SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણી ] ૨૫૯ તપ કર્યું. એકદા તે મંત્રી શત્રુંજયની યાત્રા કરવા માટે ગયો. ત્યાં તે સાધુને જોઈને આપને મેં પૂર્વે કઈ વખત જોયેલા છે” એમ કહીને વંદના કરી. પછી તેમના પવિત્ર ચારિત્રથી પ્રસન્ન થયેલા મંત્રીએ તે મુનિને તેમના ગુરૂ, કુળ વિગેરે પૂછયું, એટલે તેમણે મંત્રીને કહ્યું કે “ તત્ત્વથી તો તમે જ મારા ગુરુ છે.” તે સાંભળીને અજાણ્યો મંત્રો કાન આડા હાથ રાખીને બોલ્યો કે “અરે પૂજ્ય! એવું ન બેલે. મુનિ બેલ્યા કે— જે જેણ સુદ્ધધમૅમિ, ઠાવિઓ સંજણ ગિહિણા વા સે ચેવ તસ્સ જાયઈ, ધમ્મગુરૂ ધમ્મદાણાઓ છે મુનિએ અથવા ગૃહસ્થીએ જેણે જેને શુદ્ધ ધર્મમાં સ્થાપન કર્યો હોય તેજ તેને ધર્મદાન આપવાથી તેને ધર્મગુરુ જાણવો.” એમ કહીને તે મુનિએ પિતાનું મૂળ વૃત્તાંત કહી તેને ધર્મમાં દઢ કર્યો. ચિત્યના ભંગ કરનારે શું કરવું તે વિષે. ચિત્યભંગાર્ચ યદુદખં, લબ્ધ તસ્ય ક્ષય કથા ભયચૈત્યવિધાનેન, તત્પાપં વિલયં વ્રત છે ૧ | અથ–“ચત્યનો એટલે જિનપ્રતિમાને અથવા જિનમંદિરને ભંગ કરવાથી જે દુઃખ (પાપ) પ્રાપ્ત થાય તે શી રીતે ક્ષય પામે ? આ પ્રશ્નને જવાબ એ છે કે તે પાપ ફરીને ચિત્ય કરાવવાથી નાશ પામે છે. તે ઉપર એક દષ્ટાંત સંક્ષેપમાં આ રીતે જાણવું પ્રહૂલાદનપુર (પાલનપુર)માં પ્રહૂલાદન નામે રાજા હતે. તે એકદા અદાચળ ( આબુપર્વત ) જેવા ગયો. ત્યાં તેણે કુમારપાળ રાજાએ કરાવેલો શ્રી પાર્શ્વનાથ સ્વામીને પ્રાસાદ . તે પ્રસાદમાં શ્રી પાર્શ્વનાથસ્વામીની રૂપાની પ્રતિમા જેઈને રાજાએ તેને ભાંગી નખાવી મહાદેવનો પિઠી કરાવીને શિવાલયમાં સ્થાપન કર્યો. ત્યાંથી રાજા પિતાને ઘેર આવ્યો કે તરતજ રાજાના શરીરમાં ગલૂણ ( ઝરતો કોઢ ) ને વ્યાધિ ઉત્પન્ન થયો. તે વ્યાધિથી રાજાના દેહમાં ઘણું વેદના થવા લાગી. રાજાને ગંગા વિગેરેના તીર્થજળથી સ્નાન કરાવ્યું. તે પણ વ્યાધિ શાંત થયે નહી, તેથી તે બહુજ ગભરાઈ ગયો. એકદા રાજાએ કઈ મુનિને રોગની શાંતિને ઉપાય પૂછયે, ત્યારે મુનિએ કહ્યું કે સ્વસ્તિશ્રિય ધામ ગુણાભિરામ, સુત્રામસંતાનનતાંહિપન્ના જાગ્રતપ્રતાપે જગતીતલેત્ર, શ્રી પાર્શ્વદેવં સતત શ્રય વં ૧ યદયમૂર્તિભંવિને સમસ્ત, નિત્યઘં દષ્ટિપથાવતી શૈલેબુદે સ્થાપિતતીર્થનાથ, શ્રીપાર્ષદે વિતતિ સૌખ્યું છે હે રાજન ! કલ્યાણ અને સંપત્તિના સ્થાનભૂત, સકળ ગુણોથી વિરાજમાન, અને જેના ચરણકમળને ઈન્દ્રોને સમૂહ પણ પ્રણામ કરે છે, તથા જેનો પ્રતાપ જગતમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy