SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ નાચિંતામણિ ] ભકિત કરનાર ભવ્ય જીવે આ સંસાર સમુદ્રને તરી જાય છે. તથા ધર્મની સાધના પણ મુનિ વગેરેની સાપેક્ષતાએજ થઈ શકે છે. એટલે સાધુ-સાધુ આદિ ચારેને મોક્ષ માર્ગની આરાધના કરાવે છે. ને સાધ્વીઓ-સાધ્વી આદિ ત્રણેને મોક્ષ માર્ગની આરાધના કરાવે છે, તથા શ્રાવક શ્રાવિકાઓ-સાધુ સાધ્વીઓને સંયમની આરાધનામાં મદદગાર છે. આ રીતે માંહોમાંહે સાપેક્ષતાએ ચતુર્વિધ સંઘ ધર્મની આરાધના કરીને ભવસમુદ્રને તરે છે. માટે કહ્યું છે કે જેમ મેરની શોભા પીંછા વડે છે તેમજ પીંછાની શોભા મોરને લીધે છે. તેમ ચતુર્વિધ સંઘમાં પણ સાધુ સાધ્વીઓથી શ્રાવક શ્રાવિકા વર્ગ શોભે છે, ને શ્રાવક શ્રાવિકાઓથી સાધુ સાધ્વીઓની શોભા વધે છે. ૩૧. વિપુલવાહન રાજા શ્રીસંઘની ભકિત કરવાનો નિર્ણય કરે છે - આ વિશ્વ રૂપ સરવરે જિનધર્મ રૂપ કમળ વિષે, શ્રીસંઘ જાણે હંસ ઉત્તમ હોય ઈમ મુજ મન દીસે, અવસરે વરસેલ વૃષ્ટિ સર્વને સંતોષતી, અવસરે શ્રીસંધ ભકિત વિન હરી સુખ આપતી. ૩૨ સ્પષ્ટાથી–વિપુલવાહન રાજા વિચાર કરે છે કે-મને આ વિશ્વ (જગત ) એક સરોવર જેવું જણાય છે. સરોવર જેમ કમળથી શેભે છે તેમ આ વિશ્વ રૂપે સરોવર પણ જિન ધર્મરૂપી કમળથી શેભે છે. વળી કમળને વિષે જેમ હંસ શેભે છે તેમ આ જિનધર્મ રૂપી કમળને વિષે સંઘ રૂપી ઉત્તમ હંસ શોભી રહ્યો છે એ પ્રમાણે મારા મનમાં જણાય છે. અને જેમ યોગ્ય અવસરે અથવા જ્યારે જરૂર હોય ત્યારે થએલી વૃષ્ટિ સર્વને સંતોષ આપે છે તેમ ઉચિત પ્રસંગે શ્રીસંઘની કરેલી ભકિત પણ વિનોને દૂર કરીને સુખને આપનારી થાય છે. આથી સ્પષ્ટ સમજાય છે કે મારે માટે પણ શ્રી સંઘની ભકિત કરવાનો આ ઉચિત કાલ છે. તેથી મારે પણ અવશ્ય શ્રી સંઘની ભકિત કરવી જોઈએ. ૩૨. વિપુલવાહન રાજાએ કરેલી સંઘભકિત બે શ્લોકમાં જણાવે છે – હુકમ કરત સેઈઆને કાજ મુજ જે અન્નને. રાંધો તમે વહોરાવજો તે સાધુ સાધ્વી વર્ગને શ્રાવકાદિ જમાડજો રાંધેલ બીજા અન્નથી, સંધજનશેષ અન્ન જમીશ નિયમે આજથી. ૩૩ સ્પષ્ટ–વિપુલવાહન રાજાએ શ્રી સંઘની ભકિત કરવાનો નિશ્ચય કરીને રઈયાને બેલાવીને હુકમ કર્યો કે તમે મારે માટે જે જે રઈ બનાવે તે તમે જે કોઈ સાધુ મહારાજ કે સાધ્વીજી મહારાજ પધારે તેમને હોરાવજે. અને રાંધેલી બીજી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy