SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૫ રાના ચિંતામણિ ] બાબતને બેધ દેવા માટે પાણીમાં રહીને તેણે મનુષ્યના જેવી ભાષામાં કહ્યું કે “કેણુ જીવે છે? કેણ જીવે છે? કે જીવે છે ?” એમ ત્રણ વાર કહેલાં મર્યનાં વચનને સાંભળીને રાજા વગેરેને મોટું આશ્ચર્ય લાગ્યું. પોતાની સભાના પંડિતેને આ બાબતને ખૂલાસે પૂછતાં રાજાને સંતોષકારક જવાબ ન મળે. તથા આચાર્ય મહારાજ શ્રી કાલિકસૂરિજી મહારાજે જ્ઞાનથી માછલાને અભિપ્રાય જાને રાજાની આગળ કહ્યું કે કેણ જીવે છે? આ પ્રથમ વાકયને અર્થ આ પ્રમાણે છે –જે ભવ્ય જીવ ઉત્તમ ગુણોને ધારણ કરવા પૂર્વક ધર્મારાધન ઉ૯લાસથી કરે છે તે શાસ્ત્રીય દષ્ટિએ જીવે છે, એમ કહી શકાય. માછલું બીજી વાર કેણ જીવે છે એમ બોલે છે તેનું રહસ્ય આ છે–જેના જીવતાં છતાં મુનિવરે અને સજન પુરૂષ જીવે છે, એટલે જે ભવ્ય જીવ મુનિવરોને અને સજજનેને આલંબનરૂપ છે, અને પરોપકાર કરે છે, તે ખરી રીતે “જ ” અને તે જ જીવે છે, એમ કહી શકાય. અને માછલું ત્રીજી વાર “કેણ જીવે છે એમ બોલે છે. તેનો પરમાર્થ આ પ્રમાણે સમજઃ —જે અપ્રમાદી ધર્મરસિક જી પાંચમે અથવા છઠું દિવસે નિરવદ્ય (નિર્દોષ) ભજન કરે છે તે જીવે છે. સૂરિજી મહારાજનાં આ વચન સાંભળીને માછલું મૌન રહ્યું. રાજા વગેરે પણ બહુ આશ્ચર્ય પામીને બોલવા લાગ્યા કે અહે! જલચર જીવ પણ ધર્મ કરવાની ચાહના આચાર્ય મહારાજે કહ્યું કે-નિર્ગુણ અધમ ને માનવ ભવ બહુ જ હલકે ગણાય છે. આ બાબતમાં વિસ્તારથી જાણવાની ઈચ્છાવાળા ભવ્ય જીવેએ વિદ્વજનગોષ્ઠી જરૂર સમજવા લાયક છે. તે ટૂંકામાં આ પ્રમાણે જાણવી – સદગુણોના વિચારની પણ દુર્લભતા. યઃ પ્રાપ્ય માનુષ જન્મ, દર્લભં ભવકેટિભિા ધર્મ શર્મકરં કુર્યાત્, સફલં તસ્ય જીવિતમ્ ૧ છે - સ્પાર્થ_“જે પ્રાણી કેરી ભવે કરીને પણ પામ દુર્લભ એ મનુષ્ય ભવ પામીને કલ્યાણ કરનાર એવા ધર્મને કરે છે તેનું જીવિત સફલ છે.” પ્રાપ્ય પ્રાપ્ય માનુષ્ય, કાર્ય તત કિંચિત્ત મુહર્તમેકમસ્ય, નૈવ ચાતિ યથા વૃથા પર છે સ્પાઈ_“દુખે પામવા લાયક મનુષ્ય જન્મ પામીને ઉત્તમ પુરુષએ કાંઈક એવું કામ કરવું જોઈએ કે જેથી તેને (માનવ જન્મને) એક મુહૂર્ત પણ વૃથા ન જાય.” આ હકીકતને દઢ કરવા માટે પહેલાં સંક્ષેપે કહેલું છતાં વિસ્તારથી તે દષ્ટાંત આ રીતે જાણવું– Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy