SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ભાગ ચ ] ઘતકાર બો-આવી બુદ્ધિની કુશળતા તમારામાં જ છે, તેનામાં નથી, તેથી તેનું સર્વ સ્વ મારા હાથમાં આવેલું જ છે, એમ હું સમજું છું. આ પ્રમાણે કહી તે ચાલ્યા ગયે. થોડી વાર પછી પેલા ચાર ધૂર્તોએ આવી પિતાની કથા કહી સંભળાવી. તે સાંભળી યમઘંટા બેલી-“ આ પ્રપંચમાં તમને કાંઈ લાભ થાય એવું મારા જેવામાં આવતું નથી; કારણ કે તે એમ બોલશે કે “ હું સમુદ્રના જળનું પ્રમાણ કરી આપું, પણ તમારે પ્રથમ તેમાં મળતી નદીઓનું જળ જુદુ કરી દેવું પડશે.” તો પછી તેમ કરવાને તમે અશક્ત છે, એટલે તમે તમારા ઘરનું સર્વસ્વ હારી બેસશે.” તે સાંભળી તે ધૂર્ત લોકો ગ્લાન મુખ કરી (નારાજ થઈને) પિતાને સ્થાને ચાલ્યા ગયા. શ્રેષ્ઠીપુત્ર રત્નચૂડ આ બધા યુક્તિવાળા ઉત્તર સાંભળી તે ચિત્તમાં ઠસાવી ત્યાંથી ઉઠીને રણઘંટા વેશ્યાપુત્રીની સાથે તેના ઘરમાં ગયે; અને તેની આજ્ઞા લઈ પિતાને સ્થાને આવ્યું. પછી અકાએ બતાવેલી યુક્તિઓથી તેણે સર્વ કાર્ય સાધવા માંડયાં. પેલા કરિ. યાણું લઈ જનારા વેપારી પાસેથી અને સમુદ્રજળનું પ્રમાણ કરાવનારા ધૂત પાસેથી તેણે બળાત્કારે ચાર લાખ દ્રવ્ય લીધું. આ વૃત્તાંત સાંભળી તે નગરને રજા આશ્ચર્ય પામ્યો. તેણે કહ્યું–“આ પુરૂષનું મહામ્ય અદ્ભુત છે, કે જેણે આ ધૂર્તનગરના લોકો પાસેથી પણ દ્રવ્ય લીધું.” આ પ્રમાણે વિસ્મય પામેલા રાજાએ રત્નચૂડને બેલાવીને કહ્યું-“ભદ્ર ! હું તારી ઉપર સંતુષ્ટ (રાજી) થયે છું, તેથી તારી જે ઈચ્છા હોય તે કહે.” રત્નચૂડે રાજા પાસે રણઘંટા ગણિકા માગી. રાજાએ આજ્ઞા આપવાથી તે તેની સ્ત્રી થઈને રહી. આ પ્રમાણે લાભ મેળવી રચૂડ કરિયાણાથી વહાણ ભરીને પિતાની નગરીએ આવ્યા, અને માતાપિતાના ચરણમાં પ્રણામ કરી સર્વ વૃત્તાંત પિતાને જણાવ્યું. તે સાંભળી શ્રેષ્ઠીના મનમાં અધિક હર્ષ થશે. રત્નચૂડની ખ્યાતિ સાંભળી સૌભાગ્યમંજરી વેશ્યા તેને જોવા આવી. રત્નચૂડે તે વેશ્યાને કહ્યું-“ભદ્ર ! તારા ઉપદેશથી જ દેશાંતર જઈને આ લક્ષમી મેં સંપાદન કરેલી છે.” પછી રાજાની આજ્ઞા મેળવીને સૌભાગ્યમંજરી પણ રત્નસૂડની પત્ની થઈ. ત્યાર પછી રત્નચૂડ બીજી ઘણી સ્ત્રીઓ પરણી પાર્જિત દ્રવ્યવડે દાન અને ઉપભેગા કરવા લાગે. | ચિરકાળ સાંસારિક ભેગ ભેગવી, પિતાના પુત્રને ગૃહભાર સંપી, સદગુરૂની પાસે અહિંસામૂલ જિન ધર્મ સાંભળી, વૈરાગ્ય પામીને રત્નચૂડે દીક્ષા ગ્રહણ કરી; અને રુડી રીતે દિક્ષા પાળી સમાધિથી મૃત્યુ પામીને સ્વર્ગે ગયો. અનુક્રમે મહાનંદપદ (મોક્ષ)ને પામશે. આ કથાને ઉપનય આ પ્રમાણે છે-“વણિકપુત્ર રનયૂડ તે ભવ્યજીવ સમજે. તેના પિતા તે ધર્મદાયક ગુરુ જાણવા. સૌભાગ્યમંજરી વેશ્યાનાં વચન તે સાધર્મિકનાં વચને સમજવાં. તેથી થયેલા ઉત્સાહથી તે પુણ્યલકમીનો સંચય કરવાને ઉદ્યમવંત થયે. તેના પિતાએ જે મૂળ દ્રવ્ય આપ્યું તે ગુરુદત્ત ચારિત્ર સમજવું. અનીતિપુરે જવાને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy