SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ।। ૐ અને નમઃ । ૫ સ્વ॰ શ્રીગુરૂ મહારાજના હસ્તકમલમાં સમર્પણુ મદીયાત્માદ્ધારક, પરમેાપકારી, પરમગુરૂ, સુગૃહીતનામધેય, પૂજ્યપાદ, પ્રાતઃસ્મરણીય, શ્રીગુરૂ મહારાજ ! આપશ્રીજી મધુમતી (મહુવા) નગરીના રહીશ પિતાશ્રી દેવ ગુરૂ ધર્માનુરાગી શેઠ લક્ષ્મીચંદ અને માતુશ્રી દીવાલીબાઈના કુલદીપક પુત્ર હતા. અને આપશ્રીએ વિ॰ સ૦ ૧૯૨૯ ના કાર્ત્તિક સુદ એકમના જન્મ દિનથી માંડીને લગભગ સાલ વર્ષની નાની ઉંમરે સસારને કડવા ઝેર જેવા માનીને અગણ્ય સદ્ગુણ નિધાન પરમગુરૂ શ્રીવૃદ્ધિવિજયજી (શ્રીવૃદ્ધિચંદ્રજી) મહારાજજીની પાસે ભાવનગરમાં વિ॰ સ૦ ૧૯૪૫ ના જેઠ સુદ સાતમે સિ'હુંની પેઠે શરવીર બનીને પરમ કલ્યાણકારી અને હૃદયની ખરી બાદશાહીથી ભરેલી પ્રવજ્યા ( દીક્ષા) ને પૂરેપૂરા ઉલ્લાસથી ગ્રહણ કરીને સિ'હની પેઠે શૂરવીર બનીને સાધી હતી. અને આપશ્રીજીએ અગાધ બુદ્ધિબલથી જલદી સ્વપર સિદ્ધાંતના ઉડા અભ્યાસ કર્યો, તથા ન્યાય વ્યાકરણાદિ વિવિધ વિષયના પુષ્કલ વિશાલ ગ્રંથૈાની રચના કરીને સુંદર સાહિત્ય સેવા કરવા ઉપરાંત અપૂર્વ દેશના શક્તિના પ્રભાવે અભક્ષ્યરસિક, ઉન્માગ ગામી અગણ્ય મહારાજદિ ભવ્ય જીવાને સદ્ધર્મના રસ્તે દોરીને હદપાર ઉપકાર કર્યો તેમજ આપશ્રીના અગણ્ય સદ્ગુણાને જોઈને મોટા ગુરૂભાઈ, ગીતા શિરામણિ, શ્રમણકુલાવત...સક, પરમપૂજ્ય, પંન્યાસજી મહારાજ શ્રીગંભીરવિજયજી ગણિવરે તમામ સિદ્ધાંતાની ચેાગેાન્દ્વહનાદિક ક્રિયા વગેરે યથાર્થ વિધાન કરાવીને મહા પ્રાચીન શ્રી વલ્રભીપુર (વળા) માં આપશ્રીજીને વિ॰ સ ૧૯૬૦ ના કારતક વદી સાતમે ગણિપદથી અને માગશર સુદ ત્રીજે પન્યાસપત્તથી વિભૂષિત કર્યો. અને શ્રીભાવનગરમાં વિ॰ સ૦ ૧૯૬૪ ના જેઠ સુદ પાંચમે તપાગચ્છાધિપતિ ભટ્ટારક આચાય પદથી અલંકૃત કર્યાં. તેમજ આપશ્રીજીએ રત્નની ખાણુ જેવા શ્રીસ ધની અને તીર્થાદિની સેવા પૂરેપૂરા ઉદ્યાસથી કરી હતી. તથા આપશ્રીજીના અમેાધ ઉપદેશથી દેવ ગુરૂ ધર્માનુરાગી સંઘવી શેઠ માણેકલાલ મનસુખભાઈ ભગુભાઈ વિગેર ઘણાંએ ભવ્ય જીવાએ છરી પાલતાં વિશાલ સંઘ સમુદાય સહિત તીર્થોાધરાજ શ્રી શત્રુ જન્મદિ મહાતીર્થીની યાત્રા અંજનશલાકા વગેરે ઉત્તમ ધાર્મિક ક્ષેત્રામાં લક્ષ્મીના સદુ૫યાગ કર્યાંહતા. તેમજ આપશ્રીજીએ મારા જેવા ઘણાંએ ભવ્ય જીવાની ઉપર શ્રી જૈનેન્દ્રી દીક્ષા, દેશિવરત વગેરે મેાક્ષના સાધના આપીને કદી પણ ન ભૂલી શકાય તેવા અનહદ ઉપકારો કર્યો છે વગેરે લેાકેાત્તર ગુણાથી આકર્ષાઈને અને આપશ્રીજીએ મારી ઉપર કરેલા અનન્ત ઉપકારોને યાદ કરીને આપશ્રીના પસાયથી બનાવેલા આ શ્રી દેશનાચિંતામણિ નામના સાર્વજનિક સરલ મહાગ્રંથના ત્રીજા ચેાથા પાંચમા ભાગ રૂપ ત્રણે ગ્રંથાપરમ કૃપાલુ આપશ્રીજીના કરકમલમાં સમર્પીને હું મારા આત્માને ધન્ય કૃતાર્થ માનું છું, અને નિરંતર એજ ચાહું છું કે આપશ્રીજીના પસાયથી (૧) પ્રાકૃત સંસ્કૃત ગુજરાતી વગેરે ભાષામાં આવા સાર્વજનિક સરલ ગ્રંથાની રચના કરીને શ્રી સંઘાઢિ પવિત્ર ક્ષેત્રાની ભક્તિ કરવાના શુભ અવસર (૨) આપશ્રીજી જેવા ગુરૂદેવ (૩) શ્રી જૈનેન્દ્ર શાસનની સેવા (૪) નિર્મલ નિરભિલાષ સંયમ જીવન (૫) પરોપકાર વગેરે સંપૂર્ણ આત્મરમણુતાના સાધના મને ભવેાભવ મળે. ।। નિવેક આપશ્રીજીના ચરણકિકર નિર્ગુણ વિનેયાણુ પદ્મની વંદના, ૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy