SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિજ્યપધરિતસ્પષ્ટાર્થ:–શક્રેન્દ્ર એટલે સૌધર્મ નામના પહેલા વૈમાનિક દેવલેકના ઇન્દ્ર આ રીતે પ્રભુની સ્તુતિ કરીને વિરમ્યા એટલે અટક્યા અથવા તેમણે સ્તુતિ પૂરી કરી. ત્યાર પછી કેવલ જ્ઞાન પામેલા ચોથા તીર્થંકર શ્રીઅભિનંદન સ્વામીએ મેઘ સરખી ગંભીર વાણી વડે આત્મિક સુખને આપનારી દેશના આ પ્રમાણે શરૂ કરી–હે ભવ્ય છે ! આપદા એટલે અનેક પ્રકારના દુઓની ખાણ સરખા આ સંસારમાં રહેલા દુઃખી ને સ્વજનાદિ એટલે પોતે માનેલાં સગાં સંબંધી વગેરેમાંથી કઈ પણ શરણ રૂપ થતું નથી. અથવા દુખમાંથી કઈ પણ છોડાવી શકતું નથી. ૫૮. દુખથી બચાવી સત્ય સુખને જે દીએ તે શરણના, ચાર નિક્ષેપા સુગમ ત્યાં નામ શરણ સ્થાપના દ્રવ્ય શરણ તૃપાદિનું ને દ્રવ્યથી જે પામીએ, અરિહંત સિદ્ધ મુનિ ધર્મ શરણાં ભાવ શરણ વિચારીએ. ૫૯ સ્પાર્ક – જે સંસારના વિવિધ પ્રકારના આધિ વ્યાધિ ઉપાધિના દુખમાંથી બચાવીને મોક્ષના સાચા સુખને આપે તે શરણ કહેવાય છે. તે શરણ શબ્દના ચાર નિક્ષેપ આ રીતે જાણવા–૧ નામ શરણુ, ૨ સ્થાપના શરણું, ૩ દ્રવ્ય શરણુ અને ૪ ભાવ શરણ. આ ચાર શરણમાંથી નામ શરણુ અને સ્થાપના શરણ સુગમ છે. એટલે કોઈ પણ બાલક વગેરેનું શરણું એવું નામ પાડયું હોય, તે નામ શરણ કહેવાય. શરણ એવા અક્ષર લખવા તે સ્થાપના શરણ કહેવાય. તથા દ્રવ્ય શરણ એટલે જે પિતાથી વધારે બળ વગેરેને ધારણ કરતા હોય, તેવા રાજા વગેરેના બળનું શરણ તે દ્રવ્ય શરણ જાણવું. અને અરિહંત ભગવંતનું શરણ, સિદ્ધોનું શરણુ અને સાધુઓનું શરણ તથા કેવલી ભગવંતે કહેલા ધર્મનું શરણ એમ ચાર પ્રકારે ભાવ શરણ જાણવું. આ અરિહંતાદિ ચાર પદાર્થોનું શરણ તેજ સાચું કારણ જાણવું. કારણ કે તેમનું જ શરણ ભવ્ય જીવને આ સંસારના દુખે માંથી છોડાવીને સાચા સુખના સ્થાન રૂપ મેક્ષપદને આપે છે. ૫૯. દવ્ય શરણે અલ્પ કાલીન સુખ ઇહાંજ વિચારીએ, ભાવ શરણે નિત્ય સુખ પણ પરભવે પણ પામીએ; બેઉમાં પણ ભાવ શરણ પ્રધાનતા ના ભૂલીએ, સગતિને લાભ એથી મુક્તિ સુખ પણ પામીએ ૬૦ સ્પષ્ટાર્થ –દ્રવ્ય શરણને લીધે ઈહાંજ એટલે આ ભવમાં થોડા વખતનું સુખ મળે છે એમ જાણવું. તે સુખ પણ ખરૂં સુખ નથી. પરંતુ ભાવ શરણને લીધે નિત્ય સુખ મળે છે અથવા કદાપિ નાશ ન પામે તેવું શાશ્વત સુખ મળે છે. વળી આ સુખ આ ભવ તેમજ પરભવ એમ બંને ભવમાં મળે છે. માટે જ આ દ્રવ્ય શરણ અને ભાવ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy