SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ] ત્રણ જ્ઞાન હતા. આ બે બાબતે તેમ જ લક્ષણ, વર્ણ, રૂપ અને બલ એમ ૪૩ થી ૪૮ સુધીની ૬ બાબતે પ્રભુ ઋષભદેવની પેઠે એક સરખી જાણવી. તથા પ્રભુના શરીરની ઉંચાઈ ઉસેધાંગુલના માપથી ચારસે પચ્ચાસ ધનુષ્ય (૪૯) પ્રમાણ હતી. અને આત્માંગુલની અપેક્ષાએ એક આઠ આંગુલ (૫૧) પ્રમાણ ઉંચાઈ જાણવી. વળી પ્રભુ શ્રી અજિતનાથ ઉત્તમ અન્નને આહાર કરતા હતા. (૫૨) અહીં સમજવાનું એ છે કે-શ્રી ઋષભદેવ પ્રભુ ક૯૫વૃક્ષના ફલને આહાર કરતા હતા કારણ કે તે વખતે યુગલિયાની પરિસ્થિતિ ચાલુ હોવાથી અગ્નિની ઉત્પત્તિ થઈ નહોતી, ને બાકીના તેવીશ તીર્થકરો બાલ્યાદિ અવસ્થામાં ઉત્તમ અન્નનો આહાર કરતા હતા. ૨૩૨ અજિત લગ્ન કુમાર ભાવે ૫૪ પૂર્વ લાખ અઢારને, એક પૂર્વ અધિક લખ પૂર્વ પન રાજ્યને; કરતા અજિત ચક્રી૫૬ ન વાર્ષિક દાનપછ કાતિક અને, ષભની જિમ જાણવા ને માહ સુદ નવમી દિને. ૫૯ ૩૩ સ્પષ્ટાર્થ –અજિતનાથ પ્રભુએ માતાપિતાના આગ્રહથી લગ્ન (૫૩) કર્યા હતાં. પ્રભુ શ્રી અજિતનાથ કુમાર ભાવમાં એટલે કુમાર અવસ્થામાં અઢાર લાખ પૂર્વ ( ૫૪ ) સુધી રહ્યા હતા તથા ત્રેપન લાખ પૂર્વેની ઉપર એક પૂર્વાગ સુધી પ્રભુએ રાજ્ય (૫૫) કર્યું. તેમજ અજિતનાથ પ્રભુ ચકી (૫૬) નહોતા. વળી તે પ્રભુએ પણ દીક્ષા લીધા પહેલાં ઋષભદેવ પ્રભુની પેઠે વાર્ષિકદાન ( ૫૭ ) આપ્યું હતું તે વખતે નવ લોકાતિક દેવે (૫૮) આચાર હોવાથી તીર્થ પ્રવર્તાવવાની વિનતિ કરવાને આ પ્રભુની પાસે પણ આવ્યા હતા. આ રીતે આ પ૬-૫૭-૫૮મી બાબતે (ત્રણ બાબતો) ઋષભદેવ પ્રભુની પેઠે જાણવી. અને જ્યારે એક વર્ષ સુધી સાંવત્સરી દાન આપ્યા પછી પ્રભુએ પિતાની મેળેજ ચારિત્ર ગ્રહણ કર્યું, તે વખતે મહા સુદ નવમીને (૫૯) દિવસ હતે. ૨૩૩ રહિણ૦ વૃષ સહસદર સાથે પાછલી વય. છટ્ર૬૪ કરી, સુપ્રભાઇ શિબિકા અયોધ્યા સહસ્સામ્રવને વળી; અશક નીચે પશ્ચિમાર પંચ મુષ્ટિ૦ વડે કરી, લેચ કરતા અજિત દીક્ષા લેત ભવ સાગર તરી. ૨૩૪ સ્વાર્થ –અજિતનાથ પ્રભુએ દીક્ષા લીધી તે વખતે રોહિણી નક્ષત્ર (૬૦) અને વૃક્ષ (૬૧) રાશિ હતી. તેમજ પ્રભુની સાથે એક હજાર પુરૂએ દીક્ષા (૬૨) લીધી હતી. વળી આ પ્રભુએ પિતાની પાછલી વયમાં (૩) દીક્ષા ગ્રહણ કરી તે વખતે છઠ્ઠને (૬૪) તપ કર્યો હતે. દિક્ષા મહોત્સવ વખતે સુપ્રભા (૬૫) નામની પાલખીમાં બેસીને અયોધ્યા નગરીના (૬૬) સહસ્સામ્ર (૬૭) નામના વનને વિષે ગયા હતા. તે વનમાં અશોક વૃક્ષની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy