SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ દેશના ચિંતામણિ ]. ૩૧૯ પરલોક સંબંધી ક્રિયા કરી. ત્યાર પછી પ્રથમ સેવેલા વ્યસનમાં દેવું થવાથી તેની ચિતાને લીધે નગરની બહારજ ભમવા લાગે. કેઈ વનવાસી ત્રિદંડીએ તેને પૂછયું કે-“હે ભદ્ર! તું ખેદ પામેલો અને દીન મુખવાળો થઈને વનમાં કેમ ભમે છે?” ત્યારે શિવે પોતાનું સત્ય વૃત્તાંત કહ્યું. તે સાંભળી ત્રિદંડીએ કહ્યું કે-“તું ખેદ ન કર, જે તું મારા કહેવા પ્રમાણે કરે તો તને અખુટ સંપત્તિ પ્રાપ્ત થાય.” શિવે કહ્યું-“તે શી રીતે ?” ત્રિદંડીએ કહ્યું કે-“એક સંપૂર્ણ અવયવવાળું શબ લાવ. બીજી સર્વ સામગ્રી મારી પાસે જ છે” ત્યારે લોભથી પરાભવ પામેલા તે શિવે કઈ ઠેકાણેથી તેવું શબ લાવીને તેને આપ્યું, પછી ત્રિદંડીએ તેલથી ભરેલી એક મોટી કડાઈ ચૂલા ઉપર મૂકી, અને નીચે અગ્નિ સળગાવ્યું. પછી તે અધમ તાપસે શિવને કહ્યું કે “તું આ શબને આખે શરીરે તેલ મસળ” શિવે પણ તેના કહેવા પ્રમાણે કર્યું. તે વખતે ત્રિદંડી અરીઠાની માળા લઈ મંત્રનો જપ કરવા લાગ્યા. ત્યારે શિવે વિચાર્યું કે-“આ ત્રિદંડી મને ઓળખતો પણ નથી, મેં પણ પ્રથમ કાંઈ પણ સેવા કરી નથી, તે તે મારા ઉપર અનુગ્રહ કરવા કેમ તત્પર થશે? કદાચ મને જ ઉપદ્રવ કરી તે પોતાનું કાર્ય સાધશે તે પછી મારું રક્ષણ કરનાર અહીં કેણ છે? હા! હા ! હું મહાકષ્ટમાં પડ છું, હવે શું કરું? ” આ પ્રમાણે વિચારતાં તેને પિતાનું વચન સ્મરણમાં આવ્યું, તેથી કષ્ટને નાશ કરવાના હેતુથી તે મનમાં પંચપરમેષ્ઠી (નમસ્કાર) મંત્રનું સ્મરણ કરવા લાગ્યું. કેટલીક વેળાએ દંડીના મંત્રને જપ પૂર્ણ થયો, તે વખતે તે શબ ઉભું થવા લાગ્યું, પરંતુ નવકાર મંત્રના પ્રભાવથી પાછું તે જ સ્થિતિએ નીચે પડી ગયું. તે જોઈ દંડીએ શિવને કહ્યું કે “અરે! તું શું કામ કરે છે કે જેથી કાર્યની સિદ્ધિમાં વિદ્ધ થયું?” શિવે કહ્યું કે-“હું તો કાંઈ કરતું નથી.” પછી ફરીથી દંડી જપ કરવા લાગ્યો. શિવ પણ નવકાર મંત્રના પ્રભાવની પ્રતીતિ થવાથી તેને ગણવામાં અત્યંત સાવધાન થયો. પછી દંડીને જપ પૂર્ણ થયે, ત્યારે પણ તે શબ ઉભું થઈ તેજ રીતે પડી ગયું. દંડીએ શિવને ઉપાલંભ દીધે. પરંતુ શિવે તે “હું કાંઈ કરતું નથી.” એ જ જવાબ દીધો. ફરીથી ત્રીજી વાર ઠંડીએ જપ કરવા માંડશે. શિવ પણ નવકારનું સ્મરણ કરવા લાગે. જપ પૂર્ણ થયે, ત્યારે તે શબે ઉભા થઈ દંડીને જ તેલની કડાઈમાં નાંખ્યો. તેને સુવર્ણ પુરૂષ થયે. તે લઈ શિવકુમાર પિતાને ઘેર આવ્યું, અને તે અખુટ સંપત્તિ પામીને સુખી થશે. સર્વ વ્યસનને ત્યાગ કરી ધર્મમાં આસક્ત થઈ સદ્ગતિ પામે. ઇતિ શિવકુમાર દષ્ટાંત. (૩) હવે ફરીથી નવકાર મંત્રના મહામ્ય ઉપર આકાશગામિની વિદ્યા સાધનાર ચેરની બીના ટૂંકમાં આ રીતે જાણવી– શ્રીપુરમાં ધનપાળ નામે શ્રેષી હતું. તેને ધનમિત્ર નામે પુત્ર હતો. તે કૌતુકથી આકાશગામિની વિદ્યા સાધવા ઉત્સુક થયે, તેથી તેણે કઈ આચાર્ય મહારાજને પૂછયું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy