SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ २७ દેશનાચિંતામણિ ભાગ પાંચમ ] તમે સર્વ રીતે દીક્ષાને લાયક છે. પરંતુ તે પહેલાં તમે મારી આ શિખામણ સાંભળે. શીખામણનું વર્ણન આગળ ૨૭મા લેકમાં જણાવે છે. ૨૬ ગુરૂ મહારાજ રાજકુમારને માતપિતાની રજા મેળવી લાવવાનું જણાવે છે – આશા જનક જનની તણું લઈને ઈહિાં ઝટ આવજે, પ્રથમ ગુરૂ માતા પિતા ઉપકારકર ના ભૂલજો માતાપિતાની પાસે તે કરી અંજલિ વિનતિ કરે, ચારિત્ર લેવા ભાવના આપો રજા ઈમ ઉચ્ચરે. સ્પદાર્થ ––હે રાજકુમાર! તમે પ્રથમ તે અહીંથી ઘેર જઈને તમારા માતાપિતાની દીક્ષા લેવા માટે રજા મેળ. પછી અહીં જલદી આવો. યાદ રાખવું કે-દરેક જીવને માતા પિતા એ પ્રથમ ગુરૂ છે, કારણ કે તેઓ જ પ્રથમ ખરા ઉપકાર કરનારા છે એ વાત ભૂલવી જોઈએ નહિ. આવાં ગુરૂના વચન સાંભળીને શ્રી પુરૂષસિંહ કુમાર માતાપિતાની પાસે આવ્યા. તે પછી તેમણે બે હાથ જોડીને માતાપિતાની આગળ વિનતિ કરતાં જણાવ્યું કે મારી ચારિત્ર લેવાની ઈચ્છા છે માટે આપ બંને મને દીક્ષા લેવાની રજા આપો. ૨૭ માતાપિતા રાજકુમારને ચારિત્રની દુષ્કરતા ચાર શ્લોકમાં જણાવે છે – સાંભળી આ વેણ સુતના ઈમ કહે માતાપિતા, ગુરૂ વ્રતનું વહન દુષ્કર તિણ ન તારી ગ્યતા ચારિત્રમાં નિજ દેહ પર પણ માહ નિશિભાજન નહીં, ધર્મસાધન દેહ પાલન શુદ્ધ ભજન વિધિ અહીં. સ્પદાર્થ –રાજકુમારનાં પિતાની દીક્ષા લેવાની ઈચ્છા જગાવનારાં વચને સાંભળીને પુત્રની ઉપર ઘણાં નેહવાળા માતા પિતાએ પુત્રને જણાવ્યું કે દીક્ષામાં પાંચ મહાવ્રતોનું પાલન કરવું ઘણું મુશ્કેલ છે માટે તેનું પાલન કરવામાં તારી યોગ્યતા નથી. વળી ચારિત્રમાં તે પોતાના શરીર ઉપરના મોહનો પણ ત્યાગ કરવાનો છે. તથા આ ચારિત્રમાં રાત્રીએ ભોજન પણ કરાય નહીં. તેમજ આ શરીર ચારિત્ર ધર્મની સાધના કરવામાં મદદગાર છે. તેથી નિર્દોષ આહારાદિથી તેનું પાલન કરવાનું કહ્યું છે. વળી ચારિત્રમાં જે ભોજન કરવાનું છે તે ભોજન પણ ભિક્ષા લાવીને કરવાનું છે. તેમાં વળી ગોચરીના જે દોષો કહ્યા છે, તે દેષોને ત્યાગ કરીને શુદ્ધ આહાર ગ્રહણ કરવાનું કહ્યું છે. પરંતુ દેજવાળે આહાર લેવાય નહી. ૨૮ અષ્ટ પ્રવચન માતની હંમેશ નિર્મલ સાધના, માસિકાદિક બાર પ્રતિમા અભિગ્રહો દ્રવ્યાદિના; Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy