SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનચિંતામણિ ] આવેલું હોવાથી આ દ્વીપનું નામ “જંબુદ્વીપ' કહેવાય છે. આ જંબુદ્વીપમાં બરોબર મધ્ય ભાગમાં એક લાખ જન ઉચે મેરૂ પર્વત આવેલ છે. આ મેરૂ પર્વતથી પૂર્વ દિશામાં પૂર્વ મહાવિદેહ ક્ષેત્ર આવેલું છે. આ ક્ષેત્રમાં સદા કાળ અવસર્પિણીના ચોથા આરાના આદિ કાળ જે ઉત્તમ કાળ પ્રવર્તે છે. આ પૂર્વ મહાવિદેહમાં ૧૬ વિજય (ક્ષેત્ર વિભાગ) આવેલી છે. તેમાં આઠ વિજયે શીતા નદીની (૩) દક્ષિણ દિશામાં અને આઠ વિજ ઉત્તર દિશામાં આવેલી છે. આવા પૂર્વ મહાવિદેહમાં (૪) સર્વ પ્રકારના માંગલિકેના સમુદાયથી શેભાયમાન મંગલાવતી (૫) નામે વિજય આવેલી છે. તે વિજયમાં રત્નસંચય નામે (૬) નગરી આવેલી છે. આ નગરી સમુદ્રના જેવી શોભી રહી લાગે છે. કારણ કે સમુદ્રમાં જેમ રને હેાય છે તેમ આ નગરી પણ અનેક પ્રકારના ઉત્તમ પુરૂષાદિ રૂપ રત્નથી શેભતી હતી. વળી આ નગરી પૃથ્વીના મસ્તકને વિષે રત્ન સરખી જણાય છે. આ રીતે કહેવાને ભાવાર્થ એ છે કે પૃથ્વીને વિષે આ નગરી ઘણી શ્રેષ્ઠ છે. આ નગરીમાં પાછલા ત્રીજે ભવે જે ચોથા અભિનંદન સ્વામીને જીવ છે તે શ્રીમહાબલ રાજા રાજ્ય કરતા હતા. ૩ મહાબલ રાજાનું સ્વરૂપ બે શ્લેકમાં જણાવે છે – ઉત્સાહ મંત્ર પ્રભુત્વ ત્રણથી તે હિમાચલની પરે, તેમ ચાર ઉપાયથી દીપેજ હાથીની પરે, ચી બુદ્ધિના ભંડાર રાજા દેવ શ્રીઅરિહંતને, ગુરૂ તરીકે સાધુને તિમ ધર્મ જિનના ધર્મને. ૪ સ્પષ્ટાથે—જેમ હિમાચલ અથવા હિમવંત પર્વત જે ભરતક્ષેત્રની ઉત્તરમાં આવેલ છે, તે હિમવંત ગંગા નદી, સિંધુ નદી અને રોહિતાશા નદી એમ ત્રણ નદીઓ વડે શોભે છે, તેમ આ મહાબલ રાજા ઉત્સાહ, મંત્ર, ( રાજ્યતંત્રને ચલાવવાને અંગે વિચારણા) અને પ્રભુત્વ (સ્વામિપણું) એ ત્રણ શક્તિઓ વડે શોભે છે. જેમ હાથી પિતાના ચાર દાંત વડે શોભે છે તેમ આ શ્રીમહાબલ રાજા શત્રુ વગેરેને વશ કરનાર સામ, દામ, ભેદ અને દંડ એ ચાર ઉપાયથી શોભે છે. ઔત્પાતિકી બુદ્ધિ વગેરે ચાર પ્રકારની બુદ્ધિના ભંડાર એટલે મહાબુદ્ધિશાળી આ શ્રીમહાબલ રાજા દેવ તરીકે અરિહંત ભગવંતને જ માનતા હતા. કારણ કે બીજા કહેવાતા દેવે રાગ દ્વેષ સહિત હેવાથી તે સાચા દેવ ન કહેવાય એમ તે (રાજા) સમજતા હતા. વળી પાંચ મહાવ્રતને આરાધનારા સાધુ (મુનિ વર)ને જ સાચા ગુરૂ તરીકે માનતા હતા. કારણ કે બીજા કહેવાતા ગુરૂએ કંચન કામનાના ત્યાગ નહિ હોવાથી તે સાચા ગુરૂ ન કહેવાય એવા આ મહાબલ રાજાની શ્રદ્ધા હતી. તેમજ જિનેશ્વર ભગવંતે કહેલે અહિંસા સંયમ અને તપમય ધર્મ, તેજ સાચે ધર્મ છે એમ તે માનતા હતા. કારણ કે દુર્ગતિમાં પડતા જીવને દુર્ગતિમાંથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy