SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિજયપત્રરુરિકૃતપ્રસંગે જિન વચનોના શ્રવણાદિથી થતા લાભને પણ જણાવ્યા. હવે દેશના પૂર્ણ કરવાના ઈરાદાથી અંતે જિનધર્મની આરાધના કરવામાં ઉજમાલ થવા માટે ભવ્ય જીને શું કહે છે? તે બીજા ૯ માં શ્લેકમાં જણાવે છે. ૯૮ મરણ સુધરે ધર્મથી તેથી ટળે ચારે ગતિ, - મેક્ષ પણ જિનધર્મથી તસ સાધને ધારે મતિ, મમતા હરી સમતા ધરે અરિહંત આદિક ચારના, શરણે રહી માનવ જીવનને સફલ કરજો ભવિજના ! ૯૯ સ્પષ્ટાર્થ – હે ભવ્ય છે ! આ દેશનાને અંતે તમારે સમજવું જોઈએ કેમેક્ષના સાધનારૂપ આ શ્રી જિનધર્મની આરાધના કરવાથી મરણ સુધરે છે. કહેવાને સાર એ છે કે જેમણે જિનેશ્વર દેવે કહેલા ધર્મની સાધના કરી છે તે જો જરૂર સમાધિપૂર્વક શાંતિથી મરણ પામે છે. અને આજ ધર્મની આરાધના કરવાથી નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિમાં રખડવાનું બંધ થાય છે. વળી આજ જિનધર્મની સાધનાવડે છેવટે મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે. માટે આ મોક્ષમાર્ગનાં સાધનોને વિષે મતિ ધારણ કરજો એટલે તમે આ મેક્ષનાં સાધનોને આરાધવામાં જરૂર ઉદ્યમ કરજો. તથા મમતા એટલે મમત્વ ભાવ અથવા મારૂં ઘર, મારૂં કુટુંબ, મારૂં ધન, મારો પુત્ર, મારી સ્ત્રી એવા પ્રકારના મમતાભાવનો ત્યાગ કરજે. તેમજ સમતાને ધારણ કરજો. કારણ કે સમતાભાવ વિના કરેલી ધર્મકરણ મુક્તિના સુખને દેતી નથી. વળી શ્રી અરિહંત ભગવંત આદિ ચાર એટલે અરિહંત, સિદ્ધ, સાધુ તથા કેવલી ભાષિત ધર્મ એ ચાર પદાર્થોનાં શરણ સ્વીકાર કરીને ઘણી મહેનતે મેળવેલ મનુષ્ય જીવનને સફળ કરો. અહીં શ્રી અભિનંદન સ્વામીની દેશના પૂર્ણ થઈ. ૯ પ્રભુની દેશનાનું ફળ જણાવી પ્રભુ તીર્થની સ્થાપના કરે છે તે કે માં જણાવે છે – દેશનાને સાંભળી બહુ ભવ્ય છ પામતા, દીક્ષાદિને ઉલ્લાસથી શિવમાર્ગને આરાધતા; સદ્ધર્મ તીર્થ સ્થાપતા એક સેને સેલ ગણી થતા, તેટલાજ ૯ગણે અનુજ્ઞા ગણ પ્રમુખની આપતા. ૧૦૦ સ્પષ્ટાથે–આ પ્રમાણે પ્રભુ શ્રી અભિનંદન સ્વામીની ધર્મદેશના સાંભળીને ઘણા ભવ્ય જીવે દીક્ષાદિકને પામ્યા. એટલે કેટલાક ભવ્ય એ સર્વવિરતિ ચારિત્રને ગ્રહણ કર્યું. અને જેઓ ચારિત્ર ગ્રહણ કરવાને શક્તિમાન નહતા તેઓએ દેશવિરતિ અથવા શ્રાવક ધર્મ સ્વીકાર્યો. તથા બીજા કેટલાક ભવ્ય જીવો આ બંને ગ્રહણ કરવાને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy