SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિજ્યપારિકૃતત્રણ ભુવનને નાથ સુત હશે તરત ઇંદોર કહે, સુત તમારા તીર્થપતિ ચોથા થશે સુણી જનની એ, ખૂબ આનંદિત બનીને શેષ રાત્રી જાગતા, પૂરી કરી માતા સુખેથી ગર્ભને પરિપાલતા. ૨૩ સ્પષ્ટાર્થ–સંવર રાજા સિદ્ધાર્થ રાણીને કહે છે કે તમે જોયેલા આ ચૌદ સ્વપ્નના ફલરૂપે તમને પુત્રને લાભ થશે. તે તમારો પુત્ર ત્રણ ભુવનને સ્વામી થશે. ત્યાર પછી ત્યાં તરત આવેલા ઈન્દ્રોએ રાણીને કહ્યું કે હે માતાજી ! તમારા પુત્ર ભવિષ્યમાં આ ભરત ક્ષેત્રને વિષે ચોથા તીર્થકર થશે. આ સાંભળીને આનંદ પામેલ માતાએ બાકીની રાત્રી જાગીને પૂરી કરી. કારણ કે સારાં સ્વપ્નને જોઈને ઉંઘી જનાર જીવને સ્વપ્નનું ફળ મળતું નથી. ત્યાર પછી માતા સુખ પૂર્વક ગર્ભનું પાલન કરવા લાગ્યા. આ ત્રણ કેમાં જણાવેલા સ્વપ્નના વર્ણન પ્રસંગે તેના પ્રકારાદિની બીન ટૂંકામાં આ રીતે જાણવી–૧ દિવસે અનુભવેલા (૨) સાંભળેલા (૩) અને જોયેલા પદાર્થો સંબંધી સ્વપ્ન આવે છે. તથા (૪) શારીરિક પ્રવૃતિમાં વિકાર (કફ પિત્તાદિના પ્રકે પાદિ) થવાથી (૫) સ્વભાવથી (૬) તેમજ અનેક પ્રકારની ચિંતાથી પણ સ્વપ્ન આવે છે. (૭) ઈષ્ટ દેવાદિના ઉપદેશથી (૮) ધર્મ ક્રિયાના પ્રભાવથી (૯) અને પ્રબલ પાપ કર્મોના ઉદયથી પણ સ્વપ્ન આવે છે. આ રીતે સ્વપ્નના નવ પ્રકારમાંથી શરૂ આતના ૬ સ્વપ્નમાંનું શુભ કે અશુભ સ્વપ્ન જેને આવે, તેને તેનું કંઈ પણ ફલ મળતું નથી. પણ છેલ્લા ત્રણ પ્રકારના સ્વપ્નનું ફળ જરૂર મળે છે. ૧-૨-૩. રાત્રિના પહેલા પહેરે જોયેલા સ્વપ્નનું ફળ બાર મહિને મળે છે, અને બીજા પહેરે જોયેલા સ્વપ્નનું ફળ ૬ મહિને મળે છે. તથા ત્રીજા પહેરે જોયેલા સવપ્નનું ફળ ત્રણ મહિને મળે છે, તેમજ ચોથા પહેરે જોયેલા સ્વપ્નનું ફળ એક મહિને તે જરૂર મળે. ૪ રાત્રિની છેલી બે ઘડીની અંદર જોયેલા સ્વપનનું ફળ દશ દિવસમાં મળે છે. પરંતુ સૂર્યોદયે જોયેલા સ્વપ્નનું ફળ જલદી નિશ્ચયે મળે છે. એ દિવસે જોયેલા માળાના સ્વપ્નનું ફળ અને આધિ વ્યાધિ મલ મૂત્રાદિની પીડાથી આવેલા સ્વપ્નનું ફળ મળતું નથી. ૬ જે જ ધમ હોય અને જેમના દેહે રસ રૂધિરાદિ ધાતુઓ સમાન ભાવે વ છે એટલે લોહીનું દબાણ વગેરે ઉપદ્રવોથી રહિત સાત ધાતુઓ વ છે, તથા જેએનું મન સ્થિર છે, તેમજ જેઓ ઇંદ્રિય દમન દયાદિ ગુણોને ધારણ કરે છે. તે સર્વ પ્રકારના જીને આવેલા સ્વ ઘણું કરીને ઈષ્ટ અર્થોને આપે છે. ૭ ખરાબ સ્વપ્ન આવ્યું હોય, તે તે કેઈને પણ કહેવું નહી. પણ સારું સ્વપ્ન શ્રી આચાર્ય ભગવંત વગેરે ગુરૂ આદિ આગળ કહેવું જોઈએ. જે ગુરૂ આદિ ન મળે, તે છેવટે ગાયના કાનની નજીક જઈને પણ સ્વપ્નની બીના સંભળાવવી. ૮ ઈષ્ટ સ્વપ્નને જોઈને બાકીની રાત જિનેશ્વર દેવના સ્તવનાદિ કરી પૂરી કરવી. પણ સૂવું નહીં. કારણકે સૂઈ જાય, ને નિદ્રા યે તે તે ઈષ્ટ સ્વપ્નનું ફળ મળતું નથી. હું અનિષ્ટ (અશુભ) સ્વપ્નને ચા બાદ જે રાત અધૂરી (અપૂર્ણ) હેય, તે સૂઈ જવું જોઈએ, ને તેવું અશુભ સ્વપ્ન કેઈની પણ આગળ ન કહીએ તો તે અશુભ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy