તથા તરસ લાગે છે અને અસ્વસ્થતા ઉપજે છે અને તે અસ્વસ્થતાને દૂર કરવાને તે ફરીથી ખોરાક તથા પાણી વાપરે છે. આ પ્રમાણે ચાલ્યા જ કરે છે. પરંતુ સિદ્ધ પરમાત્માને જે સ્વસ્થતા છે તે તે કાયમની છે, તેમને તેવી સ્વસ્થતા મળ્યા પછી કદી પણ અસ્વસ્થતા એટલે અશાંતિ ઉપજતી જ નથી. માટે ખરા સુખના સાધને તે જ છે કે જેનાથી કાયમ ની સ્વસ્થતા પ્રાપ્ત થાય છે. અને તે સાધનનું તેજ સાચું ફલ છે. એમ સ્વસ્થતા શબ્દની વ્યાખ્યા પણ જણાવે છે. તે વ્યાખ્યા આ પ્રમાણે જાણવી–“સ્વસ્થતા” અહીં રહેલા “વપદના ચાર અર્થે આ રીતે જાણવા–(૧) આત્મા (૨) આત્મીય (૩) રાતિ ( ૧૧૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005486
Book TitleDeshna Chintamani Part 06
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy