SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ( શ્રીવિજ્યપધસૂરિકૃતસ્પષ્ટાર્થ_“જેનું ફળ મેક્ષ છે, એવા સુપાત્રદાનમાં પાત્ર અપાત્રને વિચાર કરે, પણ દયાદાન (અનુકંપાદાન) કરવા માટે તે તીર્થકોએ કઈ પણ સ્થાને નિષેધ કર્યો નથી.” निर्गुणेष्वपि सत्त्वेषु, दयां कुर्वन्ति साधवः । न हि संहरति ज्योत्स्नां चन्द्रश्चंडालवेश्मनि ॥३॥ સ્પષ્ટાર્થ_“સાધુજને (સજજને) નિર્ગુણની ઉપર પણ દયા કરે છે, કેમકે ચંદ્ર પિતાને પ્રકાશ ચંડાળના પરથી કાંઈ લઈ લેતું નથી.” તે તે સર્વત્ર એક સરખે પ્રકાશ આપે છે, તેમ સજજને પણ ગુણી અને નિર્ગુણી સર્વના પર દયા કરે છે. આ વિષય ઉપર એક પ્રબંધ છે તે સંબંધમાં કહ્યું છે કે— अपकारेऽपि कारुण्य, सुधीः कुर्याद्विशेषतः। दन्दशूकं दशन्तं श्रीवीरः प्राबोधयद्यथा ॥१॥ સ્પષ્ટાર્થ ––“બુદ્ધિમાન પુરૂષ અપમાન કરનાર પર પણ વિશેષ કરીને અનુકંપા (દયા) કરે છે. જુઓ શ્રી મહાવીર ભગવાને દંશ દેતા સર્પને પણ બંધ કર્યો હતે. તે બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી –– શ્રી મહાવીર સ્વામી છદ્મસ્થપણમાં કનકખલ નામે તાપસોના આશ્રમમાં ચંડકૌશિક નામના સપને પ્રતિબંધ કરવા માટે ગયા હતા. તે સપનું પૂર્વ ભવનું સ્વરૂપ આ પ્રમાણે છે–એક તપસ્વી મુનિ ક્ષુલ્લક સાધુને સાથે લઈ પારણાને માટે ગોચરી કરવા ગયા હતા. ત્યાં માર્ગમાં તપસ્વી મુનિના પગ તળે એક નાની દેડકી દબાઈને મરણ પામી. તેની આલેચના પ્રતિક્રમણ વખતે તેણે કરી નહી. એટલે પેલા ક્ષુલ્લક સાધુએ તેને “દેડકી ચંપાઈ ગયાની આયણું કેમ લેતા નથી?” એમ કહી સ્મરણ કરાવ્યું. તે વખતે ફલક પર ક્રોધ આવવાથી તે તપસ્વી સાધુ તેને મારવા દેડયા. સ્તંભ આડે આવવાથી તે સાથે અફળાઈને તે તપસ્વી મુનિ મૃત્યુ પામ્યા, અને તિષિમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચવીને કનકખલ નામના તાપસના આશ્રમમાં પાંચસો તાપસના અધિપતિ ચંડકૌશિક નામે તાપસ થયા. એકદા કેટલાક રાજપુત્રોને તે આશ્રમનાં ફળે તેડતા જોઈને ક્રોધથી તેમને મારવા માટે હાથમાં પરશુ (કુહાડી) લઈને તે ચંડકૌશિક તાપસ દેડયે માર્ગમાં મોટા અન્ધકૃપમાં પડી તેજ પરવડે મૃત્યુ પામી તેજ નામથી દષ્ટિવિષ સર્ષ થયે. તે સપને પ્રતિબંધ કરવાની ઈચ્છાથી બીજા લોકોએ ના કહી છતાં પણ પ્રભુ તેજ રસ્તે જઈ તે ચંડકૌશિકના રાફડા પાસે કાત્સર્ગ કરી ઉભા રહ્યા. તેમને જોઈને ફોધથી જવલિત થયેલે ચંડકૌશિક સર્વે સૂર્યની સન્મુખ જોઈ જોઈને મુખમાંથી જવાળા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005486
Book TitleDeshna Chintamani Part 06
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy