SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિજયપારિત- અપ્પા નાણસહાવી, સણસીલે વિસુદ્ધાસુહા સે સંસારે ભમ, એસે દેસે ખુ મેહસ્સો ૧ ભાવાર્થ –“જ્ઞાન દર્શનના સ્વભાવવાળો અને વિશુદ્ધ સુખરૂપ એવો આત્મા પણ સંસારમાં પરિભ્રમણ કરે છે, તે દેષ મેહને જ છે.” મોહને ત્યાગ શુદ્ધ આત્મજ્ઞાને કરીને થઈ શકે છે. “જ્ઞાનાદિક અનન્ત ગુણ પર્યાયવાળે, નિત્યનિત્ય વગેરે અનન્ત સ્વભાવવાળો, અસંખ્ય પ્રદેશ, સ્વભાવપરિણામી (આત્મ ભાવના પરિણામવાળો) પિતાના સ્વભાવને જ કર્તા અને ભક્તા ઈત્યાદિ ગુણવાળે શુદ્ધ આત્મા તેજ હું છું. હું અનન્ત સ્યાદ્વાર સત્તાને રસિક છું. એક સમયમાં ત્રણ કાળમાં અને ત્રણ લેકમાં રહેલા સર્વ દ્રવ્ય પક્ષીની ઉત્પત્તિ, સ્થિતિ અને નાશને જણાવનારું જે જ્ઞાન તે મારા (આત્મા) ગુણ છે.” ઈત્યાદિક આત્મસ્વરૂપને જાણનાર મનુષ્ય જ મેહને જય કરે છે. બીજે ય કરી શક્યું નથી. કેમકે મોહનીય કર્મ અતિ દુર્જય છે. આ સંબંધમાં અદત્તની કથા છે તે નીચે પ્રમાણે– આઈદત્તની કથા અચલપુરના રાજાનો પુત્ર યુવરાજ વાગ્યે ઉત્પન્ન થવાથી દીક્ષા ગ્રહણ કરીને વિહાર કરતાં અવન્તિ નગરીમાં આવ્યા. ત્યાં મધ્યાહ કાળે ભિક્ષા માટે રાજમંદિર તરફ જતા તે મુનિને જોઈને લોકોએ કહ્યું કે “ આ ગામમાં રાજાને પુત્ર અને પુરોહિતને પુત્ર સાધુને જોઈને તેને પીડા કરે છે, માટે આપે આ ગામમાં રહેવા જેવું નથી.” આ પ્રમાણે સાંભળ્યા છતાં પણ ભય રહિત મુનિ ત્યાં જઈને ઉંચે સ્વરે “ધર્મલાભ” એમ બોલ્યા. તે સાંભળીને એક સ્થાનમાં રહેલા જાણે બે પાપગ્રહ હોય તેવા તે બન્ને જણ મુનિ પાસે આવીને બોલ્યા કે “હે સાધુ! તું અમારી પાસે નૃત્ય કર, અમે વાજિંત્ર વગાડીએ.” ત્યારે સાધુએ કહ્યું કે “બહુ સારું.” પછી સાધુ નૃત્ય કરવા લાગ્યા અને તે બન્ને વાજિંત્ર વગાડવા લાગ્યા. ડી વારે સાધુએ તે બન્નેને તિરસ્કારથી કહ્યું કે “અરે! કોળિકે (કોળીના પુત્ર !) તમને વાજિંત્ર વગાડતાં બરાબર આવડતું નથી, કેમકે તમે મૂર્ખ છે.” આ પ્રમાણે સાંભળીને તે બન્ને ક્રોધથી મુનિને મારવા દેડયા, એટલે યુદ્ધકુશળ મુનિએ તેમના શરીરના અવયવોને સંધિમાંથી ઉતારી નાંખ્યા. આ પ્રમાણે મુનિના શ્રેષીઓને શિક્ષા આપીને તે યુવરાજ મુનિ ત્યાંથી નગર બહાર ચાલ્યા ગયા. પછી રાજા તથા પુરોહિતને તે વાતની ખબર થતાં પિતાના પુત્રોની અતિ દુઃખી અવસ્થા જેઈને અત્યંત ખેદ પામ્યા સતા તત્કાળ યુવરાજ ઋષિની પાસે આવ્યા. ત્યાં તેમને ઓળખીને રાજા વિજ્ઞપ્તિ કરવા લાગ્યું કે “હે ભાઈ! તમારા ભત્રીજાને સાજો કરે.” મુનિ બેલ્યા કે “હે રાજા ! જે તે બન્ને પુત્ર હિતકારી એવા વ્રતને આદરે તે તરત જ તે બન્નેને હું સાજા કરું તે સિવાય તેમને સાજા નહીં કરું.” તે સાંભળીને તે બન્ને કુમારને મુનિ પાસે લાવવામાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy