SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ભાગ પાંચમ ] બાલ્યથી પ્રભુ શાન ત્રણ ઈગ સહસ ને અડ લક્ષણે, ધારતા ઉત્કૃષ્ટ રૂ૫૪૪ બલ અનંતપ ઉત્તમ અન્નને.૪૬ ૭૩ સ્પષ્ટાર્થ –ઈન્દ્ર મહારાજના કહેવાથી પ્રભુનું લાલન પાલન કરવાને માટે ધાત્રીઓ એટલે ધાવ માતાઓ તરીકે દેવીઓ રહેલી હતી. હવે અનુક્રમે વૃદ્ધિ પામતા (મોટા થતા) પ્રભુ બાળ વયને ઓળંગીને શ્રેષ્ઠ યુવાન અવસ્થાને (જુવાની) પામ્યા. પ્રભુને બચપણથી જ મતિજ્ઞાન, કૃતજ્ઞાન અને અવધિજ્ઞાન એમ ત્રણ જ્ઞાન (૪૨) હતાં. વળી પ્રભુના અંગને વિષે એક હજાર અને આઠ શુભ લક્ષણે (૪૩) હતા. પ્રભુનું રૂપ ઉત્કૃષ્ટ એટલે સર્વ જીના રૂપ કરતાં ચઢી આતું હતું. (૪૪) કારણ કે દેવતાના રૂપ કરતાં ગણધરના શરીરનું રૂપ અધિક હોય છે અને તેનાથી તીર્થકર ભગવાનનું રૂપ અધિક હોય છે. તીર્થંકરથી અધિક રૂપ કેઈનું પણ હતું નથી. તથા પ્રભુનું બળ અનંત (૪૫) હતું. અથવા પ્રભુના બળનું પ્રમાણ કેઇનાથી પણ થઈ શકતું નથી. એટલે તીર્થંકરનું બળ સર્વ જીથી અધિક હોય છે. તથા પ્રભુને આહાર ઉત્તમ અને (૪૬) હતા. ૭૩ પ્રભુની બાલ્યાવસ્થા તથા યુવાવસ્થા વગેરે બીના બે શ્લોકમાં જણાવે છે– આહાર ન ફણા૪૭ કાય ત્રણસે ધનુષ ઉત્સધાંગુલે, ૪૮ એક સો વીશ૪૯ આત્મઅંગુલ૫૦ હુસયરિ પ્રમાણગુલે; લાંબી ભુજા તિમ પુષ્ટ સ્કંધે પ્રવર લાવણ્ય કરી, યૌવને પ્રભુ દીપતા જનકાદિના વચને કરી. ૭૪ સ્પષ્ટાર્થ –પ્રભુના મસ્તક ઉપર ફણ (૪૭) હેતી નથી. પ્રભુના શરીરનું પ્રમાણ ઉત્સધાંગુલના માપથી માપીએ તે ત્રણસે ધનુષ્ય પ્રમાણ (૪૮) હતું. પરંતુ આત્માગુલના માપથી માપીએ તે એકસો વીસ આગળ પ્રમાણ (૪૯) હતું. જે જે કાલે જે તીર્થંકર હોય તેમને આંગલ તે આત્માગુલ ગણાય છે એટલે કે આમાંગુલનું ઉત્સધાંગુલ કે પ્રમાણગુલની પેઠે ચેકસ મા૫ હેતું નથી. પરંતુ તે તે તીર્થકરના સમયમાં તેમના આંગલનું જે પ્રમાણ હોય તે આત્માંગુલ કહેવાય છે. તથા પ્રમાણગુલના માપની અપેક્ષાએ પ્રભુનું શરીર બોતેર પ્રમાણાંગુલ પ્રમાણ (૫૦) જાણવું. કારણ કે ઉસેધાંગુલથી પ્રમાણુગુલ ચારે ગુણે લાંબો હોય છે. માટે ઉસેધાંગુલના માપથી ત્રણસો ધનુષ્યનું પ્રમાણ છે તેને ચારસો વડે ભાગતાં પિણે ધનુષ્ય પ્રમાણાંગુલના માપે આવે અને તેના આંગલ કરવા માટે પિણાને છથી ગુણીએ ત્યારે બાંતેર પ્રમાણાંગુલ આવે છે. તથા પ્રભુ શ્રી સુમતિનાથની બંને ભુજાઓ ઢીંચણ સુધી લાંબી હતી. તથા સ્કંધે એટલે ખભાઓ પુષ્ટ હતા. ‘જ્યારે પ્રભુ યુવાવસ્થાને પામ્યા, ત્યારે ઉત્કૃષ્ટ લાવણ્ય વગેરે ગુણોથી શોભતા હતા. તે વખતે માતપિતાએ પ્રભુને પરણવા માટે આગ્રહ કર્યો. ૭૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy