SearchBrowseAboutContactDonate
Page Preview
Page 603
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ | શ્રી વિજ્યપરિકૃત સમયને વિષે પાટલીપુર નગરમાં શ્રાવક ધર્મમાં તત્પર ચંદ્રગુપ્ત નામે રાજા હતા. એક વખતે તે રાજા પાખીને પિસહ અહોરાત્રને લઈ રાત્રિએ ધર્મજાગરણએ જાગતો હતું, તેવામાં મધ્ય રાત્રે અલ્પ નિદ્રા આવતાં સુખે સુતેલા એવા તે રાજાને સોળ સ્વપ્ન જોવામાં આવ્યાં, એટલે તે તત્કાળ જાગી ઉઠયો. તેને ચિંતા થઈ કે આ શું? પછી અનુકમે સૂર્યોદય થતાં તેણે પિસહ પાર્યો. હવે તે સમયને વિષે સંભૂતિવિજયના શિષ્ય યુગપ્રધાન ભદ્રબાહ સ્વામી પાંચસો સાધુ સાથે વિચરતા પાટલીપુરના ઉદ્યાનમાં સમવસર્યા. રાજા તેમને વાંદવા નીકળ્યો. તેણે કેણિક રાજાની જેમ છત્ર ચામરાદિ દૂર કરી પાંચ અભિગમ સાચવી ગુરૂ મહારાજને વાંદીને ધર્મ સાંભળ્યો. પછી તેણે સ્વપ્નમાં કલ્પવૃક્ષની શાખા ભાંગી વિગેરે સોળ સ્વપ્ન દીઠાં હતાં તેને અર્થ સ્વામીને પૂછયે હતું કે હે ભગવંત! મેં આ સ્વપ્ન જોયાં છે, તેને અનુસારે શાસનમાં શું શું થશે? તે કહો. શ્રત કેવળી ભદ્રબાહુસ્વામી સર્વ સંઘની સમક્ષ બેલ્યા “હે ચંદ્રગુપ્ત રાજા! તેને અર્થ સાંભળ– પ્રથમ સ્વપ્ન તે કલ્પવૃક્ષની શાખ ભાંગેલી , તેનું ફળ એવું છે કે આજ પછી કઈ રાજા ચારિત્ર લેશે નહિ. બીજે સ્વપને સૂર્યને અસ્ત થતો જોયે, તેનું ફળ * એવું છે કે હવે કેવળજ્ઞાન ઉચછેદ પામશે, ત્રીજે સ્વપ્ન તે ચંદ્રમાં છિદ્ર થયેલાં જોયાં, તેનું ફળ એવું છે કે એક ધર્મમાં અનેક માર્ગે ચાલશે. એથે સ્વપ્ન તેં ભૂતને નાચતાં જોયાં, તેનું ફળ એ છે કે કુમતિ લોકે ભૂતની જેમ નાચશે. પાંચમે સ્વને તેં બારફણાવાળ કાળે સર્ષ જે, તેનું ફળ એ છે કે બારવણી દુકાળ પડશે, કાલિકસૂત્ર પ્રમુખને વિચ્છેદ થશે, “દેવદ્રવ્ય ભક્ષી” સાધુઓ થશે, લેભથી માલાનું આપણુ, ઉપધાન, ઉજમણાં પ્રમુખ ઘણુ તપના ભાવ પ્રકાશશે, અને જે ખરા ધર્મના અથી સાધુ હશે તે વિધિ માગને પ્રપશે. છઠું સ્વપ્ન તે આવતું વિમાન ચલિત થતું જોયું તેનું ફળ એ કે ચારણ લબ્ધિવંત સાધુ ભરત અરવત ક્ષેત્રમાં આવશે નહિ. સાતમે સ્વને કમળને ઉકરડા ઉપર ઉગેલું જોયું, તેનું ફળ એ છે કે ચાર વર્ષમાં વૈશ્યને હાથે ધર્મ રહેશે, તે વણિકજને અનેક માર્ગે ચાલશે, સિદ્ધાંત ઉપર રુચિવાળા અલ્પ જ થશે. આઠમે સ્વપ્ન આગીયાને ઉદ્યો કરતો જે, તેનું ફળ એ છે કે રાજમાર્ગ (જૈન માગ) મૂકી બીજા માર્ગ ખજુવાની જેમ પ્રકાશ કરશે, અને શ્રમણ-નિગ્રંથને પૂજાસત્કાર થશે. નવમે સ્વને મોટું સરોવર સુકું જોયું અને તેમાં દક્ષિણ દિશાએ થોડું જળ જોયું, તેનું ફળ એ છે કે જ્યાં જ્યાં કલ્યાણક થયા છે તે તે દેશમાં પ્રાયે ધર્મની હાનિ થશે, અને દક્ષિણ દિશાએ જિનમાની પ્રવૃત્તિ રહેશે. દશમે સ્વપ્ન સુવર્ણના થાળમાં શ્વાનને દૂધ પીવે છે, તેનું ફળ એ છે કે ઉત્તમ કુળની સંપત્તિ મધ્યમને ઘેર જશે અને કુળાચાર કર્મને તજી દઈને ઉત્તમ લોકે નીચ માગે પ્રવર્તશે (હિંસામાં ધર્મ માનશે), અગિયારમે સ્વપ્ન હાથી ઉપર બેઠેલો વાનર જોયો, તેનું ફળ એ છે કે પારધી વિગેરે અધમ લોક સુખી થશે અને સુજન દુઃખી થશે, વળી ઉત્તમ એવા ઈક્ષવાકુ તથા હરિવંશ કુળમાં રાજ્ય રહેશે નહિ. બારમે સ્વપ્ન સમુદ્ર મર્યાદા મૂકી એમ જોયું, તેનું ફળ એ છે કે રાજા ઉન્માર્ગચારી થશે અને ક્ષત્રિય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy