SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦. | શ્રી વિજયપધરિત(ઉલટા ક્રમે) ભેગા કરવાથી ૨૦૦૬ આવે, એટલે વિક્રમ સંવત ૨૦૦૬મા વર્ષ(સાલ)માં ઋષભપ્રભુના પારણાના દિવસે વૈશાખ સુદ ત્રીજે) તપગચ્છાધિપતિ પરમપકારી ગુરૂ મહારાજ શી વિજયનેમિસૂરીશ્વરજીના શિષ્ય વિજય પદ્મસૂરિએ દેવ ગુરૂ ભક્તિકારક દાનાદિધર્મારાધક શરદલાલ સુશ્રાવક જેસીંગભાઈ કાલીદાસ, અને તેમના સુપુત્ર સારાભાઈ તથા મનુભાઈ વગેરેની વિનંતિને સ્વીકારીને આ દેશના ચિંતામણિ નામના મહાગ્રંથના ત્રીજા ભાગની રચના કરી છે. ગ્રંથકાર (વિજયપત્રસૂરિ) આ ગ્રંથની રચના કરતાં અનુપયોગાદિમાંના કઈ પણ કારણથી જે કાંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તેની માફી માગે છે. અને આ ગ્રંથ રચના કરવાના બહાને શ્રીસંભવનાથની ભાવથી ભક્તિ કરીને પોતાના જીવનને સફળ માને છે. અહી' આ પ્રભુ શ્રીસંભવનાથની દેશનાનું સ્વરૂપ વિસ્તારથી જણાવ્યું છે. અને શેષ એટલે શ્રીસંભવનાથનું બાકીનું જીવન ટૂંકાણમાં જણાવ્યું છે. ભવ્ય જીવથી વંચાતા આ ગ્રંથ જગતને વિષે તમામ જીને આત્મહિત કરવામાં કારણભૂત થજે. ૨૮૫-૨૮૬. આ ગ્રંથની રચનાનું ફલ જણાવે છે – રચના કરીને પુણ્ય બાંધ્યું તાસ ફલ ચાહના, એજ મારી સર્વ જીવ સાધક બને જિનધર્મના મેક્ષના સુખને લહો હેજે પમાડે અન્યને, જૈન શાસન વિજય પામે વિજય પામે પ્રતિદિને. ૨૮૭ સ્પષ્ટાર્થ–આ ગ્રંથની રચના કરવાથી જે કાંઈ પુણ્ય બાંધ્યું હોય તેને ફળ રૂપે મારી એજ ઈચ્છા છે કે સર્વ જી આ શ્રેષ્ઠ જૈનધર્મને ઉલ્લાસથી સાધના થાઓ. અને તે ધર્મના પ્રતાપે મેક્ષના સુખને મેળવનારા થાઓ. તેમજ બીજા જીવને મોક્ષની પ્રાપ્તિમાં હર્ષથી મદદગાર થાઓ. તથા હું ચાહું છું કે આ જિનેશ્વરે પ્રરૂપેલું જૈનશાસન સદા વિજય પામો, દરરોજ વિજય પામે. ૨૮૭ હવે ચોથા ભાગમાં કેનું ચરિત્ર આવશે તે જણાવે છે – દેશના ચિંતામણિના હવે ચોથા ભાગમાં, સ્વામી અભિનંદન નિણંદની દેશના વિસ્તારમાં હું કહીશ ઈમ અનુક્રમે ઇગવીસ પ્રભુની દેશના, ઈગવીસ ભાગોમાં જણાવીશ એહવી મુજ ભાવના. ૨૮૮ સ્પષ્ટાથેહવે (આ ત્રીજા ભાગની પછી શરૂ થનાર) શ્રી દેશનાચિંતામણિના ચોથા ભાગમાં ચોથા શ્રી અભિનંદન સ્વામીની દેશના વિસ્તારપૂર્વક કહીશ. એ પ્રમાણે બાકીના ૨૧ ભાગોમાં શ્રી અભિનંદસ્વામી વગેરે એકવીસ જિનેશ્વરેની દેશના વિસ્તાર પૂર્વક જણાવવાની ભાવના વર્તે છે. ૨૮૮ ઈતિ તપગચ્છાધિપતિ-શાસનસમા-સૂરિચકચક્રવર્તિ-જાદુગુરૂ-આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરવિયાણ-શાસ્ત્રવિશારદ-વિદિવાકર આચાર્ય શ્રી વિજયપધસૂરીશ્વર વિરચિત દેશના ચિંતામણિ મહાગ્રંથસ્ય તૃતીય વિભાગ: Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy