SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ભાગ ચ ] તેવા જીવે ભરતી વખતે તે મરણ પામનાર-પૂર્વે કહેલ પુણ્યશાલી જીના મરણથી વિપરીત રીતે મરણ પામે છે એટલે કે તે જ હવે અમારી કેવી દશા થશે? પરભવમાં અમારે કેવા કેવા દુર્ગતિના દુખે ભેગવવાં પડશે? એવો પશ્ચાત્તાપ કરીને રડતાં રડતાં મરણ પામે છે. અને તેઓ મરણ વખતે પણ ઘણા રીબાય છે એટલે દુઃખી થઈને મરણ પામે છે. આવા જીને અહીંના કેઈ પણ છ સંભારતા પણ નથી. ૮૯. આ ચાર શરણને સ્વીકાર કરવાથી કણ કણ તરી ગયા? તે અને બીજી પણ જરૂરી બીના દષ્ટાંત પૂર્વક પાંચ àકેમાં જણાવે છે – પુત્ર સગર ચકી તણું અશરણપણે મૃત્યુ લહ્યા, તેમને સ્વાધીન દેવો પણ બચાવી ના શકયા આચાર્ય સ્કંદકસૂરિ શિષ્ય પાંચસે અશરણદશા, ભાવતાં સર્વજ્ઞ થઈને સાધતા સિદ્ધની દશા. સ્પષ્ટાર્થ–બીજા તીર્થપતિ શ્રી અજીતનાથના વખતમાં થએલા સગર નામના બીજા ચક્રવતી જેમને ૬૦ હજાર પુત્રો હતા. તેમણે અષ્ટાપદ તીર્થની રક્ષા કરવા માટે તેને ફરતી ખાઈ બનાવી હતી તેઓ મહાપરાક્રમી હતા તે પણ નાગરાજ ભુવનપતિ દેવના કેપને લીધે બળીને ભસ્મ થઈ ગયા તે વખતે તેમને કઈ શરણરૂપ થયું નથી. જો કે તેમના તાબામાં દેવે પણ રહેલા હતા તે પણ તેઓ અકાલ મરણને પામ્યા અને &દક નામના આચાર્યના પાંચસે શિષ્યને રાજાએ મંત્રીના કહેવાથી ઘાણીમાં પીલવા માંડ્યા હતા તે બધા શિષ્ય અશરણ ભાવનાને ભાવતાં ભાવતાં સાચા શરણરૂપ અરિહં. તાદિકનાં શરણું અંગીકાર કરીને શુભ ભાવનાના પ્રભાવે મરણ પામતી વખતે કેવલજ્ઞાન પામીને એટલે અંતગડ કેવલી થઈને તરતજ મોક્ષના સુખને પામ્યા. આ મોક્ષની પ્રાપ્તિમાં અશરણ ભાવનાની મુખ્યતા જાણવી. અહીં તથા આગળ જણાવેલા સ્કંધક સૂરિના શિષ્યાદિના દષ્ટાંત પ્રભુશ્રી અભિનંદન સ્વામીએ દેશનામાં કહ્યા નથી. છતાં અશરણપણાના યથાર્થ રહસ્યાદિને જણાવવાના મુદ્દાથી જણાવ્યા છે. અને સત્ય શરણના પ્રભાવાદિને યથાર્થ સ્વરૂપે સમજાવવાનું પરમ સાધન દષ્ટાંતે જ છે. તેવા પ્રાચીન દષ્ટાંત આ શ્રી અભિનંદન સ્વામીના સમયના કે પૂર્વકાલના જે બહુજ થોડાં દખતે મલી શક્યા છે, તે પણ જયાં ખાસ જરૂરિયાત જણાઈ, ત્યાં જણાવ્યા છે. આજ કારણ હવે પછીના શ્લોકમાં પણ સમજવું. આ લેકમાં કહેલા સગર ચક્રવર્તિના પુત્રની બીના ટુંકામાં આ રીતે જાણવી– પિતૃમાતૃકલત્રાયુદ્યમંત્રસુરાદિકા નવ રક્ષત્તિ જીવાનાં, તાત્સ્ય ભયે સતિ છે ૧છે અર્થ –“જ્યારે યમરાજાને ભય પ્રાપ્ત થાય છે, એટલે મૃત્યુ આવે છે ત્યારે પ્રાણીઓનું માતા, પિતા, સ્ત્રી, આયુ, વૈદ્ય, મંત્ર કે દેવાદિક પણ રક્ષણ કરી શકતા નથી.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy