SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ શનાચિંતામણિ ] વાથી રાજા પા૫ રહિત થઈને જૈનધર્મને પામ્યો હતો. ઉત્તમ જાતિની પરસ્ત્રીને અજાણતાં સેવવાથી એક લાખ ને એંશી હજાર સઝાય સહિત દશ ઉપવાસ, જાણીને સેવવાથી ૧૮૦ ઉપવાસ, તિર્યંચ સંબંધી નિયમને ભંગ થયું હોય તે એક આંબિલ, સ્વપ્નમાં ભંગ થયો હોય તો ચાર લોગસ્સ ને એક નવકારને કાયોત્સર્ગ, અથવા એકસો ને આઠ શ્વાસોશ્વાસ પ્રમાણ, (૫) હસ્તક્રિયા કરવાથી ત્રણ ઉપવાસ, વારંવાર હસ્તકિયા કરવાથી દશ ઉપવાસ, (૬) પરસ્ત્રીના હદયને સ્પર્શ કરવાથી એક ઉપવાસ, (૭) ઢીંગલા ઢીંગલીના વિવાહ કરવાથી એક પુરિમઠ્ઠ. (૮) ઢીંગલા ગુંથવાથી એકાસણું, અને તેની કીડા કરવાથી એક આંબિલ, (૯) પરસ્ત્રીને બળાત્કારે સેવવાથી એકસે એંશી ઉપવાસ, (૧૦) તેના પર તીવ્ર દષ્ટિરાગ રાખવાથી બે ઉપવાસ, અને તેની સાથે તીવ્ર પ્રેમપૂર્વક વાતચિત કે હસ્ત વિગેરેને સ્પર્શ કરવાથી ત્રણ ઉપવાસની આલોયણ આવે છે. રુપી નામની રાજપુત્રી બાળવિધવા હતી. તેણે શીલસન્નાહ નામના અમાત્ય ઉપર દષ્ટિરાગ કર્યો હતો. અનુક્રમે તે બન્નેએ દીક્ષા ગ્રહણ કરી હતી. છેવટ સંલેખનાને સમયે ગુરુએ ઘણી રીતે બંધ કરી સમજાવી, તેપણ રુપી સાધ્વીએ તે દષ્ટિરાગ સંબંધી પાપની આલેચના લીધી નહી; તે પાપ ગુપ્ત રાખવાથી (દંભ કરવાથી) તેણું અનન્ત ભવપરંપરા પામી. જે તે પાપની આલોચના લીધી હતી તે થોડા તપથીજ તેની કાર્યસિદ્ધિ થાત. (૧૧) કુમારિકા સાથે ભેગા કરવાથી અઠ્ઠમ, (૧૨) ઈત્વર પરિગ્રહિતા ( અમુક મુદત સુધી રખાયત તરીકે કેઈએ રાખેલ ) ને સમાગમ કરવાથી બે ઉપવાસ, (૧૩) મૈથુન સંબંધી અશુભ ચિંતવન કરવાથી એક ઉપવાસ. શ્રી લક્ષમણ નામની સાધ્વીએ ચકલાના મિથુનની સ્તુતિ કરી હતી. તે પાપની આલયણ ગુરુ પાસે લીધી નહી, પણ પિતાની બુદ્ધિથી જ તે પાપના નાશને માટે પચાસ વર્ષ સુધી મહા ઉત્કટ તપ કર્યો, તે પણ તે પાપ નાશ પામ્યું નહી ઉલટી અનેક ભવ સુધી વિડંબના પામી. પણ જે દંભને ત્યાગ કરીને ગુરુએ આપેલા પ્રાયશ્ચિત્ત તપથી આલોચના કરી હોત તો ચેડા કાળમાંજ શુદ્ધ થાત. (૫) પાંચમા પરિગ્રહ પરિમાણ નામના વ્રતમાં નવા પ્રકારના પરિગ્રહના નિયમનો ભંગ થાય તે જઘન્ય પુરિમદ્ર, મધ્યમથી આંબિલ અને ઉત્કૃષ્ટ એક ઉપવાસની આલોયણ આવે છે; દર્પથી નિયમનો ભંગ કરે તે દશ ઉપવાસની આલોયણ આવે છે. આ વ્રતનું પ્રાયશ્ચિત્ત તપ મહણસિંહ નામના શ્રાવકની જેમ તત્કાળ સ્વીકારી લેવું. સાધુએ પણ પિતાના ઉપકરણાદિક અધિક રાખવાથી તત્કાળ આયણ લેવી–તે પાપને આવવું; નહી તે વિબુપદ્ધસિંહરિની જેમ અનાર્ય કુળમાં જન્મવું ચડે છે. તે બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી વિબુદ્ધસિંહસૂરિનું દૃષ્ટાંત. શ્રીવિબુદ્ધસિંહ નામના સૂરિ પિતાના શિષ્યો સહિત સમસ્ત આસપ્રણીત ધર્મમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy