SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિજ્યપધસૂરિકૃતબચાવે તે ધર્મ કહેવાય. બીજા કહેવાતા ધર્મો હિંસાદિ પાપ કર્મોને કરવાને ઉપદેશ કરનાર હોવાથી તે સાચા ધર્મ ન કહેવાય એવી શ્રી મહાબલ રાજાની શ્રદ્ધા હતી. આ શ્લેકમાં જણાવેલ ચાર પ્રકારની બુદ્ધિમાં પ્રથમ કહેલ ઔત્પાતિકી બુદ્ધિના સ્વરૂપને સ્પષ્ટ રીતે સમજાવનારું “ ક” (રેહા)નું દૃષ્ટાંત ટૂંકામાં આ પ્રમાણે જાણવું– ત્પત્તિજ્યાદિબુદ્ધિજ્ઞો, રેહક જનતાનું યત્ | સન્માન્યભૂત્તથા ધાયે, ધર્મવદિગુણોત્તર છે ૧ | અર્થ –“ઔત્પાતિકી વિગેરે બુદ્ધિને જાણનાર રેહક જેમ લેકમાં અતિ માન્ય થયે તેમ ધમી માણસેએ તે શ્રેષ્ઠ ગુણને ધારણ કરે.” છે રેહકનું દૃષ્ટાંત છે અવન્તી નગરીની પાસે નટ નામના ગામમાં ભરત નામે એક નટ રહેતે હતે. તેની પહેલી સ્ત્રી મરણ પામી હતી, પણ તે સ્ત્રીથી ઉત્પન્ન થયેલો ઔત્પાતિકી બુદ્ધિવાળો રોહક નામે એક પુત્ર હતો. તે ભરત નટ બીજી સ્ત્રી સાથે પરણ્યો હતો. તે સ્ત્રી રેહકને ખાવા પીવાનું બરાબર આપતી નહી, તેથી એક વખત રેહકે તેને કહ્યું કે “હે મા ! તું મને સારી રીતે રાખતી નથી, તેનું ફલ હું તને બતાવીશ.” ત્યારે તે બોલી કે “હે શેકના પુત્ર! તું મને શું કરવાને હતો?” તે બોલ્યો કે “ હું એવું કરીશ કે જેથી તું મારા પગમાં પડીશ.” આમ કહ્યા છતાં પણ તે રોહકને ગણકારતી નહી. એક દિવસ રાત્રે રોકે એકદમ ઉઠીને તેના પિતાને કહ્યું કે “રે રે પિતા ! આ કઈ પુરુષ આપણા ઘરમાંથી નીકળીને નાસી જાય છે, જુઓ !” તે સાંભળીને ભરતે શંકા લાવીને વિચાર્યું કે “જરૂર મારી સ્ત્રી કુલટા છે.” એમ વહેમ લાવીને તે તેના પર પ્રીતિ રહિત થયો. અને તેની સાથે બોલવું પણ બંધ કર્યું; તેથી તે સ્ત્રીએ “આ હકનું કામ છે” એમ જાણીને પુત્રને કહ્યું કે “હે પુત્ર! આ તે શું કર્યું કે જેથી તારા પિતા એકદમ મારાથી પરા. મુખ (નારાજ) થયા? હે પુત્ર ! મારો અપરાધ ક્ષમા કર.” હક બેલ્યો કે “ત્યારે દિક છે, હવે તું ખેદ કરીશ નહી, હું પાછું ઠેકાણે લાવીશ.” પછી તે સ્ત્રી રેહકની મરજી બરાબર સાચવવા લાગી. કેટલાક દિવસો વીત્યા બાદ એક દિવસ રાત્રે તેના પિતા ચાંદનીમાં બેઠા હતા, તે વખતે તેની શંકા દૂર કરવા માટે રેહકે બાલચેષ્ટાથી પિતાના શરીરની છાયાને આંગળી વતી બતાવીને પિતાને કહ્યું કે “હે પિતા! આ કઈ માણસ જાય છે, જુઓ !” તે સાંભળીને ભરતે હાથમાં ખડ્રગ લઈને પૂછ્યું કે “અરે કયાં જાય છે? બતાવ.” ત્યારે રોહકે આંગળીવડે પિતાની છાયા બતાવીને કહ્યું કે “આ રહ્યો, મેં તેને રોકી રાખ્યો છે.” તે જોઈને ભરતે વિચાર્યું કે “ખરેખર, પહેલાં પણ આજ માણસ તેણે દીઠે હશે; તેથી મેં મારી સુશીલ પ્રિયા પર શંકા કરી તે ઠીક કર્યું નહીં.” એમ નિશ્ચય કરીને તે પાછો પિતાની સ્ત્રી પર પ્રેમી થયા. પછી રેહકે વિચાર્યું કે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy