SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણી ] [ ૨૪૭ મગ્ન થયેલે જીવ દેશે ઉણા કેટી પૂર્વના કાળને પણ સુખે સુખે દીનતા રહિત નિર્ગમન કરે છે, એક નિમેષમાત્ર પણ પ્રમાદમાં પડતા નથી. કહ્યું છે કે શમસુતસુધાસિક્ત, યેષાં નક્તદિનં મન કદાપિ તે ન દહેજો, રગેરગવિષર્મિભિ લે છે અર્થ–જે મહાત્માઓનું મન રાત્રિ દિવસ ઉપશમ જે કષાયાભાવ તેનાં સૂક્ત એટલે આત્મસ્વરૂપ તત્વનાં વચને તે રૂપી અમૃતથી સિંચન થયેલું હોય છે તેઓ રાગરૂપી સર્પના વિષેમિથી કદાપિ બળી શકતા નથી. જગતના જીવે રાગાદિક સર્ષથી ડસાયા સતા વિષયમાં ઘુમિત થઈને પરિભ્રમણ કરે છે. ઈષ્ટ વસ્તુના સંગની અને અનિષ્ટ વસ્તુના વિયેગની ચિંતા અહર્નિશ કરીને અનેક પ્રકારના સંકલ્પ વિક૯૫ કરે છે, અને બહુ પ્રકારની અશૌચાદિ જે કલ્પના તેના કલ્લોલને ગ્રહણ કરે છે; તેમજ અનંત જીવોએ અનંતીવાર ભોગવીને મૂકી દીધેલા જગતના ઉચ્છિષ્ટ એવા અનેક પુગલ સ્કોની યાચના કરે છે. માટે કઈ પણ પ્રકારે ઉપ શમ ગુણને પ્રગટ કરે, એજ મુક્તિનું પરમ કારણ છે. કહ્યું છે કે સ્વયંભૂરમણસ્પદ્ધિ, વદ્વિષ્ણુસમતારસ મુનિર્યોનેપમીત, કેડપિ નાસી ચરાચરે છે ૧. અર્થ–“સ્વયંભૂરમણ સમુદ્રની સ્પર્ધા કરનાર એ સમતા રસ ઉપશમ ગુણ જેના હદયમાં વૃદ્ધિ પામ્યા કરે છે તેવા મુનિને જેનાવડે ઉપમા આપી શકાય એ કઈ પણ પદાર્થ આ ચરાચર જગતમાં નથી.” વિશેષાર્થ- અર્ધ રજજુ પ્રમાણ છેલ્લો સ્વયંભૂરમણ નામને જે સમુદ્ર તેના જલની સાથે સ્પર્ધા કરે તેટલો સમતા રસ (ઉપશમ) જેના આત્મામાં વૃદ્ધિ પામ્યા કરે છે એવા મુનિ ત્રણે કાલમાં પણ વિષયને ગ્રહણ કરતા નથી. તેઓને અતીત કાળમાં ભેગવેલા ભોગના સ્મરણને અભાવ છે, વર્તમાન કાળે ઈન્દ્રિયગોચર એવા વિષયોમાં રમણતાને અભાવ છે, અને અનાગત કાળે મને વિષયની ઈચ્છાને અભાવ છે, એવા મુનિને જે ઉપમાને કરીને ઉપમા અપાય એ કઈ પણ પદાર્થ આ સચરાચર જગતમાં નથી, કેમકે સર્વ પદાર્થ તો અચેતન પુદગલ સ્કધથી ઉત્પન્ન થયેલ અને રુપી છે અને સમતા રસ (ઉપશમ) તો સહજ, આત્યંતિક અને નિરુપમ અરૂપી આત્મસ્વભાવ છે, તો તેની સાથે તેની શી રીતે ઉપમા આપી શકાય?” - વગેરે વિવિધ ઉપાવડે માતાપિતાને પ્રતિબંધ પાડીને તેમની અનુજ્ઞાથી સમગ્ર પરિગ્રહને ત્યાગ કરી મૃગાપુત્ર દીક્ષા ગ્રહણ કરી. કહ્યું છે કે ૧ દુઃખ આવી પડવાને ભય ધરાવી પ્રથમથી જે શોકસંતાપ કરે તે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy