SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ [ શ્રી વિજયપઘસરિકૃતછે. ૨૫ મેં ઘણું ઘી મેળવ્યું, આવા સ્વપ્નને જે જૂએ, તે પુરૂષ જશ કીર્તિને પામે છે, ને મેં ક્ષીર (ખીર)ની સાથે ઘી ખાધું, આવું સ્વપ્ન પ્રશસ્ય (સારું) ગણાય છે. ૨૬ સ્વપ્નમાં હસવાથી જલ્દી શેક (દીલગીરી) થાય છે, ને પ્રવૃત્તિ (ગમન આગમનાદિ કાયિક કિયા) કરવાથી વધને પામે છે, અને નાચતાં બંધનને પામે છે. ભણતાં તે જીને કલેશ થાય, એમ પંડિતાએ જાણવું. ૨૭ સ્વપ્નમાં કાળી ગાય, ઘેડ રાજા હાથીને દેવ સિવાયની જેએલી કાળી ચીજો સારી ગણાતી નથી, અને સફેદ કપાસને મીઠું વગેરે સિવાયના ધાળા પદાર્થો સ્વપ્નમાં જોયા હોય, તે તે સારા ગણાય છે. ૨૮ પિતાની બાબતમાં જેએલા શુભ-અશુભ સ્વપ્નનું ફલ પોતાને મળે નહી. ૨૯ જ્યારે ખરાબ સ્વપ્ન આવે, તે વખતે દેવ ગુરુની ભક્તિ અને તપ વગેરે કરવાથી તે અશુભ સ્વપ્ન પણ સુસ્વપ્ન બની જાય છે. એટલે તે ખરાબ સ્વપ્ન દુર્બલ થવાથી તેનું અનિષ્ટ ફળ મળતું નથી પણ તે સારા સવપ્નરૂપે પરિણામ પામીને સારા ફળને આપે છે. ૩૦ તથા સર્વાનુગમય પંચમાંગ શ્રીભગવતી સૂત્રાદિ જિનાગમ પણ જણાવે છે કેસ્ત્રી કે પુરૂષ સ્વપ્નમાં એક મોટા દૂધના ઘડાને અથવા દહીં ઘી કે મધના ઘડાને (ચાર પ્રકારના કુંભમાંથી કઈ પણ કુંભને) જૂવે ને ઉપાડે, એટલે મેં એ પૂર્વે કહેલા કુંભને ઉપાડ, આવા સ્વપ્નને જે દેખે, તે પુણ્યશાલી જીવ તે જ ક્ષણે બોધ પામે છે, ને તેજ ભવમાં મોક્ષમાર્ગને આરાધીને સિદ્ધિપદને પામે છે એટલે ભવ સમુદ્રને તરી જાય છે. ૧ સ્ત્રી કે પુરૂષ સ્વપ્નમાં એક મોટા હિરરૂચના રાશિને (ઢગલાને), અથવા રત્નના કે સુવર્ણના કે વજ (હીરા)ના રાશિને જૂએ, ને તેની ઉપર ચઢે એટલે હું ચઢયે આવું જૂએ, તે તત્કાળ બેધ પામે છે, ને તે જ ચાલુ ભવમાં સિદ્ધિપદને પામે છે. ૨ એજ પ્રમાણે જે સ્ત્રી કે પુરૂષ લોઢાના, કલાઈના, તાંબાના, સીસાના રાશિને જૂએ, તે બીજે ભવે સિદ્ધિપદને પામે છે. (ભ૦ ૫૮૧) પ્રભુ શ્રીઅભિનંદન સ્વામીની માતા શ્રીસિદ્ધાર્થ રાણી પૂર્વે કહેલી સ્વપ્નની તમામ બીના જાણતા હતા. તેથી સારા સ્વપ્નને જોઈને જાગતા રહ્યા, ને શ્રીજિનેશ્વર દેવનું સ્તવનાદિ કરીને શેષ રાત્રી પૂરી કરી. ૨૩ પ્રભુને જન્મ કયારે થયે તે બે શ્લોકમાં જણાવે છે – પૂજ્યને અવતાર જગને સૌખ્ય દાયક થાય છે, અનુક્રમે અડ માસ દિન અડવીસર૪ જ્યારે જાય છે, ચતુથરક ઉત્તરાર્ધ માહ સુદ બીજર રજનીએ, અર્ધરાતર૭ પુનર્વસુનેર૮ મિથુનર૯ આપે જન્મને. ૨૪ સ્પષ્ટાથે–આવા પૂજ્ય પુરૂષને અવતાર જગતને સુખ આપનારો થાય છે. એટલે પુણ્યવંત પુરૂષને પૃથ્વી ઉપર જન્મ થવાથી જગતના લેકે જરૂર સુખી થાય છે. ગર્ભનું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy