SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ દશના ચિંતામણિ ભાગ પાંચમ ] આવ્યા. તેઓએ મુનિનું વચન અંગીકાર કર્યું. તેથી મુનિએ પ્રથમ તેમને લોન્ચ કર્યો, અને પછી તેમને સાજા કરીને દીક્ષા આપી. ત્યાર પછી રાજપુત્ર શંકા રહિત વ્રતનું પાલન કરવા લાગ્યો. પણ પુરોહિતને પુત્ર જાતે બ્રાહ્મણ હોવાથી ચારિત્રનું પાલન કરતાં છતાં પણ “મને આ મુનિએ બળાત્કારે દીક્ષા આપી છે” એમ મનમાં તેમના પર અભાવ રાખવા લાગ્યો. અનુક્રમે તે બને મરણ પામીને દેવતા થયા. કૌશાંબી નામની નગરીમાં કોઈ એક તાપસ નામને શ્રેણી રહેતો હતો. તે મરણ પામીને પિતાના ઘરના ઉકરડામાંજ ચૂકર (ભંડ) થયે. તેને પિતાને મહેલ વિગેરે જેવાથી જાતિસ્મરણ થયું. અન્યદા તેના છોકરાઓએ તેનાજ શ્રાદ્ધને દિવસે તેનેજ (તે કરને) માર્યો. તે મરીને પિતાના ઘરમાં સર્પ થયે. એકદા તે સર્ષ ઘરમાં ફરતો હતું, તેને જોઈને તેના પુત્રોએ મારી નાંખ્યો, તે પિતાના પુત્રને જ દીકરો થશે. તેને પૂર્વની જેમ જાતિસ્મરણ થયું. તેથી “પુત્રની વહુને મા અને પુત્રને પિતા શી રીતે કહું ?” એમ વિચારીને તેણે મૌન ધારણ કર્યું. તેથી તેનું નામ અશોકદર પાડયું હતું, છતાં મૂક નામ સર્વત્ર પ્રસિદ્ધ થયું. એકદા તે નગરીમાં ચાર જ્ઞાનને ધારણ કરનાર કેઈ સૂરિ સમવસર્યા. તેમણે પિતાના બે સાધુને નીચેની ગાથા શીખવીને મૂકને ઘેર મેકલ્યા. તાવસ કિમિમિણ મૂઅશ્વએણ, પડિવજ જાણિઉ ધર્મો મરિઉણ સુઅરેરગ, જાઓ પુરસ્સ પુરોસિ. ૧ છે ભાવાર્થ–“હે તાપસ શ્રેણી ! આ મૌનવ્રત કરીને શું? માટે ધર્મને જાણીને તેને આદર કર. તું મરીને શૂકર અને પછી સર્ષ થયું હતું, અને હમણાં પુત્રને પુત્ર થયો છે.” આ ગાથા સાંભળીને વિસ્મય પામેલા મૂકે તે મુનિને નમીને પૂછયું કે આ વાત તમે શી રીતે જાણું?” તે સાધુઓ બોલ્યા કે “અમારા ગુરુ ગામ બહાર ઉદ્યાનમાં રહેલા છે, તેમના વચનથી અમે જાણીએ છીએ.” તે સાંભળીને મૂક તેમની સાથે ઉદ્યાનમાં ગયે. ત્યાં ગુરુ પાસે દેશના સાંભળીને તેણે મૌનપણું મૂકી શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. અહીં દેવલોકમાં જાતિમદવાળો પુરોહિતને પુત્ર જે દેવ થયેલ છે તેણે મહાવિદેહ ક્ષેત્રમાં જઈ જિનેશ્વરને પ્રશ્ન કર્યો કે હું સુલભધિ છું કે દુર્લભધિ છું ?” પ્રભુએ જવાબ આપે કે “તું દુર્લભધિ છે; પણ સ્વર્ગથી ચવીને કૌશાંબી નગરીમાં મૂકીને ભાઈ થવાનું છે તેનાથી તને ધર્મની પ્રાપ્તિ થશે.” આ પ્રમાણે સાંભળીને દેવે કૌશાંબીમાં આવીને મૂકને કહ્યું કે “હું સ્વર્ગમાંથી આવીને તારી માતાના ઉદરમાં ઉત્પન્ન થઈશ. તેને અકાળે આશ્ર ફળ ખાવાને દેહદ થશે. તેને માટે મેં આજથી આ સમીપના પર્વત પર હમેશાં ફળ આપે તેવો આમ્રવૃક્ષ રેગ્યો છે. તેથી જ્યારે તે માતા તારી પાસે ઘણા આગ્રહથી આમ્રફળ માગે ત્યારે તેની પાસે તારે એટલા અક્ષરે લખવા કે “હે માતા! * Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy