SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિજયપઘાસરિકૃત આ કારણથી જ આ આલોચનાને અત્યંતર તપમાં ગણેલ છે. સમ્યગ આલોચન માસક્ષપણાદિક તપ કરતાં પણ દુષ્કર છે. અહીં લક્ષ્મણ સાધ્વીનું તથા ચંડકૈાશિકના પૂર્વભવમાં દેડકીની હિંસા કરનાર તપસ્વી (મુનિ) નું દૃષ્ટાંત જાણવું. હવે જ્ઞાનાદિકની આલોચના કહે છે. ત્રિવિધાશાતના જાત, જ્ઞાનાદિનાં યથાક્રમમાં અતિચારવિશુદ્ધચર્ય, સૂક્ત તત્તપશ્ચરેત્ ૧ અર્થ–“ જ્ઞાનાદિકની અનુક્રમે જઘન્યાદિ ત્રણ પ્રકારની આશાતના થયે છતે તેના અતિચારની વિશુદ્ધિ માટે સૂત્રમાં કહ્યા પ્રમાણે તપ કરવું.” જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારની આશાતના જાણવી, તેમાં જ્ઞાનાદિકને અવિનય થાય, ત્યારે તેનું પ્રાયશ્ચિત્ત લઈ યથાયોગ્ય તપ કરે જોઈએ. ( ૧ ) જિતક૯૫ અનુસારે “ કાલે વિયે બહુમાણે ” ઈત્યાદિ આઠ પ્રકારના જ્ઞાનાચારની દેશ આશાતનામાં એક આંબિલ અને સર્વાશાતનામાં એક ઉપવાસ કરે, અને સ્થાનાંગ સૂત્ર અનુસારે જઘન્ય આશાતનામાં પુરિમ, મધ્યમ આશાતનામાં એકાસણું અને ઉત્કૃષ્ટમાં આંબિલ કરવું. (૨) આચાર્ય, ઉપાધ્યાય, પુરતક, પાટી, કેવળી, એળીયા, નવકારવાળી વિગેરે દરેકની આશાતનામાં જઘન્યથી એક આંબિલ આવે. નિંદા, પ્રષ, મત્સર, ઉપહાસ વિગેરે રૂપ દરેક આશાતનામાં એક એક ઉપવાસ આવે. (૩) ઈવહી પ્રતિકમ્યા વિના સ્વાધ્યાય વિગેરે કરે તે એક પુરિમદ્રનું પ્રાયશ્ચિત્ત આવે. પોતાના પ્રમાદથી પુસ્તકાદિકને અગ્નિથી દાહ થયો હોય, અથવા નષ્ટ થયાં હોય તે શક્તિ છતે તે પુસ્તકે ફરીથી નવાં લખાવવાં. (૪) અક્ષરને પગ અડકે તો નવી આવે, જ્ઞાન સમીપ છતાં (પાસે હોવા છતાં ) આહાર–નીહાર કરવાથી નવી આવે, થૂક વડે અક્ષર કાઢે તે પુરિમ આવે, (૫) જપમાળા (નવકારવાળી) તુટે અથવા તેને પગનો સ્પર્શ થાય કે ખોવાય તો નવી આવે, (૬) કાળ વખતે સિદ્ધાન્ત ભણે ગણે અથવા કેઈને ભણવામાં અંતરાય કરે તો પુરિમદ્ભનું પ્રાયશ્ચિત્ત આવે. આ પ્રમાણે જાણીને જે માણસ જ્ઞાન સંબંધી પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરે નહી, આળાવે નહી તે માણસ વરદત્તના જીવ વસુદેવ આચાર્યની જેમ અને પુસ્તક પાટી વિગેરેને બાળી નાખનાર ગુણમંજરીના જીવ સુંદરીની જેમ મહાન દુઃખ પામે છે. આ રીતે જ્ઞાનાચારની આચના ટૂંકામાં જાણવી. હવે (૧) “ નિસંકિય નિકલંખિય” ઈત્યાદિ આઠ પ્રકારના દર્શનાચારને વિષે દેશશંકામાં આંબિલનું પ્રાયશ્ચિત્ત આવે, સર્વ શંકા થાય તે ઉપવાસ આવે. (આ પ્રમાણે આઠેમાં સમજી લેવું. ) સ્થાનાંગ સૂત્રમાં દર્શનાચારના અતિચાર સંબંધી જઘન્યથી પુરિમટ્ટ, મધ્યમથી એકાસણું અને ઉત્કૃષ્ટથી ઉપવાસ કહેલો છે. (૨) પ્રમાદથી દેવ ગુરૂને વંદના કરે તે પુરિમઠુ, (૩) પ્રતિમાની સાથે વાસકુંપી, ધૂપધાણું વિગેરે અથડાઈ જાય, પ્રતિમા પડી જાય, વગર જોયેલા વસ્ત્ર વડે પૂજા કરે તે પુરિમ અને (૪) દેવ, ગુરૂ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy