________________
મદીયા દ્ધારક, પરમપકારી, પરમગુરૂ, સુગૃહીતનામધેય, | સ્વ. શ્રી ગુરૂ મહારાજના હસ્તકમલમાં સમર્પણ
પૂજ્યપાદ પ્રાતઃ સ્મરણીય શ્રીગુરૂ મહારાજ ! આપશ્રીજી મધુમતી (મહુવા) નગરીના રહીશ પિતાશ્રી દેવ ગુરૂ ધર્માનુરાગી શેઠ લક્ષ્મીચંદ અને માતુશ્રી દીવાલીબાઈને કુલદીપક પુત્ર હતા. અને વિ. સં. ૧૨૯ત્ની કાત્તિક સુદ એકમના જન્મ દિનથી માંડીને લગભગ સેલ વર્ષની નાની ઉંમરે સંસારને કડ ઝેર જે માનીને અગણ્ય સદ્ગુણનિધાન પરમગુરૂ શ્રીવૃદ્ધિવિજયજી (શ્રીવૃદ્ધિચંદ્રજી) મહારાજજીની પાસે ભાવનગરમાં વિ. સં. ૧૮૪૫ ના જેઠ સુદ સાતમે સિંહની પેઠે શૂર વીર બનીને પરમ કલ્યાણકારી અને હૃદયની ખરી બાદશાહીથી ભરેલી પ્રવજ્યા (દીક્ષા)ને પૂરેપૂરા ઉલ્લાસથી ગ્રહણ કરીને સિંહની પેઠે શુરવીર બનીને સાધી હતી. અને આપશ્રીજી એ અગાધ બુદ્ધિબલથી જલદી સ્વપર સિદ્ધાંતને ઉંડે અભ્યાસ કર્યો હતો, તથા ન્યાય વ્યાકરણાદિ વિવિધ વિષયના પુષ્કલ વિશાલ ગ્રંથની રચના કરીને સુંદર સાહિત્ય સેવા કરવા ઉપરાંત અપૂર્વ દેશના શકિતના પ્રભાવે અભક્ષ્યરસિક, ઉન્માર્ગગામી અગણ્ય મહારાજાદિ ભવ્ય જીને સદ્ધર્મના રસ્તે દોરીને હદપાર ઉપકાર કર્યો હતે. તેમજ આપશ્રીના અગણ્ય સદગુણેને જોઈને મોટા ગુરભાઈ, ગીતાર્થ શિરેમણિશ્રમણકુલાવતં સક, પરમપૂજ્ય પંન્યા સજી મહારાજ શ્રીગંભીરવિજયજી ગણિવરે તમામ સિદ્ધાંતની ગોદ્રહનાદિક ક્રિયા વગેરે યથાર્થ વિધાન કરાવીને મહાપ્રાચીન શ્રી વલભીપુર (વળા) માં આપશ્રીજીને વિ. સં. ૧૯૬૦ ના કારતક વદી સાતમે ગણિપદથી અને માગશર સુદ ત્રીજે પન્યાસપદથી વિભૂષિત કર્યા હતા. અને શ્રીભાવનગરમાં વિ.સં ૧૯૬૪ ના જેઠ સુદ પાંચમે તપાગચ્છાધિપતિ ભટ્ટારક આચાર્ય પદથી અલંકૃત કર્યા હતા. તેમજ આપશ્રીજી રત્નની ખાણ જેવા શ્રીસંઘની અને તીર્થાદિની સેવા પૂરેપૂરા ઉલ્લાસથી કરતા હતા. તેમજ આપશ્રીજીના અમોઘ ઉપદેશથી દેવ ગુરૂ ધર્માનુરાગી સંઘવી શેઠ માણેકલાલ મનસુખભાઈ ભગુભાઈ વગેરે ઘણાએ ભવ્ય જીએ છરી પાલતાં વિશાલ સંઘ સમુદાય સહિત તીર્થાધિરાજ શ્રી શત્રુંજયાદિ મહાતીર્થની યાત્રા અંજનશલાકા વિગેરે ઉત્તમ ધાર્મિક ક્ષેત્રોમાં લક્ષમીને સદુપયોગ કર્યો હતું. તેમજ આપશ્રીજીએ મારા જેવા ઘણાંએ ભવ્ય જેની ઉપર શ્રી જિનેન્દ્રી દીક્ષા દેશવિરતિ વગેરે મોક્ષના સાધને દઈને કદી પણ ન ભૂલી શકાય તેવા અનહદ ઉપકાર કર્યા હતા. આવા લેકેત્તર ગુણેથી આકર્ષાઈ અને આપશ્રીએ મારી ઉપર કરેલા અનન્ત ઉપકાને યાદ કરીને આપશ્રીના પસાયથી બનાવેલ આ શ્રી દેશના ચિંતામણિ નામના સાર્વજનિક સરલ મહાગ્રંથને છક્રો ભાગ પરમ કૃપાલ આપશ્રીજીના કરકમલમાં સમપીને હું મારા આત્માને ધન્ય કૃતાર્થ માનું છું, અને નિરંતર એજ ચાહું છું કે આપશ્રીના પસાયથી (૧) પ્રાકૃત સંસ્કૃત ગુજરાતી વિગેરે ભાષામાં આવા સાર્વજનિક સરલ ગ્રંથની રચના કરીને શ્રી સંઘાદિ પવિત્ર ક્ષેત્રોની ભક્તિ કરવાને શુભ અવસર (૨) આપશ્રીજી જેવા ગુરૂદેવ (૩) શ્રી જેન્દ્ર શાસનની સેવા (૪) નિર્મલ નિરભિલાષ સંયમ જીવન (૫) પોપકાર વિગેરે સંપૂર્ણ આત્મરમણતાના સાધને મને ભવે ભવ મળે. આ નિવેદન આપશ્રીજીના ચરણકિંકર નિર્ગુણ વિયાણ પદ્યની વદના.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org