SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ [ી વિજ્યપઘસકૃિતમનની પવિત્રતા થાય છે. વળી જેઓ મુનિને પીડા કરે છે, તે જીવે અનેક પ્રકારના દુખેને ભેગવે છે, અને જેઓ ભાવથી સેવા કરે છે, તેઓ કેવલી પણ થાય છે. આ બાબતમાં ભરત ચક્રવર્તી, બાહુબલી, બ્રાહ્મી, સુંદરી વગેરેના પૂર્વ ભવના દષ્ટાન જાણવાં. ૧૪૭ વાણી કર વદીશ ના તેના વિપાકો જે જરા, પ્રિય મિત્ર તેવું બોલતા કર્મો નિકાચે આકરા પરજન્મમાં લટકાય ઉંધા મસ્તકે નૃપ સુત છતાં, બંધ સમયે ભુલનારા વિવિધ વિપદા પામતા. ૧૪૮ સ્પદાર્થ ––વળી હે જીવ! તું કઠેર વાણી એટલે બીજાને દુઃખદાયી-શોક કરાવનારાં વચન બોલીશ નહિ કારણ કે તેવા વચનો બોલનારને તેનાં કેવાં આકરાં પરિણામ ભોગવવા પડે છે તેને તું જરા શાંતિપૂર્વક વિચાર કરજે. અહીં દષ્ટાન્ત આપતાં જણાવે છે કે પ્રિયમિત્ર નામે રાજકુંવર તેવાં કઠેર વચન બોલવાથી બહુ આકરાં એટલે દુઃખદાયી કર્મોને નિકાચિત કરે છે. તેથી કરીને બીજા જન્મને વિષે રાજાનો પુત્ર થવા છતાં પણ તેને ઉંધા મસ્તકે લટકવું પડે છે. માટે જેઓ બંધના વખતે ભૂલ કરે છે એટલે વગર વિચારે મરછમાં આવે તેવાં આકરાં વચને બેલી કાઢે છે તેઓ જ્યારે બાંધેલાં નિકાચિત કમેને ઉદય થાય છે ત્યારે તેનાં ફલ રૂપે અનેક વિપત્તિઓને ભોગવે છે, અને તે ભગવતી વખતે ઘણે શેક અગર વિલાપ કરે છે, પરંતુ તેથી બાંધેલાં કર્મો ભગવ્યાં વિના છૂટકારે થતું નથી. તેથી વગર વિચારે વચન કદી પણ બેલીશ નહિ. ૧૪૮ હે જીવ! સત્તર પાંચ પંચાણું ગણું બે ટના, લાવે પટેલ! દુઊણ રૂપિયા સો કહી માયા તણા; કાર્યો કરી બેસી બજારે કેગ વસુ કહી વેદને, | લક્ષમી ઘણી તે મેળવી પણ કર્મ ના તજશે તને. ૧૪૯ સ્પષ્ટાથે--વળી હે જીવ! તેં કેવાં કેવાં કપટ કાર્યો કર્યા ને બીજા વિશ્વાસુ લેકેને ઠગ્યા તેને વિચાર કરજે, તે કપટ કાર્યને જણાવતાં કહે છે કે એક પટેલ કેઈ શેઠને પિતાના દેવા તરીકે નીકળતા રૂપીઆ આપવા ગયો. તે વખતે તે શેઠે સત્તર પંચ પંચાસી થાય તે છતાં સત્તર પાંચ પંચાણુ કહીને રૂપીયા દશ વધાર્યા. પછી તેમાંથી બે રૂપિયા છૂટના મૂકું છું એમ કહીને કહ્યું કે તેમાં બે રૂપિયા એાછા એટલે અઠ્ઠાણું રૂપીયા આપ. બે રૂપીયા છટના મૂક્યા તે પંચાણુમાંથી બાદ કરવાને બદલે પંચાણુમાં ઉમેર્યા એટલે સતાણું કર્યા. સતાણુ એટલે સમાં ત્રણ રૂપિયા ઓછા હોવા છતાં સમાં બે ઓછા એટલે અઠ્ઠાણું રૂપીઆ આપે એ પ્રમાણે કહ્યું. પટેલ ભણેલા નહોતા. પરંતુ શેઠના ઉપર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy