SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ ( વિજ્યપદ્ધસૂરિકૃતશ્રી સિદ્ધાચલ મહા તીર્થ છે. તેથી તેનું વર્ણન ટૂંકામાં કાર્તિક પુનમના મહિમા સાથે આ પ્રમાણે જાણવું કાર્તિકી પૂર્ણિમાનું માહામ્ય. યા કુન્ત કાર્તિકી રાજા-મત્રાહદધ્યાનતત્પર સ ભકત્વા સર્વસૌખ્યાનિ, નિર્વાત્તિ લભતે તતઃ ૧ અર્થ—“જે માણસ અહીં (સિદ્ધાચલની ઉપર) જિનેશ્વરના ધ્યાનમાં તત્પર થઈને કાર્તિકી પુનમની આરાધના કરે, તે આ લોકમાં સર્વ સુખો ભેગવીને પછી મોક્ષના સુખને પામે છે.” એકેનાયુપવાસન, કાર્તિક્યાં વિમલાચલે ઋષિસ્ત્રીબાલહત્યાદિ-પાતકાળ્યુચ્યતે જન ર છે અર્થ—“ શત્રુંજય ગિરિ ઉપર કાર્તિકી પુનમને દિવસે માત્ર એક ઉપવાસ કરવાથી ભવ્ય કષિહત્યા, સ્ત્રી હત્યા અને બાળહત્યા વિગેરે પાપથી મુક્ત થાય છે.” આ પ્રસંગને અનુસરતી. શ્રી દાવિડ ને વાલિખિલની બીના આ રીતે જાણવી. ઋષભદેવને પુત્ર દ્રવિડ નામે હતે. તેને કાવિડ અને વાલિખિલ્લ નામના બે પુત્ર થયા હતા. એક વખત દ્રાવિડને મિથિલાનું રાજ્ય અને વાલિખિલ્લને લાખ ગામો આપીને દ્રવિડે પ્રભુની પાસે દીક્ષા ગ્રહણ કરી. અન્યદા દ્રાવિડ પિતાના નાના ભાઈને અધિક સંપત્તિવાળ જોઈને તેની ઉન્નતિ નહી સહન થવાથી તેના પર દ્વેષ કરવા લાગ્યો. વાલિખિલ્લ પણ તે વૃત્તાંત જાણીને મોટા ભાઈ પર દ્વેષ ધરવા લાગ્યો. એ રીતે પરસ્પર દ્વેષ થવાથી તેઓ એક બીજાના રાજ્ય ગ્રહણ કરવાને તત્પર થયા, અને પરસ્પરના છળ જોવા લાગ્યા. તેવામાં એક વખત વાલિખિલ્લ દ્રાવિડના નગરમાં આવતો હતો, ત્યારે દ્રાવિડે તેને નગરમાં આવતે અટકાવ્યું. તેથી વાલિખિલેને ક્રોધ ચડો એટલે તેણે યુદ્ધ કરવા માટે પિતાનું સૈન્ય એકઠું કર્યું. દ્રાવિડ પણ યુદ્ધ માટે તૈયાર થઈ ગયે. બન્ને જણાં સામસામા આવ્યા. વચ્ચે પાંચ યોજના યુદ્ધભૂમિ રાખીને બંને જણાંએ સેનાને પડાવ નાંખ્યો. બન્નેના સૈન્યમાં દશ દશ લાખ હાથી, ઘોડા અને રથ હતા, તથા દશ ક્રોડ પત્તિ (પાયદળ) હતા. પછી નક્કી કરેલા દિવસે યુદ્ધ શરુ કર્યું. હાથીવાળા હાથીવાળા સાથે અને પત્તિ પત્તિની સાથે એવી રીતે સમાન યુદ્ધ થવા લાગ્યું. આ પ્રમાણે નિરંતર યુદ્ધ કરતાં સાત માસ વ્યતીત થઈ ગયા. તેમાં એકંદર દશ કોડ સુભટોને નાશ થયે. તેવામાં વર્ષા ઋતુ આવવાથી યુદ્ધ બંધ રાખીને ઘાસ અને પાંદડાની ઝુંપડીઓ કરીને ત્યાંજ રહ્યા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy