SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ભાગ ચ ] અને ઉપર આઠ પૂર્વાગ એટલા વર્ષો (સમય) સુધી રાજ્ય કર્યું. એ (કાલ) તેમને રાજ્ય કાલ (૫૫) જાણ. અહીં ૮૪ લાખ વર્ષે એક પૂર્વાગ થાય. અને તેવા ૮૪ લાખ પૂર્વાગોનું એક પૂર્વ થાય એમ જાણવું. વળી આ શ્રીઅભિનંદન સ્વામી ચક્રવતી (૫૬) ન હતા એમ જાણવું. ઉપર જણાવ્યા પ્રમાણે રાજ્ય કર્યા પછી નવ લોકાન્તિક દે (૫૭) પ્રભુને દીક્ષાને અવસર અવધિજ્ઞાને જાણીને પ્રભુની પાસે આવીને વિનંતિ કરવા લાગ્યા કે “હે જિનેશ્વર ! આપ ધર્મ તીર્થને પ્રવર્તાવો.” એ પ્રમાણે પ્રભુને વિનંતિ કરીને તે દેવે સ્વર્ગમાં પિતાને સ્થાનકે ગયા. ૪૨ પ્રભુનું વાર્ષિક દાન તથા દીક્ષા વિધિ ત્રણ શ્લોકમાં જણાવે છે —– દીક્ષા દિવસથી વર્ષ પહેલાં દાન વાર્ષિક આપતા, જ ભકે દ્રવ્યાદિ પૂરે દીક્ષાભિષેકે આવતા ઈંદ્રાદિ અભિષેકાદિ વિધિએ નાથને શણગારતા, અર્થસિદ્ધા૫૯ પાલખીમાં મધ્ય આસન બેસતા. ૪૩ સ્પષ્ટાર્થ–પ્રભુએ દીક્ષા લીધા પહેલાં એક વર્ષ સુધી વાર્ષિક દાન (૫૮) આપ્યું. તે વખતે ભક જાતિના વ્યંતર દેવે પ્રભુને દાન આપવા માટે વ્યાદિક લાવીને આપતા હતા. (પૂરતા હતા, હાજર કરતા હતા) એક વર્ષ પૂરું થયું ત્યારે ઈન્દ્રાદિક દેવે પ્રભુના દીક્ષાભિલાષને જાણીને પ્રભુની પાસે આવ્યા. ત્યાર પછી પ્રભુને દીક્ષા માટે અભિષેક વિધિ એટલે પ્રભુને સ્નાન વગેરે કરાવવાને સંપૂર્ણ વિધિ કરીને પ્રભુના શરીરે અલંકારે પહેરાવે છે. એ પ્રમાણે પ્રભુને શણગાર્યા પછી પ્રભુ શ્રીઅભિનંદન સ્વામી અર્થસિદ્ધા (૫૯) નામની પાલખીમાં મધ્ય આસન એટલે તેમાં મૂકેલા વચલા સિંહાસન ઉપર બેઠા. ૪૩ મનુભદેવ ઉપાડતા સહ સાજ પૂર્ણ મહોત્સવે, અધ્યા° સહસ્ત્રાપ્ર૧ ઉદ્યાને અશોક તલે હવે આભૂષણાદિક છંડતા સુરદૂષ્પ૬૩ પ્રભુટ્યુબે હરિ માહ સુદ બારસ૬૪ પુનર્વસૂપ મિથુન શશિગે સ. ૪૪ સ્પાર્થ –ત્યાર પછી તે અર્થસિદ્ધા પાલખીને પ્રથમ મનુષ્યો અને પછી દેવેએ ઉપાડી. તે પછી બધી સામગ્રી સાથે મોટા મહત્સવ પૂર્વક અયોધ્યા નગરીમાંથી () નીકળીને પ્રભુને વરઘેડ સહસ્ત્રાગ્ર (૬૧) નામના ઉદ્યાનમાં આવ્યું. તે ઉધાનમાં અશોક વૃક્ષની નીચે (૬૨) પ્રભુ શ્રીઅભિનંદન સ્વામી પાલખીમાંથી નીચે ઉતર્યા. તે પછી પ્રભુએ પિતાના શરીર ઉપરના સઘળા આભૂષણને ત્યાગ કર્યો. તે વખતે ઈન્દ્ર મહારાજે પ્રભુના ખભાને વિષે દેવદ્રષ્ય (૬૩) વસ્ત્રને ઠવ્યું. (સ્થાપન કર્યુંતે વખતે મહાસુદ બારસને (૨) દિવસ (દીક્ષાદિન) હતા, અને પુનર્વસુ નામના નક્ષત્રને (૬૫) અને મિથુન નામની રાશિને (૬૬) ચંદ્ર સાથે યોગ હતે. ૪૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy