SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ( શ્રી વિજ્યપદ્રસૂરિકૃતતેહને પણ મરણ ન તજે મરણ દુઃખને ટાળવા, ચાર અર્થે સમર્થ તે અરિહંત આદિક જાણવા. ૩૦ સ્પષ્ટાઈ–વળી જેઓ વિવિધ પ્રકારના મંત્ર, વિદ્યાઓને જાણનારા હતા, અને ઉત્તમ પ્રકારની ઔષધિઓને જાણતા હતા તથા જેમણે મંત્રાદિથી ઉત્તમ દેવોને પણ પિતાને વશ કર્યા હતા તેમજ જેઓએ ઉત્તસ રસાયણો ખાઈને શરીર બળ ઘણું વધાર્યું હતું. તે તમામ જીને પણ આ મરણ છોડતું નથી. આવા પ્રકારના મનુષ્યોને પણ આયુષ્ય પૂરું થાય કે તરતજ આ દારિક શરીરને ત્યાગ કરીને બીજી ગતિમાં જવું પડે છે. માટે જેઓને મરણને ભય લાગ્યું હોય અને જેઓ મરણને ટાળવા એટલે દૂર કરવાને ઈચ્છતા હોય તે ભવ્ય એ પહેલાં જણાવેલા શ્રી અરિહંત પ્રભુ, સિદ્ધ ભગવંતે, સાધુઓ અને કેવલી ભગવંતે કહેલો ધર્મ એ ચાર પદાર્થોને આશરે ( શરણ ) જરૂર ગ્રહણ કરવા ( લેવા ) ગ્ય છે. કારણ કે એ ચાર પદાર્થોને આશ્રય કરનાર ભવ્ય જીના મરણના હેતુભૂત સર્વ કર્મોને નાશ થતો હોવાથી તેમના કર્મજન્મ મરણને પણ નાશ થાય છે. કારણ કે જ્યાં સુધી કર્મો હોય ત્યાંસુધી જ મરણ થાય છે. આ રીતે તમામ કર્મોને નાશ કરવાથી પ્રાપ્ત થયેલ મોક્ષ ( મુક્તદશામાં ) આ જીવ આદિ અનંતકાળ સુધી રહે છે. માટે તમારે આ ચાર પદાર્થોનું શરણુ જરૂર સ્વીકારીને પરમ ઉલ્લાસથી મોક્ષ માર્ગની સાત્વિકી આરાધના કરવી જોઈએ. આ રીતે તમે મરણના ભયને ટાળીને નિર્ભય બની શકશે. ૭૦ તનમાં પવનને દીર્ઘ કાલ સુધી કદી થંભાવીએ, અથવા જલધિ તીર વાસ કરીએ ગિરિશિખર આહીએ તેયે જરાથી જીર્ણ થઈએ તે ન છેડે કોઈને, મરણ નિશ્ચિત જન્મીને ન જરા વિનિશ્ચિત કોઈને. ૭૧ સ્પષ્ટાર્થ–હવે જરા એટલે વૃદ્ધાવસ્થામાંથી બચવું મુશ્કેલ છે તે જણાવે છે – કેટલાક માણસે પોતાની જુવાની ટકાવી રાખવા માટે શરીરમાં પવનને લાંબા કાળ સુધી રોકી રાખે છે અથવા તો પ્રાણાયામ વગેરે ક્રિયા કરે છે અને કેટલાક લોકો જલધિ તીર એટલે સમુદ્રના કાંઠે વાસ કરે છે એટલે રહે છે, તથા કેટલાક લોકે ગિરિશિખર એટલે પર્વતના શિખર ઉપર ચઢે છે તે પણ તેઓ જરાથી અથવા ઘડપણુથી બચી શકતા નથી, કારણ કે તે ઘડપણ કેઈને છેડતું નથી. પરંતુ જેમ જન્મેલા મનુષ્યને મરણ અવશ્ય હોય છે તેમ આ ઘડપણ દરેકને નિશ્ચિત નથી કારણ કે વૃદ્ધાવસ્થામાં જ મરણ આવે તેવો નિયમ નથી. કેટલાક જ એવા છે કે જેઓ જન્મીને થડા વખતમાં જ અથવા બાલ્યાવસ્થામાં મરણ પામે છે. ને કેટલાક જી એવા પણ છે કે જેઓ ભરજુવાનીમાં પણ મરણ પામે છે. ત્યારે કેટલાક છો એવા પણ છે કે જેઓ ઘડ૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy