SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ [ શ્રી વિજયપઘસરિકૃતહવે પાંચમા આરાને અંતે ઉત્પન્ન થનારા ચતુર્વિધ સંઘના નામ કાલસત્તરીને અનુસારે લખવામાં આવે છે. “સ્વર્ગથી ઍવીને થયેલા દુપસહસૂરિ નામે સાધુ ફશુશ્રી નામે સાધ્વી, નાગિલ શ્રેષ્ઠી નામે શ્રાવક અને સત્યશ્રી નામે શ્રાવિકા એ ચરમ સંઘ જાણો.” સંબંધસત્તરીમાં કહ્યું છે કે “એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક અને એક શ્રાવિકા–આજ્ઞાયુક્ત હોય તો તેને સંઘ જાણવો અને શેષ આજ્ઞા રહિતને અસ્થિનો સંઘ જાણ.” તે કાળે મુનિ દશવૈકાલિક, જિતકલ્પ, આવશ્યક, અનુગદ્વાર અને નંદી એટલા સૂત્રના પાઠી થશે. તેમને ઇંદ્ર નમસ્કાર કરશે. ઉત્કૃષ્ટ છઠ્ઠ તપના કરનારા થશે. દુપસહસૂરિ બે હાથના દેહવાળા, બાર વર્ષ સુધી ગૃહસ્થપણે રહી, ચાર વર્ષ સુધી વ્રતધારી થઈ, ચાર વર્ષ આચાર્યપદ ધારણ કરી, અંતે અષ્ટમ તપ વડે કાળધર્મ પામી સાગરોપમના આયુષ્યવાળા દેવપણાને પામી ત્યાંથી ચ્યવી આ ભરત ક્ષેત્રમાંજ સિદ્ધિપદને પામશે. પાંચમા આરાના પ્રાંત સમયે પૂર્વકાળે શ્રત, સૂરિ, સંઘ ને ધર્મ વિચ્છેદ પામશે. રાજા વિમલવાહન, મંત્રી સુધર્મા અને ન્યાયધમ મધ્યાહે નાશ પામશે અને અગ્નિ સાયંકાલે નાશ પામશે. શ્રીવીરસ્વામીથી જેટલા કાળ સુધી પાંચમા આરામાં શ્રીજનધર્મની પ્રવૃત્તિ રહેશે તે આ પ્રમાણે–વીશ હજાર ને નવસો વર્ષ, ત્રણ માસ, પાંચ દિવસ, પાંચ પહોર, એક ઘડી, બે પળ અને અડતાળીશ અક્ષર એટલે કાળ જિનધર્મની પ્રવૃત્તિ રહેશે. “ આ પ્રમાણે સોળ સ્વપ્ના પ્રબંધથી અને કલકી રાજાની કથાથી કાળનું સર્વ સ્વરુપ જાણુને પ્રાણ પુરુ શ્રી યુગપ્રધાન મુનીશ્વરેની તથા શ્રીજિનેશ્વર ભગવંતની આજ્ઞાનું વિરાધન કરતા નથી.” કાળસ્વરૂપના અધિકારમાં ભવિષ્યમાં થનારા શ્રી તીર્થકર ભગવંતની બીના ટૂંકામાં આ રીતે જાણવી ભાવિનાં પદ્મનાભાદિ-જિનાનાં પ્રાર્ભવાસ્તથા નામાનિ ખૂયતે સ્માભિ, માય પૂર્વોક્તશાસ્ત્રતા છે અર્થ “ભવિષ્યમાં થનારા પદ્મનાભ વિગેરે તીર્થકરોના પૂર્વ ભવ અને નામ પૂર્વોક્ત શાસ્ત્રથી જાણીને અહીં સ્તવવામાં આવે છે.” ભાવિજિનના પૂર્વ ભવ વિગેરેનું સ્વરૂપ આ પ્રમાણે છે– ઉત્સર્પિણીને બીજે આરે શ્રાવણ વદી એકમે બેસશે. ત્યારથી અનુક્રમે સાત સાત દિવસ સુધી પાંચ જાતિના મેઘ વરસશે. તેમાં પ્રથમ પુષ્કરાવ નામે મેઘ પૃથ્વીના સર્વ તાપને દૂર કરશે, બીજે ક્ષીરોદમેઘ સર્વ ઔષધિનાં બીજને ઉપજાવશે. ત્રીજે છૂતેદમેઘ સર્વ ધાન્યાદિમાં નેહ-રસ ઉત્પન્ન કરશે. ચોથા શુદ્ધોદક સર્વ ઔષધિને ૧ હાડકાંને સમૂહ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy