SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિજયપારિકૃતછે.” ઈત્યાદિ વચનો સાંભળીને સુભદ્ર પિતાની સ્ત્રીના સ્વભાવની રતુતિ કરવા લાગે, પણ તેના મનમાં વ્રતભંગનું દુઃખ હૃદયમાં વાગેલા શલ્યની જેમ નિરંતર ખટકતું હતું. તે પ્રતિદિન અધિક અધિક દુર્બળ થવા લાગ્યો. તે જોઈને તેની પત્નીએ આગ્રહથી દુર્બલ થવાનું કારણ પૂછયું, ત્યારે તે નિઃશ્વાસ નાંખીને ખેદ પૂર્વક બે કે “હે પ્રિયા ! જે મોક્ષસુખના હેતભૂત વાત ચિરકાળથી પાલન કર્યું હતું તે વ્રતનો ક્ષણિક સ્થિતિવાળા મનકપિત સુખને માટે ભંગ કરીને મૂર્ખ પણ ન કરે તેવું અકાર્ય મેં કર્યું છે તેની ચિંતાથી હું દુર્બલ થાઉં છું. હવે મને ભ્રષ્ટ થયેલાને એનું પ્રાયશ્ચિત્ત કેણ આપશે ? મારી ભાવનાને વૃત્તાંત કુંભારના હાંલાં ફોડનાર મિયા દુષ્કત આપનાર ક્ષુલ્લક મુનિના જે થયો છે. જીવોને હણીને પછી મેં મોટું દુષ્કૃત કર્યું, મેં મેટું દુષ્કૃત કર્યું” એમ કહેવું ને ધ્યાન વૈરાગ્ય ધારણ કરવા તે વ્યર્થ અને વંધ્ય છે.” આ પ્રમાણે શુભ પરિણામથી બોલતા તેને અંતઃકરણથી શુદ્ધ જાણીને તથા “ સ્ત્રીના સન્મુખ માત્ર દાક્ષિણ્યતા સાચવવા માટે આ બહારનો દેખાવ નથી” એવી સંપૂર્ણ પરીક્ષા કરીને તેમજ “સંગને વશ થયેલું તેનું ચિત્ત ઇન્દ્રની અપ્સરાઓથી પણ પરાભવ પામે તેવું નથી” એવો નિશ્ચય કરીને તેણે નિશાની સહિત સર્વ હેવાલ સત્ય રીતે કહી આ છે. તેથી વિશ્વાસ પામીને તે સુભદ્ર શાંત થઈ વિચારવા લાગ્યો કે “લોકોત્તર ધર્મમાં કુશળ એવી આ મારી ભાર્યાને ધન્ય છે કે “જેણે મારે સ્વામી પરસ્ત્રીના સંગથી નરક રૂપી સાગરમાં ન પડો” એમ ધારીને મને તેમાંથી ઉગાર્યો. મને અન્તઃકરણથી મારી ચિંતા ધરાવનારી સુશીલ સ્ત્રી મળી છે. તેની સ્થિરતા અને ગાંભીર્ય વાણીના વિષયની બહાર છે. અર્થાત્ વાણીથી કહી શકાય તેવું નથી.” ઈત્યાદિ સ્ત્રીની પ્રશંસા કરીને તેની જ આજ્ઞાથી ગુરુ પાસે જઈ પરસ્ત્રીગમનનું સર્વથા પ્રત્યાખ્યાન કરીને કરેલા પાપની આલોચના કરી. પછી અનુક્રમે પિતાના પુત્રને ઘરનો કાર્યભાર (બ) સંપીને ચારિત્ર તપાદિવડે તે સ્ત્રી પુરુષ અલ્પકાળેજ મોક્ષસુખને પામ્યા. જગન્ધિતા જગડુશાહ અને સાધર્મિક ભક્તિ સહિત અનુકંપાદાન, અવિચ્છિન્ન પ્રભાવશાલી ત્રિકાલાબાધિત શ્રી જેન્દ્ર શાસન અનુપમ લેકેત્તર છે. કારણ તેનો પ્રભાવ હાલ પણ સર્વત્ર અખલિતપણે પ્રસરી રહ્યો છે. પરમ પુણ્યોદય હોય તો જ તે મળી શકે છે. તેમાં પણ પરમ ઉલ્લાસથી તેની નિર્મલ આરાધના કરનાર પ્રબલ પુણ્યશાલી ભવ્ય જી વિરલા જ હોય છે. દાન-શીલ–તપ વગેરેની આરાધના કરનારા ભવ્ય જીવોમાં અનુકંપાદાનના પ્રસંગે શ્રી ઉપદેશસાર વગેરે ગ્રંથમાં જગડુ શ્રાવકનું દષ્ટાંત For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy