SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ [ વિજયપઘસરિતધર્મમાં સ્થિરતા રાખવાથી મોક્ષના સુખે મળ્યા છે. આ રીતે અનેક શુભ કારણથી અનેક ભવ્ય જનેને પરમાનંદ પદની પ્રાપ્તિ થઈ છે. અહીં પ્રસંગચિત રતિસુંદરીની કથા દુકામાં આ પ્રમાણે – છે રતિસુંદરીની કથા છે સાકેતપુરમાં જિતશત્રુ રાજાને રતિસુંદરી નામે પુત્રી હતી. તેજ નગરમાં શ્રેણીની પુત્રી ઋદ્ધિસુંદરી, મંત્રીની પુત્રી બુદ્ધિસુંદરી અને પુરોહિતની પુત્રી ગુણસુંદરી નામે હતી. એ ચારે સખીઓ સુંદર રૂપવાળી, શ્રાવક ધમ ને પાળનારી અને પરસ્પર પ્રેમવાળી હતી. તથા દેવ ગુરુના સ્થળમાં (દેરાસરે ને ઉપાશ્રયમાં) એકઠી મળીને ધર્મગોષ્ટી કરતી હતી. તેઓએ ધર્મક્રિયા કરતાં પરપુરુષને નિયમ લીધેલો હતો. હવે નંદપુરને રાજા ચાર સખીઓ પૈકી રાજપુત્રી રતિસુંદરીને પરણ્યો. તેનું રૂપ અને લાવણ્ય સર્વત્ર શ્લાઘા પામ્યું; તેથી હસ્તિનાપુરના રાજાએ એક દિવસ દૂત મોકલીને રતિસુંદરીની માગણી કરી. તે સાંભળીને નંદપુરના રાજાએ દૂતને કહ્યું કે “એક સામાન્ય માણસ પણ પિતાની પત્નીને આપતું નથી તે હું શી રીતે મારી પત્નીને આપીશ? માટે તું તારે સ્થાને પાછો ચાલ્યો જા.” તે સાંભળીને દ્વતે જઈને પિતાના રાજાને સર્વ વાત કહી, તેથી રાજાએ નંદપુર પર ચડાઈ કરી. બન્ને રાજાનું યુદ્ધ થતાં હસ્તિનાપુરના રાજાને જય થયો. તે રતિસુંદરીને બળાત્કારથી લઈને પિતાના નગરમાં આવ્યું. પછી તેણે રતિસુંદરીની પ્રાર્થના કરી. ત્યારે તે બોલી કે “મારે ચાર માસ સુધી શીલવ્રત પાળવાને નિયમ છે.” તે સાંભળીને રાજાએ વિચાર્યું કે “ચાર માસ પછી પણ તે મારેજ આધીન છે. ક્યાં જવાની છે?” એમ વિચારી દિવસે વીતાવવા લાગ્યો. રતિસુંદરી હંમેશાં તેને પ્રતિબંધ આપવા લાગી, પણ રાજાને રાગ તેના પરથી જરા પણ ઓછો થશે નહી. એકદા રાજા બોલ્યો કે “હે ભદ્ર! તું હંમેશાં મને ઉપદેશ આપે છે, તું તપવડે અતિ કૃશ થઈ ગઈ છે, તેમજ શરીર પરથી સર્વ શૃંગાર કાઢી નાંખ્યા છે, તે પણ મારું મન તારામાં અતિ આસક્ત છે. તારાં બીજા શરીરના અવયના તે હું શું વખાણ કરું? પરંતુ આંખનું પણ વર્ણન હું કરી શકતા નથી.” તે સાંભળીને રતિસુંદરીએ પિતાની આંખોને જ શીલલોપનું કારણ જાણું રાજાની સમક્ષ તત્કાળ છરીવડે બને નેત્રો કાઢીને રાજાના હાથમાં આપ્યાં. તે જોઈ રાજાને અત્યંત ખેદ થ. તેને રતિસુંદરીએ સારી રીતે ધર્મોપદેશ આપ્યું. રાજાએ પ્રતિબંધ પામીને તેને ખમાવી; અને મારે માટે આ સ્ત્રીએ પોતાનાં નેત્રો કાઢી નાંખ્યા એમ જાણીને મનમાં અતિ દુઃખી થયો. રાજાનું દુઃખ નિવારણ કરવા માટે રતિસુંદરીએ દેવતાનું આરાધન કર્યું. તત્કાળ દેવતાએ રતિસુંદરીને નવાં નેત્ર (આંખ) આપ્યાં. પછી રાજાના આગ્રહથી કેટલાક દિવસ રોકાઈને રતિસુંદરીએ દીક્ષા ગ્રહણ કરી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy