SearchBrowseAboutContactDonate
Page Preview
Page 606
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ભાગ પાંચમ ] રાજાએ ધર્મકર્મમાં તત્પર થશે. યુગપ્રધાન વિગેરેની સંખ્યા દેવેંદ્રસૂરિકૃત કાલસિત્તરી પ્રકરણમાં આ પ્રમાણે કહેલી છે– દુષમા કાળમાં અગિયાર લાખ અને સોળ હજાર રાજાઓ જિનેશ્વરના ભક્ત થશે અને અગિયાર કોડ જનશાસનના પ્રભાવક થશે. તથા સુધર્માસ્વામીથી છેલ્લા દુપસહ સૂરિ પર્યત ત્રેવીશ ઉદયમાં બે હજાર ને ચાર યુગપ્રધાન થશે અને અગિયાર લાખ ને સોળ હજાર આચાર્ય થશે.” બે હજાર ને ચાર યુગપ્રધાનમાં સુધર્મા સ્વામી અને જંબૂ સ્વામી તે ભવે સિદ્ધિ પદને પામશે અને બાકીના સર્વ એકાવતારી થશે. તે પ્રભાવકના આઠ ગુણને ધારણ કરનાર મુનિ મહારાજે જ્યાં વિહાર કરશે ત્યાં ચારે દિશામાં અઢી અઢી યોજન પર્યત દુષ્કાલ, મરકી પ્રમુખ ઉપદ્રવ નાશ પામશે. તથા અગિયાર લાખ ને સોળ હજાર આચાર્યો પ્રાવની ધર્મકથી ઈત્યાદિ જ્ઞાન ક્રિયા ગુણવાળા અને યુગપ્રધાન જેવા થશે. દીવાલી ક૯૫માં ત્રણ પ્રકારના સૂરિ થશે એમ કહેલું છે. તેમાં પંચાવન કેટિ, પંચાવન લાખ, પંચાવન હજાર અને પાંચસો સૂરિ ઉત્કૃષ્ટ ક્રિયાવાલા ઉત્તમ સમજવા. તેત્રીશ લાખ, ચાર હજાર, ચારસો ને એકાણું સૂરિ મધ્યમ કિયાવાળા હેવાથી મધ્યમ સમજવા અને પંચાવન કેટિ, પંચાવન હજાર, પાંચસો ને પંચાવન સૂરિ પ્રમાદી અને અનાચારી હોવાથી જઘન્ય સમજવા. હવે ઉપાધ્યાયની સંખ્યા કહે છે–પંચાવન ક્રોડ, પંચાવન લાખ ને પંચાવન હજાર ઉત્તમ, ચેપન કોડ મધ્યમ અને ચુંમાલીશ કોડ, ચુંમાલીશ લાખ ને ચુંમાળીશ હજાર જઘન્ય–એટલા ઉપાધ્યાય પાંચમા આરામાં થશે એમ સમજવું. હવે સાધુઓની સંખ્યા કહે છે–સીતેર લાખ કોડ અને નવ હજાર કોડ ઉત્તમ, સે ક્રોડ મધ્યમ અને એકત્રીશ કટિ, એકવીશ લાખ ને સાઠ હજાર જઘન્ય એટલા સાધુઓ થશે. હવે સાવીની સંખ્યા કહે છે–દશ હજાર નવશે ને બાર કોડ, છપ્પન લાખ, છત્રીસ હજાર, એકસો ને નવાણું એટલી ઉત્તમ સાધ્વીઓ થશે. હવે શ્રાવકની સંખ્યા કહે છે- સોળ લાખ ત્રણ હજાર ત્રણસેં ને સત્તર કોડ અને રાશી લાખ એટલા શ્રાવકે થશે. હવે શ્રાવિકાની સંખ્યા કહે છે–પચવીશ લાખ બાણું હજાર પાંચ ને બત્રીશ ક્રોડ ઉપર બાર એટલી શ્રાવિકા થશે. આ પ્રમાણે દુષમા આરામાં ચતુર્વિધ સંઘનું પ્રમાણ કહેલું છે. અહીં કેટલાએક કહે છે કે આ પ્રમાણે જંબુદ્વીપના ભરતક્ષેત્ર સંબંધી જાણવું. કેટલાએક કહે છે કે આ પ્રમાણુ શ્રીવીર પ્રભુએ પ્રતિબંધ પમાડેલા ચતુર્વિધ સંઘ સહિત જાણવું. તેને ખુલાસો દુષમ આરાના યંત્રપટથી તથા બહુશ્રુતના મુખથી જાણી લેવો. ૧ તે સમયમાં વર્તતા સર્વ સૂત્રના પારગામી તે યુગપ્રધાન જાણવા. ૨ આમાં જણાવેલી સંખ્યા દીવાલીકલ્પ સાથે બરાબર મળતી નથી, વળી આ ભાષાંતર જેના ઉપરથી થાય છે તે પ્રત પણ અશુદ્ધ ને સંખ્યા અસ્તવ્યસ્ત હોવાથી આ સંખ્યા ઉપર આધાર રાખી શકાય તેમ નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy